ETV Bharat / state

ગીર ગઢડામાં બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Feb 3, 2021, 12:12 PM IST

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની બાબરીયા રેંજની ઝાખિયા રાઉન્ડ બીટમાંથી સાતેક મહિનાનો સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. બાળસિંહ ઘાયલ થતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી મૃત્યુ થયાનું વન વિભાગે અનુમાન દર્શાવ્યું છે. બાળસિંહના મૃત્યુનું કારણ જાણવા P.M. કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

બાળસિંહનો મૃતદેહ
બાળસિંહનો મૃતદેહ
  • ગીર ગઢડામાંથી બાળસિંહનો મૃતદેહ મળ્યો
  • 6થી 7 મહિનાની ઉંમરનો માદા સિંહબાળ
  • વન્ય પ્રાણીઓ સાથે ઇનફાઇટ દરમિયાન ઘાયલ થયો હતો

ગીર સોમનાથ : જિલ્લાના ગીરગઢડાના બાબરીયા રેન્જની ઝાખિયા રાઉન્ડની બીટ વિસ્તારમાં ઝાંખિયા ડુંગર નજીકથી 6થી 7 મહિનાની ઉંમરનો માદા બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે સ્થળ પર વન અધિકારીઓ સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

શ્વસનતંત્રમાં ખામી થઇ હોવાને લીધે મૃત્યુ

બાળસિંહ અન્ય વન્યપ્રાણી સાથે ઈનફાઈટ દરમિયાન ઘાયલ થતા શ્વસનતંત્રમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે બાળસિંહને શ્વાસ લેવામાં તકલીફ થતા મૃત્યુ થયું હોવાનું વન વિભાગના અધિકારીઓએ અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે, મૃત્યુનું સાચું કારણ જાણવા બાળસિંહના મૃતદેહને P.M. માટે લઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

  • ગીર ગઢડામાંથી બાળસિંહનો મૃતદેહ મળ્યો
  • 6થી 7 મહિનાની ઉંમરનો માદા સિંહબાળ
  • વન્ય પ્રાણીઓ સાથે ઇનફાઇટ દરમિયાન ઘાયલ થયો હતો

ગીર સોમનાથ : જિલ્લાના ગીરગઢડાના બાબરીયા રેન્જની ઝાખિયા રાઉન્ડની બીટ વિસ્તારમાં ઝાંખિયા ડુંગર નજીકથી 6થી 7 મહિનાની ઉંમરનો માદા બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે સ્થળ પર વન અધિકારીઓ સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

શ્વસનતંત્રમાં ખામી થઇ હોવાને લીધે મૃત્યુ

બાળસિંહ અન્ય વન્યપ્રાણી સાથે ઈનફાઈટ દરમિયાન ઘાયલ થતા શ્વસનતંત્રમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે બાળસિંહને શ્વાસ લેવામાં તકલીફ થતા મૃત્યુ થયું હોવાનું વન વિભાગના અધિકારીઓએ અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે, મૃત્યુનું સાચું કારણ જાણવા બાળસિંહના મૃતદેહને P.M. માટે લઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.