ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપ સુરાજ્ય સભાની ચૂંટણીમાં જોડતોડ નીતિ અપનાવી રહી છે. તેમણે પોતાના 5 ધારાસભ્યોના રાજીનામાં મામલે ભાજપ પર સીધો આક્ષેપ કરતાં જણાવ્યું કે, CM વિજય રૂપાણીના બંગલે ત્રાજવું મૂકવામાં આવ્યું હતું.
ભાજપે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગુલાબી નોટોથી ખરીદી લોકોના વિશ્વાસ સાથે ચેડા કર્યા છે. તેઓ આ પ્રકારની રાજનીતિ રમી રહ્યા છે. તેનાથી પ્રજામાં ભાજપ પર રોષ ફેલાયો છે. તેમને પ્રજા જરૂર જવાબ આપશે. પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે, ભાજપની મનસા ક્યારે પૂરી નહીં થાય અમારા ઉમેદવારો બંને પૂરતા વોટો સાથી વિજય થશે.