ETV Bharat / state

છોટાઉદેપુરના નસવાડીના ઝેર ગામે બે સંતાનોના પિતાએ ઝેર પી જઈને વીડિયો વાઈરલ કર્યો

author img

By

Published : Feb 8, 2021, 10:56 PM IST

ઘરકંકાસમાં ઘર છોડી ચાલી ગયેલી પત્ની પરત નહીં ફરતા બે સંતાનોના પિતાએ ઝેર પી જઈને તેનો વિડિઓ બનાવી વાઈરલ કર્યો હોવાનો બનાવ છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં બનવા પામ્યો છે.

Chhota-Udepur
Chhota-Udepur

  • ઘરકંકાસને પગલે પત્ની રિસાઈ પિયર જતી રહી
  • વિડિયોમાં પતિએ મોતનું કારણ પત્નીને ગણાવી
  • ઇટીવી ભારત આ વિડીયોની પુષ્ટિ કરતું નથી
  • ઝેર પીનાર પિતાને ચાર વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો

છોટાઉદેપુર: જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા બે સંતાનોના પિતા વિજય શાંતિલાલ રાઠવાએ ઝેર પીને આત્મહત્યા કરી છે. આ ઘટના અંગે જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરતા પહેલા વિજયે એક વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી

વાઈરલ થયેલા વિડીઓમાં તેણે જણાવ્યું કે, હું જ્યારે કાઠિયાવાડમાં મજૂરી કામ કરતો હતો, ત્યારે મારી પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવા આવી ગઈ હતી. દોઢ મહિનો થયો હોવા છતાં સાસરીમાં ન આવતા હું તેને તેડવા ગયો હતો, ત્યારે પત્નીને તો મારી સાથે મોકલી જ નહીં અને ઉપરથી સસરાએ મને માર માર્યો હતો. મારી સાથે દગો થયો છે એટલે હું આત્મહત્યા કરું છું. જેનું મુખ્ય કારણ મારી પત્ની જ છે. તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

  • ઘરકંકાસને પગલે પત્ની રિસાઈ પિયર જતી રહી
  • વિડિયોમાં પતિએ મોતનું કારણ પત્નીને ગણાવી
  • ઇટીવી ભારત આ વિડીયોની પુષ્ટિ કરતું નથી
  • ઝેર પીનાર પિતાને ચાર વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો

છોટાઉદેપુર: જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા બે સંતાનોના પિતા વિજય શાંતિલાલ રાઠવાએ ઝેર પીને આત્મહત્યા કરી છે. આ ઘટના અંગે જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરતા પહેલા વિજયે એક વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી

વાઈરલ થયેલા વિડીઓમાં તેણે જણાવ્યું કે, હું જ્યારે કાઠિયાવાડમાં મજૂરી કામ કરતો હતો, ત્યારે મારી પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવા આવી ગઈ હતી. દોઢ મહિનો થયો હોવા છતાં સાસરીમાં ન આવતા હું તેને તેડવા ગયો હતો, ત્યારે પત્નીને તો મારી સાથે મોકલી જ નહીં અને ઉપરથી સસરાએ મને માર માર્યો હતો. મારી સાથે દગો થયો છે એટલે હું આત્મહત્યા કરું છું. જેનું મુખ્ય કારણ મારી પત્ની જ છે. તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.