ETV Bharat / state

Gujarat Assembly 2022: ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર 1979 કાયદો રદ કરાયો

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022 )ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ 1979 રદ કરવા બાબતનો વિધેયક પસાર કર્યો હતો. વિધાનસાભામાં આ જુનો કાયદો રદ કરવામાં આવ્યો છે. જુના કાયદાની બધી જોગવાઈ ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ 2008માં પરીપૂર્ણ કરવામાં આવી છે. તેથી આ કાયદો રદ્દ કરવામાં આવ્યો છે.

author img

By

Published : Mar 30, 2022, 8:55 PM IST

Gujarat Assembly 2022: ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર 1979 કાયદો રદ કરાયો
Gujarat Assembly 2022: ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર 1979 કાયદો રદ કરાયો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં આજે રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ કુમાર મેંરજાએ ગૃહમાં ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ રદ કરવાનો અને ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ 1979 રદ કરવા(Repeal of the Unprotected Labor Act 1979) બાબતનો વિધેયક પસાર કર્યો હતો.

શું છે ઉદ્દેશ - ગુજરાત અરક્ષિત મંજૂરી કામદાર અધિનિયમ અન્વયે તેર પ્રકારના રોજગારોમાં કામે રાખેલા અરક્ષિત મજૂરી કામદારોના રોજગાર અને કલ્યાણના નિયમન કરવા માટે આ નિયમ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે વર્ષ 1981માં અમદાવાદ કાપડ બજાર અને દુકાનદાર બોર્ડના બોર્ડની રચના કરી હતી. અમદાવાદ શહેરના મર્યાદિત વિસ્તારો માટે કાપડ સંબંધિત ભરતી માટે કાપડ બજાર અથવા દુકાનના અરક્ષિત કામદાર યોજના પણ 1981માં ઘડી હતી ત્યારે આ નિયમ અમદાવાદ શહેરના કાપડ બજારના માત્ર સદરહુ વિસ્તારમાં અસંગઠિત કામદારોને જ લાગુ પડે છે.

2008માં સુધારો પસાર કરવામાં આવ્યો - વર્ષ 2008માં ભારતીય (Gujarat Unprotected Labor Act 2008)સંસ્થા દ્વારા અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમને ઉદ્દેશીને અસંગઠિત ક્ષેત્ર અને રજિસ્ટ્રેશન સામાજિક સુરક્ષા અર્થે કલ્યાણ પુરા પાડવાના છે ત્યારે કેન્દ્ર સરકારને તેમજ રાજ્ય સરકાર અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે આજીવન અશક્તતા વૃદ્ધત્વ ગૃહનિર્માણ શિક્ષણ અને રોજગાર વગેરે સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ કરવાની સત્તા આપવામાં આવી છે જેથી આ અધિનિયમ અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને લાગુ પડે છે જ્યારે આ કામ ના અમલીકરણ માટે ગુજરાત સરકારે વર્ષ 2011માં ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરી છે જેથી આજે 1979 અધિનિયમ રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે

2 કાયદા લાગુ થઈ શકે નહિ - ગુજરાત વિધાનસભામાં વર્ષ 2011માં પણ ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે 1979માં પણ આ રીતનો અધિનિયમ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે એક જ રાજ્યમાં બે અલગ અલગ કાયદાઓ લાગુ થઈ શકે નહીં તેને ધ્યાનમાં લઈને જે 1989 નો કાયદો અધિનિયમ રદ કરવામાં આવ્યો છે.

