ગાંધીનગર : રાજ્યસભામાં ભાજપ દ્વારા ત્રણ અને કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે કોંગ્રેસના બે ઉમેદવાર જીતી શકે તેમ હતું, પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. તેને લઈને હવે કોંગ્રેસના બે ઉમેદવારને વિજયી બનવું મુશ્કેલ છે. તેવા સમયે ભાજપ દ્વારા આજે બુધવારે સેક્ટર 12 ઉમિયા ભવન ખાતે વિધાયક દળની બેઠક બોલાવી હતી. જેમાં ધારાસભ્યોને એકડા બગડાની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ઉમેદવારોને મત કેવી રીતે આપવા તેની પ્રેકટિકલ માહિતી આપવામાં આવી હતી.
ભાજપના ધારાસભ્યોની બેઠક મળી બીજી તરફ બેઠકમાં ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અને વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ ગેરહાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયાની સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે 15 રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. જેમાં લદાખમાં સૈનિકો સાથે થયેલા ઘર્ષણને લઈને કહ્યું કે આપણા દેશના સૈનિકો દુશ્મન દેશના સૈનિકોને મારવા જતાં ઘાયલ થઈને શહીદ થયા છે. બેઠકની શરૂઆતમાં શહીદ થયેલા સૈનિકો માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. બીજી તરફ તેમણે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ થશે તેવો પણ સંકેત આપ્યો હતો. આ વચ્ચે નીતિન પટેલે કહ્યું કે અન્ય ધારાસભ્યો પણ અમને મત આપશે.
ભાજપના ધારાસભ્યોની બેઠક મળી