ETV Bharat / state

લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી : રાજીવ ગુપ્તા

author img

By

Published : Nov 18, 2020, 3:28 PM IST

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. જેને લઈને શહેરમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવાની વાતો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. પરંતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ આ વાત ફક્ત અફવા છે અને રાજ્યમાં કોઈ લોકડાઉન થવાનું નથી તેવી જાહેરાત કરી છે.

લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી : રાજીવ ગુપ્તા
લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી : રાજીવ ગુપ્તા
  • રાજ્યમાં અને અમદાવાદમાં લોકડાઉનની વાતો ફક્ત અફવા
  • સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
  • અમદાવાદમાં હજુ 40 ટકા કોવિડ બેડ ખાલી

ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ કોરોના ગાઈડલાઇન્સની અવગણના કરીને સામાજિક અંતરના લીરે લીરા ઉડાડયા હતા. તહેવારો બાદથી જ ગુજરાતમાં કોરોનાનો આંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી હતી ત્યારે દિવાળીના તહેવારો બાદ હવે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં કોરોના પોઝિટિવ કેસ વધુ સામે આવ્યા છે ત્યારે સોશીયલ મીડિયા રાજ્ય સરકાર ફરીથી અમદાવાદ શહેરમાં લોકડાઉન લાવશે તેવી વાતો વહેતી થઈ હતી.

લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી
લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી

જેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠકમાં રાજ્ય સરકારે આ બાબતે કોઈ જ પ્રકારના નિર્ણય કર્યો નથી અને લોકડાઉન થવાનું નથી તેવી જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા મેસેજ માત્ર અફવા

રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી છે કે સોશીયલ મીડિયામાં અમદાવાદ શહેરમાં લોકડાઉન થવાની વાતો વહેતી થઇ છે જે ફક્તને ફક્ત અફવાઓ જ છે તંત્ર દ્વારા લોકડાઉન મુદ્દે કોઇ જ વિચારણા કરવામાં આવી નથી જેથી લોકોને આવી અફવાથી પણ દૂર રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે..

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદીઓએ ઘરની બહાર નીકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા-ફરવા દરમિયાન માસ્ક પહેરવાનું, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું વગેરે કોવિડ પ્રોટોકોલની મહત્વની બાબતો સામે બેજવાબદારીભર્યું વર્તન રાખ્યું હતું તેમજ તહેવારોના દિવસો દરમિયાન બહારગામ જવાના અને બહારથી લોકો શહેરમાં પ્રવેશવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવર-જવર જેવી બાબતોને કારણે પણ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ કેસમાં વધારો થયો હોવાનું રાજ્યના સિનિયર અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા એ સ્વીકાર્યું છે..

અમદાવાદમાં 60 ટકા બેડ ભરાયા, હજુ 40 ટકા બેડ ખાલી

તહેવાર દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસો વધુ સામે આવ્યા છે ત્યારે અમદાવાદની કોરોનાની હોસ્પિટલોમાં જગ્યા ન હોવાની પણ વાત સામે આવી હતી જેમાં રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ 7279 પથારીઓ ઉપલબ્ધ છે તે પૈકી હાલમાં 2848 પથારીઓ ખાલી છે. જેમાં 2347 સરકારી હોસ્પિટલમાં અને 501 પથારી ખાનગી હોસ્પિટલમાં ખાલી છે.

અમદાવાદમાં 500 જેટલા દર્દીઓ પડોશી રાજ્યના

અમદાવાદ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા 500થી વધુ કોરોનાના દર્દીઓ ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી સારવાર લેવા માટે આવ્યા છે અને તેઓ એસવીપી હોસ્પીટલ, સિવિલ હોસ્પિટલ અસારવા, સોલા સિવિલ હોસ્પિટલ તથા અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

અમદાવાદમાં 200 જગ્યાએ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે

અમદાવાદમાં કોરોના ટેસ્ટ બાબતે રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરમાં 200 સ્થળોએ વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટિંગ ઉપલબ્ધ છે જેમાં અર્બન હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા થાય અને મોબાઈલ ટેસ્ટનો સમાવેશ થાય છે આમ શહેરમાં પ્રત્યેક બે ચોરસ કિલોમીટર વિસ્તારમાં કોરોના માટેની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત 20,000 જેટલા કોરોના વોરિયર્સ દિવસ-રાત સેવા આપી રહ્યા છે.

