ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 624 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 19 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 31,397 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 391 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનાં 624 કેસ નોંધાયા 391 થયા ડિસ્ચાર્જ, 19 મોત ગુજરાત કોરોના વાઇરસના કેસ ખૂબ જ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 198, સુરત મહાપાલિકા વિસ્તારમાં 174, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 44, વલસાડ 36, અમદાવાદ 13, પાટણ 11, ગાંધીનગર, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી 10-10, સુરત, મહેસાણા 8-8, બનાસકાંઠા, ભરુચ 7-7, રાજકોટ કોર્પોરેશન ખેડા જૂનાગઢ 6-6, ભાવનગર 5, જુનાગઢ કોર્પોરેશન, રાજકોટ, અરવલ્લી, નવસારી, મોરબી 4-4, ભાવનગર કોર્પોરેશન, સાબરકાંઠા, આણંદ, બોટાદ 3-3, જામનગર કોર્પોરેશન, પંચમહાલ, પોરબંદર 2-2, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, નર્મદા, તાપીમા 1-1 કેસ સામે આવ્યો છે. જ્યારે અન્ય રાજ્યમાંથી આજે 13 કેસ સામે આવ્યાં છે. જ્યારે 71 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1,809 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 20,480 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.