ETV Bharat / state

વાપીમાં જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન - દમણ ન્યુઝ

દમણઃ સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતિ નિમિત્તે વલસાડના વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અવેલા બાપાના સંસ્થાન પર ભવ્ય મહાપ્રસાદ, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો, વહેલી સવારથી જ બાપાના ભક્તો મોટી સંખ્યા બાપાના દર્શને ઉમટી રહ્યા છે.

વાપીમાં જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન
author img

By

Published : Nov 3, 2019, 12:51 PM IST

'દેને કો ટૂકડા ભલા લેને કો હરિ નામ' આ સૂત્રને જીવનમંત્ર બનાવનારાં પૂજ્ય સંત જલારામ બાપાની 220મી જન્મજયંતિની વલસાડ, સહીત સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં આનંદભેર ઉજવણી થઈ રહી છે. વાપીમાં આવેલાં જલારામ સંસ્થાન ખાતે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ, સત્યનારાયણ ભગવાનની કથા, બપોરથી સાંજના પાંચ વાગ્યા સુધી ભજન સાંજે 6 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 6 વાગ્યા બાદ અંદાજિત 15 હજાર ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરશે. જે માટે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી-કઢી, સેવ-ગાંઠિયા અને શિરો બનાવવા માટે સ્વાયસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.

વાપીમાં જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન
વાપીમાં જલારામ મંદિર ખાતે સાંજના મહાપ્રસાદમાં અંદાજીત 15 હજાર શ્રધ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે. જે માટે 300 કિલો મગની દાળ, 750 કિલો ચોખા, 80 કિલો ઘી, 15 ડબ્બા તેલ, 215 કિલો ખાંડ, 500 લિટર દૂધ, 90 કિલો ચણાનો લોટ, 50 કિલો આખું મીઠું, 60 કિલો દળેલું મીઠું, 10 કિલો હળદર, 7 કિલો ધાણા, હીંગ, સુકુ લસણ, જીરું, મેથી સહિતની સામગ્રી અને તેજાનો, ઉપરાંત 900 કિલો રીંગણા, 700 કિલો બટાકા સાથે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી, કઢી મહાપ્રસાદ બનાવી પીરસવામાં આવશે.

વાપીના જલારામ સંસ્થાનની 1984માં સ્થાપના કર્યા બાદ 1998થી અહીં દર ગુરુવારે 250 થી 300 કિલો ખીચડી-કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે. જે અંદાજિત 2500 થી 3000 લોકો ગ્રહણ કરે છે. આ મંદિરના પૂજારી પ્રેમશંકર જાનીના જણાવ્યા મુજબ 2024 સુધી અહીં દાતાઓનું લિસ્ટ તૈયાર છે. એટલે અન્ય દાતાઓ 2024 સુધી વેઇટિંગ લિસ્ટમાં છે.

'દેને કો ટૂકડા ભલા લેને કો હરિ નામ' આ સૂત્રને જીવનમંત્ર બનાવનારાં પૂજ્ય સંત જલારામ બાપાની 220મી જન્મજયંતિની વલસાડ, સહીત સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં આનંદભેર ઉજવણી થઈ રહી છે. વાપીમાં આવેલાં જલારામ સંસ્થાન ખાતે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ, સત્યનારાયણ ભગવાનની કથા, બપોરથી સાંજના પાંચ વાગ્યા સુધી ભજન સાંજે 6 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 6 વાગ્યા બાદ અંદાજિત 15 હજાર ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરશે. જે માટે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી-કઢી, સેવ-ગાંઠિયા અને શિરો બનાવવા માટે સ્વાયસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.

