ETV Bharat / state

દાહોદમાં કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ

દાહોદ: જિલ્લા કલેક્ટર કચેરીમાં સોમવારે ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર ખરાડીએ હાજર અધિકારીઓને જનહિતના પ્રશ્નો ઉકલેવા તત્પરતા દાખવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ ઉઠાવેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરે અધિકારીઓને સુચના આપી હતી.

author img

By

Published : Jul 23, 2019, 2:26 AM IST

Updated : Jul 23, 2019, 1:34 PM IST

દાહોદમાં કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જે લોકો સરકારની યોજનાના લાભોથી વંચિત છે. એવા લાભાર્થીઓનો અધિકારીઓ સ્વયં સંપર્ક કરીને તેને યોજનાકીય લાભો અપાવે તો જનકલ્યાણની ભાવના સાકાર થશે. અરજદારો તેમને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી કચેરીમાં આવે છે. ત્યારે એક અધિકારી તરીકે આપણા સૌની ફરજ બને છે કે, તે સમસ્યાનું ત્વરીત નિરાકરણ લઇ આવવું જોઈએ. રાજ્ય સરકારે પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે વિવિધ વ્યવસ્થા વિકસાવી છે. આ બેઠકમાં વીજળી, પાણી, રસ્તા, બાંધકામ, વનિકરણ સહિતની બાબતો જનપ્રતિનિધિઓ સાથે ચર્ચવામાં આવી હતી. સાથે જ સમસ્યાના નિકાલ માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય વજુભાઇ પણદા, જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જે લોકો સરકારની યોજનાના લાભોથી વંચિત છે. એવા લાભાર્થીઓનો અધિકારીઓ સ્વયં સંપર્ક કરીને તેને યોજનાકીય લાભો અપાવે તો જનકલ્યાણની ભાવના સાકાર થશે. અરજદારો તેમને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી કચેરીમાં આવે છે. ત્યારે એક અધિકારી તરીકે આપણા સૌની ફરજ બને છે કે, તે સમસ્યાનું ત્વરીત નિરાકરણ લઇ આવવું જોઈએ. રાજ્ય સરકારે પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે વિવિધ વ્યવસ્થા વિકસાવી છે. આ બેઠકમાં વીજળી, પાણી, રસ્તા, બાંધકામ, વનિકરણ સહિતની બાબતો જનપ્રતિનિધિઓ સાથે ચર્ચવામાં આવી હતી. સાથે જ સમસ્યાના નિકાલ માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય વજુભાઇ પણદા, જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:જનહિતના પ્રશ્નો ઉકેલવામાં અધિકારીઓ તત્પરતા દાખવી કામ કરે -કલેક્ટર વિજય ખરાડી

કલેક્ટર કચેરી ખાતે યોજયેલી ફરિયાદ અને સંકલનની
બેઠક સરકારી કચેરીઓની કામગીરીની સમીક્ષા

દાહોદ, દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે યોજયેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ ઉપસ્થિતિ અધિકારીઓને જનહિતના પ્રશ્નો ઉકલેવા તત્પરતા દાખવવા જણાવ્યું હતું. ફરિયાદ અને સંકલનની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
         Body:દાહોદ જિલ્લાનાા છાપરી મુકામે આવેલ જિલ્લા્લા્લા સેવાસદનના સભાખંડમાં યોજાયેલી સંકલનની બેઠકમાં કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જે લોકો સરકારની યોજનાના લાભોથી વંચિત છે, એવા લાભાર્થીઓનો અધિકારીઓ સ્વયં સંપર્ક કરી તેને યોજનાકીય લાભો અપાવે તો જનકલ્યાણની ભાવના સાકાર થશે. તેમણે વધુ માં જણાવ્યુ કે, અરજદારો તેમને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી કચેરીમાં આવે છે અને એક અધિકારી તરીકે આપણા સૌની ફરજ બને છે કે, તે સમસ્યાનું બનતી ત્વરીત નિરાકરણ લાવવું. રાજ્ય સરકારે પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે વિવિધ વ્યવસ્થા વિકસાવી છે. ફરિયાદ અને સંકલનની બેઠક એ વ્યવસ્થાનો એક ભાગ છે. આ બેઠકમાં વીજળી, પાણી, રસ્તા, બાંધકામ, વનીકરણ સહિતની બાબતો જનપ્રતિનિધિઓ સાથે ચર્ચવામાં આવી હતી અને આ સમસ્યાના નિકાલ માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
સંકલનની બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરીના પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ધારાસભ્ય વજુભાઇ પણદા, જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Conclusion:
Last Updated : Jul 23, 2019, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.