ETV Bharat / state

ઉન્નાવ રેપ કેસ : ગાંધીનગર FSLમાં આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાયા - #gandhinagar

ગાંધીનગર : ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં અકસ્માત સર્જાયો હતો. જે મામલે CBIની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી હતી. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં ડ્રાઈવર આશિષ પાલ અને ક્લિનર મોહન શ્રીનિવાસ બન્ને આરોપીઓના નાર્કો ટેસ્ટ ,ફિંગર પ્રિન્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું હતુ. મેડિકલ અને સાયકોલોજિ ટેસ્ટ થયા બાદ આરોપીઓની સંમતિ બાદ વધું નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

etv bharat gandhinagar
author img

By

Published : Aug 13, 2019, 2:18 AM IST

Updated : Aug 13, 2019, 1:04 PM IST


FSLના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે.આ તમામ ટેસ્ટ કરવા માટે FSLખાતે CBI આરોપીઓને લઈ પહોંચી હતી. હાલ બંને આરોપીઓ CBIની કસ્ટડીમાં છે. ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ કરી રહેલી CBI અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લીનરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. CBI હવે જરૂરી ઔપચારિકતા પૂરી કરીને બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવા ગાંધીનગર લાવી હતી.

ઉન્નાવ બળાત્કાર કેસ : ગાંધીનગર FSLમાં આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાયા

ગાંધીનગર સિવિલમાં બન્ને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે FSLની પ્રક્રિયા પુર્ણ થયા બાદ લાવવામાં આવ્યા હતાં. બે દિવસની FSLની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોપીઓનું પ્રાથમિક ધોરણનું ચેકઅપ કરાયા બાદ સીધા સેક્ટર-7 પોલીસ સ્ટેશન કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હજુ ત્રણ દિવસ ચાલશે. ગાંધીનગર FSLમા આરોપીઓને CBI તપાસ માટે લાવી છે. જેની સાથે લખનૌ પોલીસના 2 DYSPઅને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે આવ્યાં છે.


FSLના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે.આ તમામ ટેસ્ટ કરવા માટે FSLખાતે CBI આરોપીઓને લઈ પહોંચી હતી. હાલ બંને આરોપીઓ CBIની કસ્ટડીમાં છે. ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ કરી રહેલી CBI અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લીનરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. CBI હવે જરૂરી ઔપચારિકતા પૂરી કરીને બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવા ગાંધીનગર લાવી હતી.

ઉન્નાવ બળાત્કાર કેસ : ગાંધીનગર FSLમાં આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાયા

ગાંધીનગર સિવિલમાં બન્ને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે FSLની પ્રક્રિયા પુર્ણ થયા બાદ લાવવામાં આવ્યા હતાં. બે દિવસની FSLની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોપીઓનું પ્રાથમિક ધોરણનું ચેકઅપ કરાયા બાદ સીધા સેક્ટર-7 પોલીસ સ્ટેશન કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા.

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હજુ ત્રણ દિવસ ચાલશે. ગાંધીનગર FSLમા આરોપીઓને CBI તપાસ માટે લાવી છે. જેની સાથે લખનૌ પોલીસના 2 DYSPઅને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે આવ્યાં છે.

Intro:હેડીંગ) ઉન્નાવ બળાત્કાર કેસ : ગાંધીનગર FSLમા ટ્રક ડ્રાઇવર, કલીનરના નાર્કોટેસ્ટ કરાયા

ગાંધીનગર,

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માત મામલે સીબીઆઈની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી છે. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવનાર છે. આજે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં ડ્રાઈવર આશિષ પાલ અને ક્લિનર મોહન શ્રીનિવાસ બન્ને આરોપીઓના નાર્કો ટેસ્ટ ફિંગર પ્રિન્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મેડિકલ અને સાયકોલોજિ ટેસ્ટ થયા બાદ આરોપીઓની સંમતિ બાદ વધું નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. Body:એફએસએલના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે. આ તમામ ટેસ્ટ કરવા માટે સોમવારે એફએસએલ ખાતે સીબીઆઈ આરોપીઓને લઈ પહોંચી છે. હાલ બંને આરોપીઓ સીબીઆઈની કસ્ટડીમાં છે, ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ કરી રહેલ સીબીઆઈ અકસ્માત કરનાર ટ્રકના ચાલક અને ક્લીનરનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. સીબીઆઈ હવે જરૂરી ઔપચારિકતા પૂરી કરીને બંને આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરવા ગાંધીનગર લાવી છે. Conclusion:ગાંધીનગર સિવિલમાં બન્ને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સાંજે એફએસએલની પ્રક્રિયા પુર્ણ થયા બાદ લવાયા હતાં. બે દિવસની એફએસએલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારે સાંજે બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ બંને આરોપીઓનું પ્રાથમિક ધોરણનું ચેકઅપ કરાયું છે. ત્યારબાદ સીધા સેક્ટર-7 પોલીસ સ્ટેશન કસ્ટડીમાં લઈ જવાયા હતા.

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હજુ ત્રણ દિવસ ચાલશે .સીબીઆઈ દ્વારા રવિવાર આરોપીઓને ગાંધીનગર લવાયા હતા. રવિવાર અને સોમવાર બંને દિવસ પૂછપરછ અને બીજી પ્રક્રિયા બાદ સંપૂર્ણ ટેસ્ટની કામગીરી માટે હજુ ત્રણ દિવસ જેટલો સમય લાગશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગાંધીનગર એફએસએલમા આરોપીઓને સીબીઆઇ તપાસ માટે લઇને આવી છે. જેની સાથે લખનૌ પોલીસના 2 ડીવાયએસપી અને 4 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે આવ્યાં છે. ત્યારે સબ ઇન્સ્પેક્ટર રાત્રે પોલીસ સ્ટેશનમા આરામ ફરમાવતા હોવાની ફરીયાદ પણ કરવામા આવી છે.

નોંધ તમામ વિડિયો કલ્પેશ ભાઈ ને મોકલાવ્યા છે જેમણે એક ફોલ્ડર બનાવ્યુ છે
Last Updated : Aug 13, 2019, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.