મોંઘવારી ભથ્થા બાબત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મોંઘવારી ભથ્થુ ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2019ના જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ચુકવણું કરવામાં આવ્યું ન હતું, જે ચુકવણું 1 જુલાઈથી બાકીનું તમામ ચુકવણું એકસાથે કરી દેવામાં આવશે. જેમાં રાજ્યના કુલ 9,61,638 જેટલા કર્મચારીઓ તથા પેન્શનરોને લાભ મળશે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1071 કરોડનો વધારાનો ખર્ચ થશે.
રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને મળશે 3 ટકા મોંઘવારી ભથ્થું, સરકારી તિજોરી પર વાર્ષિક 1071 કરોડનો ખર્ચ વધશે
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થાનો 1 જાન્યુઆરી 2019થી અમલ કરી દીધો હતો. જેનું ચુકવણું રાજ્ય સરકાર જુલાઈ માસના પગાર સાથે કરશે. રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.
આમ રાજય સરકાર દ્વારા આજે મહત્વના બે નિર્ણયો કરવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા DA અને ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોને પગાર વધારો કરી આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને તેમનો ચુકવણું રોકડમાં જ ચૂકવી દેવામાં આવશે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ 2019ના પગારની ચુકવણી સાથે આ 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો 1 જાન્યુઆરીથી ગણીને જુલાઇ 2019ના પગાર સાથે તેનું એકસાથે ચુકવણું કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થા બાબત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મોંઘવારી ભથ્થુ ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2019ના જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ચુકવણું કરવામાં આવ્યું ન હતું, જે ચુકવણું 1 જુલાઈથી બાકીનું તમામ ચુકવણું એકસાથે કરી દેવામાં આવશે. જેમાં રાજ્યના કુલ 9,61,638 જેટલા કર્મચારીઓ તથા પેન્શનરોને લાભ મળશે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1071 કરોડનો વધારાનો ખર્ચ થશે.
આમ રાજય સરકાર દ્વારા આજે મહત્વના બે નિર્ણયો કરવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા DA અને ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોને પગાર વધારો કરી આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને તેમનો ચુકવણું રોકડમાં જ ચૂકવી દેવામાં આવશે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ 2019ના પગારની ચુકવણી સાથે આ 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો 1 જાન્યુઆરીથી ગણીને જુલાઇ 2019ના પગાર સાથે તેનું એકસાથે ચુકવણું કરવામાં આવશે.
રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફિક્સ પગાર ધરાવતા શિક્ષકો માટે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોને પગારમાં નોંધપાત્ર વધારો કરીને સમાન વેતન આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ના 4835 શિક્ષકો, માધ્યમિક શિક્ષણ સહાયકના 1774 શિક્ષકોને પગાર વધારાનો લાભ મળશે.
Body:આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ફિક્સ વેતનથી ફરજ બજાવતા કર્મચારીઓના વેતનમાં વખતો વખત વધારો કર્યો છે અને છેલ્લે સાતમા પગાર પંચમાં સ્કેલ scale ના ધોરણે મંજુર થયેલ પગાર ધોરણના નિયમ પગાર સમકક્ષ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓને પગાર નો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો તેને કર્મચારીઓ દ્વારા બહોળો આવકાર મળ્યો હતો ત્યારે ફિક્સ પગાર ધરાવતા ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પગારમાં રાજ્ય સરકારે નોંધપાત્ર વધારો કર્યો છે જેમાં ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકોને માસિક રૂ 31340 તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને 38,090 પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રાજ્ય સરકારને વધારાના રૂપિયા 78.70 કરોડનું ભારણ પડશે, જ્યારે આ પગાર વધારો 1 એપ્રિલ 2019 ના દિવસથી ગણવામાં આવશે.
બાઈટ...
નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન
Conclusion:આમ રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વના બે નિર્ણયો કરવામાં આવ્યા હતા જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા ડી એ અને ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોને પગાર વધારો કરી આપવામાં આવ્યો છે....