વાપીમાં જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન
વાપીમાં જલારામ મંદિર ખાતે સાંજના મહાપ્રસાદમાં અંદાજીત 15 હજાર શ્રધ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે. જે માટે 300 કિલો મગની દાળ, 750 કિલો ચોખા, 80 કિલો ઘી, 15 ડબ્બા તેલ, 215 કિલો ખાંડ, 500 લિટર દૂધ, 90 કિલો ચણાનો લોટ, 50 કિલો આખું મીઠું, 60 કિલો દળેલું મીઠું, 10 કિલો હળદર, 7 કિલો ધાણા, હીંગ, સુકુ લસણ, જીરું, મેથી સહિતની સામગ્રી અને તેજાનો, ઉપરાંત 900 કિલો રીંગણા, 700 કિલો બટાકા સાથે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી, કઢી મહાપ્રસાદ બનાવી પીરસવામાં આવશે.

વાપીના જલારામ સંસ્થાનની 1984માં સ્થાપના કર્યા બાદ 1998થી અહીં દર ગુરુવારે 250 થી 300 કિલો ખીચડી-કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે. જે અંદાજિત 2500 થી 3000 લોકો ગ્રહણ કરે છે. આ મંદિરના પૂજારી પ્રેમશંકર જાનીના જણાવ્યા મુજબ 2024 સુધી અહીં દાતાઓનું લિસ્ટ તૈયાર છે. એટલે અન્ય દાતાઓ 2024 સુધી વેઇટિંગ લિસ્ટમાં છે.

Intro:Location :- vapi

વાપી :- સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતિ નિમિત્તે વલસાડના વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અવેલા બાપાના સંસ્થાન પર ભવ્ય મહાપ્રસાદ, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો, વહેલી સવારથી જ બાપાના ભક્તો મોટી સંખ્યા બાપાના દર્શને ઉમટી રહ્યા છે.Body:દેને કો ટૂકડા ભલા....લેને કો હરિ નામ...આ સૂત્રને જીવનમંત્ર બનાવનારાં પૂજ્ય સંત જલારામ બાપાની 220મી જન્મજયંતિની વલસાડ, સહીત સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં આનંદભેર ઉજવણી થઈ રહી છે. વાપીમાં આવેલાં જલારામ સંસ્થાન ખાતે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ, સત્યનારાયણ ભગવાનની કથા, બપોર થી સાંજના પાંચ વાગ્યા સુધી ભજન સાંજે 6 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 6 વાગ્યા બાદ અંદાજિત 15 હજાર ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરશે. જે માટે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી-કઢી, સેવ-ગાંઠિયા અને શિરો બનાવવા માટે સ્વાયસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.


વાપીમાં જલારામ મંદિર ખાતે સાંજના મહાપ્રસાદમાં અંદાજીત 15 હજાર શ્રધ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લેશે. જે માટે 300 કિલો મગની દાળ, 750 કિલો ચોખા, 80 કિલો ઘી, 15 ડબ્બા તેલ, 215 કિલો ખાંડ, 500 લિટર દૂધ, 90 કિલો ચણાનો લોટ, 50 કિલો આખું મીઠું, 60 કિલો દળેલું મીઠું, 10 કિલો હળદર, 7 કિલો ધાણા, હીંગ, સુકુ લસણ, જીરું, મેથી સહિતની સામગ્રી અને તેજાનો, ઉપરાંત 900 કિલો રીંગણા, 700 કિલો બટાકા સાથે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી, કઢી મહાપ્રસાદ બનાવી પીરસવામાં આવશે.


Conclusion:ઉલ્લેખનિય છે કે વાપીના જલારામ સંસ્થાનની 1984માં સ્થાપના કર્યા બાદ 1998થી અહીં દર ગુરુવારે 250 થી 300 કિલો ખીચડી-કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે. જે અંદાજિત 2500 થી 3000 લોકો ગ્રહણ કરે છે. આ મંદિરના પૂજારી પ્રેમશંકર જાનીના જણાવ્યા મુજબ 2024 સુધી અહીં દાતાઓનું લિસ્ટ તૈયાર છે. એટલે અન્ય દાતાઓ 2024 સુધી વેઇટિંગ લિસ્ટમાં છે.

Bite :- પ્રેમશંકર જાની, મહારાજ, જલારામ સંસ્થાન, વાપી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.