ETV Bharat / state

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, અમિત શાહ રહ્યા હાજર

author img

By

Published : Jan 11, 2020, 10:00 PM IST

Updated : Jan 11, 2020, 11:46 PM IST

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પદવી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના નેતા સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ગાંધીનગર
ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં કુલ 61 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, અમિત શાહ રહ્યા હાજર

આ સાથે જ અમિત શાહ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે," આજે જે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ રહી છે, તે નસીબદાર વિદ્યાર્થીઓ છે. કારણ કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું સમગ્ર જીવંત શિક્ષણમાં જ રહ્યું છે અને આવા વ્યક્તિના હસ્તે ડિગ્રી મળે તે ખૂબ મોટી વાત છે."

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો

આજે યોજાયેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં 61,000 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. જેમાં 113 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. સાથે જ 39 જેટલા વિદ્યાર્થીઓને ph.Dની ડિગ્રી આપવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં કુલ 61 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, અમિત શાહ રહ્યા હાજર

આ સાથે જ અમિત શાહ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે," આજે જે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ રહી છે, તે નસીબદાર વિદ્યાર્થીઓ છે. કારણ કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું સમગ્ર જીવંત શિક્ષણમાં જ રહ્યું છે અને આવા વ્યક્તિના હસ્તે ડિગ્રી મળે તે ખૂબ મોટી વાત છે."

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો

આજે યોજાયેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં 61,000 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. જેમાં 113 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. સાથે જ 39 જેટલા વિદ્યાર્થીઓને ph.Dની ડિગ્રી આપવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

Intro:approved by panchal sir

નોંધ : લાઈવ માંથી અમિત શાહ ની બાઈટ લેવી..


ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આજે દેશના ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવમાં પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં અમિત શાહ વિદ્યાર્થીઓને ખાસ સૂચન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તમે વિદેશી ભાષા શીખો પણ કોઇ વિદેશી આપણું ઉપયોગ ન કરે તે ધ્યાન રાખજો સાથે જ આપણી ભાષા લુપ્ત ના થવી જોઇએ તે અંગેની પણ શિખામણ અમિત શાહે વિદ્યાર્થીઓને આપી હતી..


Body:ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ના નવમા પદવીદાન સમારોહમાં કુલ 61 હજારથી વધુ વિદ્યાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.આ સાથે જ અમિત શાહ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે જે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ રહી છે તે નસીબદાર વિદ્યાર્થીઓ છે કારણ કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય નું સમગ્ર જીવંત શિક્ષણ માં જ રહ્યું છે અને આવા વ્યક્તિના આજથી ડિગ્રી મળે તે વાત સારી કહેવાય, આ સાથે જ તમામ વિદ્યાર્થીઓને વિવેકાનંદને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ તેમને જાણવા જોઈએ તેમના વિચારો અપનાવવા જોઈએ જેથી આવનારી તમામ સમસ્યાઓનું નિવારણ થઈ શકે આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષા અને શિક્ષણની શક્તિ નું જ્ઞાન વિદ્યાર્થીઓને નહીં હોય ત્યાં સુધી તેઓ કંઈ જ નહીં કરી શકે..

ઉપરાંત સાહેબ પોતાના ભૂતકાળના દિવસોની યાદ કરીને જણાવ્યું હતું કે હંમેશા મોટો લક્ષ્ય રાખો નાનું લક્ષ્ય રાખો નહીં જ્યારે નાનો લક્ષ રાખશો તો તમે કોઈપણ સમયે મુશ્કેલી પરિસ્થિતિમાં આવશો તો તે સમયગાળો ખૂબ જ મોટો હશે પરંતુ લોકો માટે વિચારો અને ત્યારબાદ તેઓ લક્ષ્ય રાખો તેવા નિવેદન આમિત શાહે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પદવીદાન સમારોહમાં અમિત શાહ જાહેરાત કરી હતી કે લેકાવાડા ગામ માં જીટીયુ નું નવું બિલ્ડિંગ બનશે જેમાં ૧૦૦ એકર જમીનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રિસર્ચ લેબ અને તમામ પ્રકારની સુવિધાથી સજ્જ નવું કોમ્પલેક્ષ પણ પ્રાપ્ત થશે...




Conclusion:આજે યોજાયેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં ૬૧,૦૦૦ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી જેમાં ૧૧૩ જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ 39 જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી.. પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા...
Last Updated : Jan 11, 2020, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.