પી.ચિદમ્બરમ લોકસભામાં રદ કર્યા હતો નિયમ - વિરજી ઠુમ્મરે વિધાનસભાગૃહમાં આ બીલના રાજ બાબતે નિવેદન કર્યું હતું કે જે તે સમયે હું લોકસભામાં સાંસદ હતો ત્યારે તે સમયે ચિદમ્બરમ દ્વારા લોકસભામાં આ નિયમ રદ્દ કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત સરકાર આજે રદ કરવા જઈ રહી છે. જે સમયે આ નિયમ ભંગ થયો ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજા કોંગ્રેસ સાથે હતા અને આજે તેઓ ભાજપમાં પ્રધાન છે ત્યારે હજી પણ તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે તેવી ટકોર પણ વિધાનસભા ગૃહમાં કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં આજે રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ કુમાર મેંરજાએ ગૃહમાં ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ રદ કરવાનો અને ગુજરાત અરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ 1979 રદ કરવા(Repeal of the Unprotected Labor Act 1979) બાબતનો વિધેયક પસાર કર્યો હતો.

શું છે ઉદ્દેશ - ગુજરાત અરક્ષિત મંજૂરી કામદાર અધિનિયમ અન્વયે તેર પ્રકારના રોજગારોમાં કામે રાખેલા અરક્ષિત મજૂરી કામદારોના રોજગાર અને કલ્યાણના નિયમન કરવા માટે આ નિયમ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે વર્ષ 1981માં અમદાવાદ કાપડ બજાર અને દુકાનદાર બોર્ડના બોર્ડની રચના કરી હતી. અમદાવાદ શહેરના મર્યાદિત વિસ્તારો માટે કાપડ સંબંધિત ભરતી માટે કાપડ બજાર અથવા દુકાનના અરક્ષિત કામદાર યોજના પણ 1981માં ઘડી હતી ત્યારે આ નિયમ અમદાવાદ શહેરના કાપડ બજારના માત્ર સદરહુ વિસ્તારમાં અસંગઠિત કામદારોને જ લાગુ પડે છે.

2008માં સુધારો પસાર કરવામાં આવ્યો - વર્ષ 2008માં ભારતીય (Gujarat Unprotected Labor Act 2008)સંસ્થા દ્વારા અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમને ઉદ્દેશીને અસંગઠિત ક્ષેત્ર અને રજિસ્ટ્રેશન સામાજિક સુરક્ષા અર્થે કલ્યાણ પુરા પાડવાના છે ત્યારે કેન્દ્ર સરકારને તેમજ રાજ્ય સરકાર અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે આજીવન અશક્તતા વૃદ્ધત્વ ગૃહનિર્માણ શિક્ષણ અને રોજગાર વગેરે સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ કરવાની સત્તા આપવામાં આવી છે જેથી આ અધિનિયમ અસંગઠિત ક્ષેત્રના તમામ કામદારોને લાગુ પડે છે જ્યારે આ કામ ના અમલીકરણ માટે ગુજરાત સરકારે વર્ષ 2011માં ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરી છે જેથી આજે 1979 અધિનિયમ રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે

2 કાયદા લાગુ થઈ શકે નહિ - ગુજરાત વિધાનસભામાં વર્ષ 2011માં પણ ગુજરાત રાજ્ય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે 1979માં પણ આ રીતનો અધિનિયમ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે એક જ રાજ્યમાં બે અલગ અલગ કાયદાઓ લાગુ થઈ શકે નહીં તેને ધ્યાનમાં લઈને જે 1989 નો કાયદો અધિનિયમ રદ કરવામાં આવ્યો છે.

પી.ચિદમ્બરમ લોકસભામાં રદ કર્યા હતો નિયમ - વિરજી ઠુમ્મરે વિધાનસભાગૃહમાં આ બીલના રાજ બાબતે નિવેદન કર્યું હતું કે જે તે સમયે હું લોકસભામાં સાંસદ હતો ત્યારે તે સમયે ચિદમ્બરમ દ્વારા લોકસભામાં આ નિયમ રદ્દ કરવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત સરકાર આજે રદ કરવા જઈ રહી છે. જે સમયે આ નિયમ ભંગ થયો ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજા કોંગ્રેસ સાથે હતા અને આજે તેઓ ભાજપમાં પ્રધાન છે ત્યારે હજી પણ તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે તેવી ટકોર પણ વિધાનસભા ગૃહમાં કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.