ઘટનાની વિગતો પ્રમાણે પીંડારડામાં એસ્સાર પેટ્રોલ પંપ સામે રહેતાં મહેન્દ્રસિંહ વાઘેલાના 12 વર્ષીય પુત્ર દિગ્વીજસિંહ ગામમાં જ આવેલી હુડકો વસાહતમાં રહેતા પોતાના માસીના ઘરે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા ગયો હતો. પતંગ ચગાવતા-ચગાવતા તે ધાબા પરથી પસાર થતા 1100 કિલોવોટના હાઈટેન્સન વાયરને અડી તે અચાનક ધાબા પર ફેંકાઈ ગયો હતો.
અચાનક બનેલી ઘટનાથી પરિવારના લોકો દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં જ તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટ લઈ ગયા હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પેથાપુર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.