  • રાજ્યમાં અને અમદાવાદમાં લોકડાઉનની વાતો ફક્ત અફવા
  • સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
  • અમદાવાદમાં હજુ 40 ટકા કોવિડ બેડ ખાલી

ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ કોરોના ગાઈડલાઇન્સની અવગણના કરીને સામાજિક અંતરના લીરે લીરા ઉડાડયા હતા. તહેવારો બાદથી જ ગુજરાતમાં કોરોનાનો આંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી હતી ત્યારે દિવાળીના તહેવારો બાદ હવે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં કોરોના પોઝિટિવ કેસ વધુ સામે આવ્યા છે ત્યારે સોશીયલ મીડિયા રાજ્ય સરકાર ફરીથી અમદાવાદ શહેરમાં લોકડાઉન લાવશે તેવી વાતો વહેતી થઈ હતી.

લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી
લોકડાઉન એ માત્ર અફવા, અમદાવાદમાં હજુ 40 ટકા બેડ ખાલી

જેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠકમાં રાજ્ય સરકારે આ બાબતે કોઈ જ પ્રકારના નિર્ણય કર્યો નથી અને લોકડાઉન થવાનું નથી તેવી જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા મેસેજ માત્ર અફવા

રાજ્યના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી છે કે સોશીયલ મીડિયામાં અમદાવાદ શહેરમાં લોકડાઉન થવાની વાતો વહેતી થઇ છે જે ફક્તને ફક્ત અફવાઓ જ છે તંત્ર દ્વારા લોકડાઉન મુદ્દે કોઇ જ વિચારણા કરવામાં આવી નથી જેથી લોકોને આવી અફવાથી પણ દૂર રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે..

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું

દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદીઓએ ઘરની બહાર નીકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા-ફરવા દરમિયાન માસ્ક પહેરવાનું, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું વગેરે કોવિડ પ્રોટોકોલની મહત્વની બાબતો સામે બેજવાબદારીભર્યું વર્તન રાખ્યું હતું તેમજ તહેવારોના દિવસો દરમિયાન બહારગામ જવાના અને બહારથી લોકો શહેરમાં પ્રવેશવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવર-જવર જેવી બાબતોને કારણે પણ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ કેસમાં વધારો થયો હોવાનું રાજ્યના સિનિયર અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા એ સ્વીકાર્યું છે..

અમદાવાદમાં 60 ટકા બેડ ભરાયા, હજુ 40 ટકા બેડ ખાલી

તહેવાર દરમિયાન અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસો વધુ સામે આવ્યા છે ત્યારે અમદાવાદની કોરોનાની હોસ્પિટલોમાં જગ્યા ન હોવાની પણ વાત સામે આવી હતી જેમાં રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ 7279 પથારીઓ ઉપલબ્ધ છે તે પૈકી હાલમાં 2848 પથારીઓ ખાલી છે. જેમાં 2347 સરકારી હોસ્પિટલમાં અને 501 પથારી ખાનગી હોસ્પિટલમાં ખાલી છે.

અમદાવાદમાં 500 જેટલા દર્દીઓ પડોશી રાજ્યના

અમદાવાદ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા 500થી વધુ કોરોનાના દર્દીઓ ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી સારવાર લેવા માટે આવ્યા છે અને તેઓ એસવીપી હોસ્પીટલ, સિવિલ હોસ્પિટલ અસારવા, સોલા સિવિલ હોસ્પિટલ તથા અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

અમદાવાદમાં 200 જગ્યાએ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે

અમદાવાદમાં કોરોના ટેસ્ટ બાબતે રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરમાં 200 સ્થળોએ વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટિંગ ઉપલબ્ધ છે જેમાં અર્બન હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા થાય અને મોબાઈલ ટેસ્ટનો સમાવેશ થાય છે આમ શહેરમાં પ્રત્યેક બે ચોરસ કિલોમીટર વિસ્તારમાં કોરોના માટેની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત 20,000 જેટલા કોરોના વોરિયર્સ દિવસ-રાત સેવા આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.