ETV Bharat / state

સાપુતારા તોરણ હોટલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ

author img

By

Published : Jan 12, 2020, 4:54 AM IST

ડાંગઃ જિલ્લાના ગિરીમથક સાપુતારા (તોરણ હોટલ) ખાતે રાજ્યના વન અને આદિજાતિ વિકાસપ્રધાન અને ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને ડાંગ કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની કામગીરી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

district administration was held
સાપુતારા તોરણ હોટલ

પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લા આયોજન મંડળ, એ.ટી.વી.ટી, મનરેગા, ટ્રાઈબલ સબ પ્લાન, રસ્તા, આવાસ, સિંચાઈ, ખેતી-પશુપાલનના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, દરેક અમલીકરણ અધિકારીઓએ તેમના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કરી લોકોને ફાયદાકારક કામ થાય તે જોવાનું રહેશે. આ તમામ કામો 31 માર્ચ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવું અને આગામી સમયમાં પૂર્ણ થનાર કામોનું જિલ્લા કક્ષાએ સીએમ ડેશબોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરાવવાની રહેશે. જ્યાં દરેક જિલ્લાઓ કયા નંબર ઉપર છે તેનું સતત મોનીટરીંગ થાય છે.

વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક
વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક

ડાંગ કલેકટર એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને ગુણવત્તાસભર કામો કરવા તાકીદ કરી હતી. વધુમાં બાકી રહેતા કામોની વિગતો મેળવી તમામ અધિકારીઓને કામો પ્રત્યે ગંભીર બની સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. મનરેગા હેઠળ તમામ ગામોના લોકોનો સંપર્ક કરી વધુ લોકોને રોજગારી અપાય તે જોવાનું રહેશે.

વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક
વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક

નિવાસી અધિક કલેકટર અને જિલ્લા આયોજન અધિકારી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે, એ.ટી.વી.ટીના વર્ષ 2018-19ના કુલ 280 કામોમાંથી 256 પૂર્ણ થયેલ છે. જ્યારે વિકાસશીલ તાલુકા વર્ષ 2019-20 ના કુલ 108 કામોમાંથી 35 પૂર્ણ કરાયા છે. વિવેકાધિન જોગવાઈના કુલ 20 કામોમાંથી 18 પૂર્ણ થયેલ છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ 2019-20ના કુલ 181 કામો પૈકી 149 પૂર્ણ કરેલ છે. મનરેગા હેઠળ કુલ રૂપિયા 30 કરોડનું ચૂકવણુ કરવામાં આવેલ છે.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષકો અગ્નૈશ્વર વ્યાસ, દિનેશ રબારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત સહિત તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લા આયોજન મંડળ, એ.ટી.વી.ટી, મનરેગા, ટ્રાઈબલ સબ પ્લાન, રસ્તા, આવાસ, સિંચાઈ, ખેતી-પશુપાલનના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, દરેક અમલીકરણ અધિકારીઓએ તેમના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કરી લોકોને ફાયદાકારક કામ થાય તે જોવાનું રહેશે. આ તમામ કામો 31 માર્ચ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવું અને આગામી સમયમાં પૂર્ણ થનાર કામોનું જિલ્લા કક્ષાએ સીએમ ડેશબોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરાવવાની રહેશે. જ્યાં દરેક જિલ્લાઓ કયા નંબર ઉપર છે તેનું સતત મોનીટરીંગ થાય છે.

વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક
વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક

ડાંગ કલેકટર એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને ગુણવત્તાસભર કામો કરવા તાકીદ કરી હતી. વધુમાં બાકી રહેતા કામોની વિગતો મેળવી તમામ અધિકારીઓને કામો પ્રત્યે ગંભીર બની સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. મનરેગા હેઠળ તમામ ગામોના લોકોનો સંપર્ક કરી વધુ લોકોને રોજગારી અપાય તે જોવાનું રહેશે.

વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક
વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક

નિવાસી અધિક કલેકટર અને જિલ્લા આયોજન અધિકારી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે, એ.ટી.વી.ટીના વર્ષ 2018-19ના કુલ 280 કામોમાંથી 256 પૂર્ણ થયેલ છે. જ્યારે વિકાસશીલ તાલુકા વર્ષ 2019-20 ના કુલ 108 કામોમાંથી 35 પૂર્ણ કરાયા છે. વિવેકાધિન જોગવાઈના કુલ 20 કામોમાંથી 18 પૂર્ણ થયેલ છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ 2019-20ના કુલ 181 કામો પૈકી 149 પૂર્ણ કરેલ છે. મનરેગા હેઠળ કુલ રૂપિયા 30 કરોડનું ચૂકવણુ કરવામાં આવેલ છે.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષકો અગ્નૈશ્વર વ્યાસ, દિનેશ રબારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત સહિત તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ગિરીમથક સાપુતારા ( તોરણ હોટલ) ખાતે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી અને ડાંગ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં જીલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની કામગીરી સમીક્ષા બેઠક યોજાઇ હતી.Body:
પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે જિલ્લા આયોજન મંડળ,એ.ટી.વી.ટી.,મનરેગા,ટ્રાઈબલ સબ પ્લાન,રસ્તા,આવાસ,સિંચાઈ,ખેતી-પશુપાલન ના કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે દરેક અમલીકરણ અધિકારીઓએ તેમના કામો સમયસર પૂર્ણ કરવાના રહેશે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કરી લોકોને ફાયદાકારક કામ થાય તે જોવાનું રહેશે. તમામ કામો ૩૧ માર્ચ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવું અને આગામી સમયમાં પૂર્ણ થનાર કામોનું જિલ્લા કક્ષાએ સીએમ ડેશબોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી કરાવવાની રહેશે. જ્યાં દરેક જિલ્લાઓ કયા નંબર ઉપર છે તેનું સતત મોનીટરીંગ થાય છે.
ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને ગુણવત્તાસભર કામો કરવા તાકીદ કરી હતી. વધુમાં બાકી રહેતા કામોની વિગતો મેળવી તમામ અધિકારીશ્રીઓને કામો પ્રત્યે ગંભીર બની સત્વરે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. મનરેગા હેઠળ તમામ ગામોના લોકોનો સંપર્ક કરી વધુ લોકોને રોજગારી અપાય તે જોવાનું રહેશે.
નિવાસી અધિક કલેકટર અને જિલ્લા આયોજન અધિકારી શ્રી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે એ.ટી.વી.ટી.ના વર્ષ ૨૦૧૮-૧૯ ના કુલ ૨૮૦ કામો માંથી ૨૫૬ પૂર્ણ થયેલ છે. જ્યારે વિકાસશીલ તાલુકા વર્ષ ૨૦૧૯-૨૦ ના કુલ ૧૦૮ કામોમાંથી ૩૫ પૂર્ણ કરાયા છે.વિવેકાધિન જોગવાઈના કુલ ૨૦ કામોમાંથી ૧૮ પૂર્ણ થયેલ છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ ના કુલ ૧૮૧ કામો પૈકી ૧૪૯ પૂર્ણ કરેલ છે. મનરેગા હેઠળ કુલ રૂા.૩૦ કરોડનું ચૂકવણુ કરવામાં આવેલ છે.
Conclusion:આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રીઓ અગ્નૈશ્વર વ્યાસ,દિનેશ રબારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ડી.આર.અસારી,પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા,પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જી.એ.પટેલ,પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત સહિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.