ETV Bharat / state

સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ જેવા જાહેર સ્થળોએ પબ્લિક જવાનું ટાળે : રાજ્ય DGP

author img

By

Published : May 3, 2020, 8:00 PM IST

ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસનું વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા રેડ ઝોનના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોર્ડન અને બેરિકેટિંગ કરી લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા એક જ એન્ટ્રી અને એક્ઝિટ રાખવામાં આવેલી છે. કોરોના વાઇરસ ફેલાવતા સુપર સ્પ્રેડર્સના લીધે સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવવાની શક્યતાવાળા શાકમાર્કેટ સહિતના જાહેર સ્થળોને પણ કોર્ડન કરી લોકોની અવરજવર રોકવામાં આવશે.

સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ જેવા જાહેર સ્થળોએ પબ્લિક જવાનું ટાળે : રાજ્ય DGP
સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ જેવા જાહેર સ્થળોએ પબ્લિક જવાનું ટાળે : રાજ્ય DGP

ગાંધીનગરઃ શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો પાસે ખરીદી કરતી વખતે લોકો દ્વારા ખોટી ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પબ્લિક એડ્રેસ-માઈકના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ પણ કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં નવીબંદર ખાતે ગત 30 એપ્રિલના રોજ પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગો કરી દેવાયો છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે 21 ગુના નોંધી 47 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ જેવા જાહેર સ્થળોએ પબ્લિક જવાનું ટાળે : રાજ્ય DGP

રાજ્યમાં વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ દાખલ થયા છે. જેમા ડ્રોનના સર્વેલન્સથી 292 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 10968 ગુના દાખલ કરીને 20850 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 126 ગુના નોંધીને 143 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં રાજ્યભરમાંથી 2364 ગુના નોંધી 3443 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે શનિવારના રોજ 33 ગુનામાં 45 લોકોની અટકાયત કરી છે, જ્યારે રવિવાર સુધીમાં 493 ગુનાઓ દાખલ કરીને 767 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગાંધીનગરઃ શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો પાસે ખરીદી કરતી વખતે લોકો દ્વારા ખોટી ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પબ્લિક એડ્રેસ-માઈકના માધ્યમથી ભીડ ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા નાગરિકોને જાણ પણ કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં નવીબંદર ખાતે ગત 30 એપ્રિલના રોજ પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગો કરી દેવાયો છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસકર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે 21 ગુના નોંધી 47 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુપર સ્પ્રેડર્સની શક્યતાવાળા શાકમાર્કેટ જેવા જાહેર સ્થળોએ પબ્લિક જવાનું ટાળે : રાજ્ય DGP

રાજ્યમાં વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ દાખલ થયા છે. જેમા ડ્રોનના સર્વેલન્સથી 292 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 10968 ગુના દાખલ કરીને 20850 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 126 ગુના નોંધીને 143 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં રાજ્યભરમાંથી 2364 ગુના નોંધી 3443 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે શનિવારના રોજ 33 ગુનામાં 45 લોકોની અટકાયત કરી છે, જ્યારે રવિવાર સુધીમાં 493 ગુનાઓ દાખલ કરીને 767 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.