ETV Bharat / state

કોરોના વાઈરસના પગલે દેવભૂમિ દ્વારકામાં કલમ 144 લાગુ કરાઈ - Devbhumi Dwarka news

દેવભૂમિ દ્વારકામાં તારીખ 20 માર્ચથી નોવેલ કોરોના વાઈરસને વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓ જોવા મળતા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ નરેન્‍દ્રકુમાર મીનાને મળેલી સત્તાની રૂએ કેટલાક આદેશ જારી કર્યા છે.

dwarka
dwarka
author img

By

Published : Mar 21, 2020, 8:23 AM IST

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના સમગ્ર વિસ્તારમા તાત્કાલીક અસરથી 31 માર્ચ સુધી સબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ, તેમજ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી ગાઇડ મુજબ કોઇપણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, કે મેળાવડા કે લોકમેળાની પરવાનગી તાત્‍કાલીક અસરથી રદ ગણવાની રહેશે. તેમજ કોઇપણ જગ્‍યાએ કોઇપણ હેતુ / પ્રસંગ માટે ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહિ.
મોલ, મલ્‍ટીપેકસ, સિનેમા અને નાટયગૃહો કે જીમ, સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, સ્‍વિમીંગ પુલ, ડાંસ કલાસીસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ જયાં મોટી સંખ્‍યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્‍થળો જાહેર જનતા માટે બંધ રાખવા. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ તથા ટયુશન કલાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું.

કોરોના વાઈરસના પગલે દેવભૂમિ દ્વારકામાં કલમ 144 લાગુ કરાઈ
આ ઉપરાંત તમામ પ્રકારની હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ખાણીપીણીના સ્‍થળો, મીઠાઇ ફરસાણની દુકાન, ભોજનાલય, પાનના ગલા, ટી શોપ તથા ખાનગી સ્‍થળો કે જયાં મોટી સંખ્‍યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્‍થળોના સંચાલકોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ સેનીટાઇઝેશન તેમજ હાઇજીનની જરૂરી વ્‍યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે.કોઇપણ વ્‍યક્તિ / સંસ્‍થાએ કોરોના વાઈરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા અથવા પ્રિન્‍ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્‍લા 14 દિવસોમાં જો કોઇ વ્‍યક્તિએ કોરોના વાયરસથી અસરગ્રસ્‍ત વિસ્‍તાર/ દેશની મુલાકાત લીધેલી હોય તો તેવા કિસ્‍સામાં તે અંગેની જાણ નજીકની સરકારી હૉસ્‍પિટલ અથવા ટોલ ફ્રી હેલ્‍પલાઇન નંબર 104 પર ફરજીયાત કરવાની રહેશે.

આ હુકમ સરકારી ફરજ પરના કર્મચારી અથવા સરકારી કામગીરીમાં હોય તેવા સુરક્ષાકર્મીઓ કે અન્‍ય સરકારી અથવા અર્ધસરકારી એજન્‍સી તેમજ આરોગ્‍યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા હોય તેને લાગુ પડશે નહી. અન્‍યથા હુકમનો ભંગ થયે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા : જિલ્લાના સમગ્ર વિસ્તારમા તાત્કાલીક અસરથી 31 માર્ચ સુધી સબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ, તેમજ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી ગાઇડ મુજબ કોઇપણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, કે મેળાવડા કે લોકમેળાની પરવાનગી તાત્‍કાલીક અસરથી રદ ગણવાની રહેશે. તેમજ કોઇપણ જગ્‍યાએ કોઇપણ હેતુ / પ્રસંગ માટે ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહિ.
મોલ, મલ્‍ટીપેકસ, સિનેમા અને નાટયગૃહો કે જીમ, સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, સ્‍વિમીંગ પુલ, ડાંસ કલાસીસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ જયાં મોટી સંખ્‍યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્‍થળો જાહેર જનતા માટે બંધ રાખવા. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ તથા ટયુશન કલાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું.

કોરોના વાઈરસના પગલે દેવભૂમિ દ્વારકામાં કલમ 144 લાગુ કરાઈ
આ ઉપરાંત તમામ પ્રકારની હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ખાણીપીણીના સ્‍થળો, મીઠાઇ ફરસાણની દુકાન, ભોજનાલય, પાનના ગલા, ટી શોપ તથા ખાનગી સ્‍થળો કે જયાં મોટી સંખ્‍યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્‍થળોના સંચાલકોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ સેનીટાઇઝેશન તેમજ હાઇજીનની જરૂરી વ્‍યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે.કોઇપણ વ્‍યક્તિ / સંસ્‍થાએ કોરોના વાઈરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા અથવા પ્રિન્‍ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્‍લા 14 દિવસોમાં જો કોઇ વ્‍યક્તિએ કોરોના વાયરસથી અસરગ્રસ્‍ત વિસ્‍તાર/ દેશની મુલાકાત લીધેલી હોય તો તેવા કિસ્‍સામાં તે અંગેની જાણ નજીકની સરકારી હૉસ્‍પિટલ અથવા ટોલ ફ્રી હેલ્‍પલાઇન નંબર 104 પર ફરજીયાત કરવાની રહેશે.

આ હુકમ સરકારી ફરજ પરના કર્મચારી અથવા સરકારી કામગીરીમાં હોય તેવા સુરક્ષાકર્મીઓ કે અન્‍ય સરકારી અથવા અર્ધસરકારી એજન્‍સી તેમજ આરોગ્‍યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા હોય તેને લાગુ પડશે નહી. અન્‍યથા હુકમનો ભંગ થયે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.