ETV Bharat / state

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે

author img

By

Published : Feb 16, 2020, 11:41 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવશે. સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવાઇમાર્ગે દમણ કોસ્ટ ગાર્ડ ખાતે ઉતરાણ કરશે. 10:30 વાગ્યે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજીત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

daman
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિકાસના કાર્યોનું દમણમાં કરશે લોકાર્પણ

દમણઃ રાષ્ટ્રપતિ કાર્યક્રમ સ્થળે સૌપ્રથમ ઉપસ્થિતમાં જાહેર જનતાને સંબોધન કરશે. જે બાદ દમણમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે.

નાની દમણ મરવડ સરકારી હોસ્પિટલમાં બનનારી 300 બેડની હોસ્પિટલ, જેટી ગાર્ડન, જમપોર ખાતે બનનાર પક્ષીઘર, પંચાયતના આંતરીક રસ્તાઓનું નવીનીકરણ, કોલક નદી પર નવો બ્રિજ, આયુષ્માન ભારત યોજના અંતર્ગત બનેલા 7 હેલ્થ વેલનેસ સેન્ટર, ડાભેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ, સૂર્યોદય આવાસ યોજના હેઠળ 40 લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવાનું, સેલવાસના બીલધરી રિવર બ્રિજનું લોકાર્પણ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિકાસના કાર્યોનું દમણમાં કરશે લોકાર્પણ
સાંજે 4:00 વાગ્યે મોટી દમણ જેટીથી જમપોર બીચ માર્ગનું લોકાર્પણ કર્યા બાદએ માર્ગની મુલાકાત લેશે. અને ત્યાંથી સેલવાસ જવા રવાના થશે. સેલવાસમાં સાંજે દમણગંગા રિવરફ્રન્ટ પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.

જે દરમિયાન સંઘપ્રદેશના VIP 50 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જે લોકો જ રાષ્ટ્રપતિને મળી શકશે. આ કાર્યક્રમના કવરેજથી મીડિયાને પણ બાકાત રખાયું છે. તે બાદ દમણગંગા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. 18મી ફેબ્રુઆરીએ સવારે સેલવાસથી સુરત જવા રવાના થશે.

દમણઃ રાષ્ટ્રપતિ કાર્યક્રમ સ્થળે સૌપ્રથમ ઉપસ્થિતમાં જાહેર જનતાને સંબોધન કરશે. જે બાદ દમણમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે.

નાની દમણ મરવડ સરકારી હોસ્પિટલમાં બનનારી 300 બેડની હોસ્પિટલ, જેટી ગાર્ડન, જમપોર ખાતે બનનાર પક્ષીઘર, પંચાયતના આંતરીક રસ્તાઓનું નવીનીકરણ, કોલક નદી પર નવો બ્રિજ, આયુષ્માન ભારત યોજના અંતર્ગત બનેલા 7 હેલ્થ વેલનેસ સેન્ટર, ડાભેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ, સૂર્યોદય આવાસ યોજના હેઠળ 40 લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવાનું, સેલવાસના બીલધરી રિવર બ્રિજનું લોકાર્પણ સહિતના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિકાસના કાર્યોનું દમણમાં કરશે લોકાર્પણ
સાંજે 4:00 વાગ્યે મોટી દમણ જેટીથી જમપોર બીચ માર્ગનું લોકાર્પણ કર્યા બાદએ માર્ગની મુલાકાત લેશે. અને ત્યાંથી સેલવાસ જવા રવાના થશે. સેલવાસમાં સાંજે દમણગંગા રિવરફ્રન્ટ પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.

જે દરમિયાન સંઘપ્રદેશના VIP 50 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જે લોકો જ રાષ્ટ્રપતિને મળી શકશે. આ કાર્યક્રમના કવરેજથી મીડિયાને પણ બાકાત રખાયું છે. તે બાદ દમણગંગા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. 18મી ફેબ્રુઆરીએ સવારે સેલવાસથી સુરત જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.