ETV Bharat / state

આદિવાસી સમાજે આપેલા છોટા ઉદેપુર બંધના એલાનને પગલે શહેર સજ્જડ બંધ

author img

By

Published : Feb 7, 2020, 11:51 PM IST

છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજની ઓળખ સામે ઉદ્દભવેલા પ્રશ્ન બાબતે શુક્રવાર રોજ સરકાર સામે વિરોધ દર્શવા માટે સમગ્ર આદિવાસી સમાજે બંધ પાળ્યું હતું. પોતાના તમામ કામો રોકી સજ્જડ બંધ પાળ્યુ હતુ.

following-the-strike-the-entire-chota-udaipur-district-is-tightly-closed
બંધને પગલે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો સજ્જડ બંધ

છોટા ઉદેપુરઃ રાઠવા સમાજના લોકો શુક્રવાર વહેલી સવારથી બજારમાં વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર સરકાર વિરોધી હતા. તમામ વાહન વાહન વ્યવહાર બંધ કરાવાયો હતો. રોડ પર વૃક્ષ કાપી છોટા ઉદેપુર વડોદરા રોડ પણ બંધ કરાવાયો હતો.

બંધને પગલે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો સજ્જડ બંધ

છોટા ઉદેપુર જિલ્લાના તમામ લોકો એ પોતાની દુકાનો બંધ રાખી આદિવાસીઓને સહકાર આપ્યો હતો. પાવી-જેતપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ગાડીને પણ રોકવામાં આવી હતી. બોડેલી ખાતે ટ્રેનને પણ રોકવામાં આવી હતી.

આ બંધ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં પણ રજા રાખવામાં આવી હતી. તેમજ બસો પણ બંધ રહી હતી. જેને પગલે જનજીવન પર પણ માઠી અસર પડી હતી. તમામ રાઠવા સમાજ શુક્રવારના રોજ એકજૂથ થઈને આદિવાસીની સમસ્યાને જો વહેલી તકે સરકાર દ્વારા ઉકેલ નહીં લાવામાં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તારીખ 09ના રોજ ગાંધીનગર પણ જવાની પણ વાત કરી હતી. હવે આગામી સમયમાં સરકાર શું નિર્ણય કરશે, તે જોવાનું રહ્યું.

છોટા ઉદેપુરઃ રાઠવા સમાજના લોકો શુક્રવાર વહેલી સવારથી બજારમાં વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર સરકાર વિરોધી હતા. તમામ વાહન વાહન વ્યવહાર બંધ કરાવાયો હતો. રોડ પર વૃક્ષ કાપી છોટા ઉદેપુર વડોદરા રોડ પણ બંધ કરાવાયો હતો.

બંધને પગલે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો સજ્જડ બંધ

છોટા ઉદેપુર જિલ્લાના તમામ લોકો એ પોતાની દુકાનો બંધ રાખી આદિવાસીઓને સહકાર આપ્યો હતો. પાવી-જેતપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ગાડીને પણ રોકવામાં આવી હતી. બોડેલી ખાતે ટ્રેનને પણ રોકવામાં આવી હતી.

આ બંધ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં પણ રજા રાખવામાં આવી હતી. તેમજ બસો પણ બંધ રહી હતી. જેને પગલે જનજીવન પર પણ માઠી અસર પડી હતી. તમામ રાઠવા સમાજ શુક્રવારના રોજ એકજૂથ થઈને આદિવાસીની સમસ્યાને જો વહેલી તકે સરકાર દ્વારા ઉકેલ નહીં લાવામાં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તારીખ 09ના રોજ ગાંધીનગર પણ જવાની પણ વાત કરી હતી. હવે આગામી સમયમાં સરકાર શું નિર્ણય કરશે, તે જોવાનું રહ્યું.

Intro:છોટાઉપુર જિલ્લા ના આદિવાસી રાઠવા સમાજ ની ઓળખ સામે ઉધભવેલ પ્રશ્ન બાબતે આજરોજ સરકાર સામે વિરોધ દરસવામાટે સમગ્ર આદિવાસી સમાજ આજરોજ રોડ પર ઉતરી ગયું હતું.અને પોતાનાં તમામ કામો બંધ રાખી સજ્જડ બંધ પાડયો હતો.અને વહેલી સવાર થી બાઇકો લઈ બજોરો ચેક કરવામાટે નીકળ્યા હતા.અને સૂત્રો ઉચાર્ય હતા.અને તમામ વાહન વાહનવહ્યાર બંધ કારવિધિધો હતો.રોડ ઉપર વૃક્ષ કાપી ને નાખી દેતા છોટાઉદેપુર વડોદરા રોડ પણ બંધ થઇ ગયો હતો.છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો એ પોતાની દુકાનો બંધ રાખી આસિવાસી ઓ ને સહકાર આપ્યો હતો.પાવીજેતપુર ખાતે નાયબ જિલ્લા વિકાસઅધિકારી ની ગાડી પણ રોકવામાં આવી હતી.અને બોડેલી ખાતે ટ્રેન પણ રોકવામાં આવિ હતી.


Body:સદર બંધ ને લીધે સ્કૂલો પણ બંધ રહી હતી.તેમજ બસો પણ બંધ રહી હતી જેને પગલે જનજીવન ખોરવાયું હતું.તમામ રાઠવા સમાજ આજરોજ એક સાથે આવી ને આમરી સમસ્યાનો જો વહેલી તકે સરકાર દવારા ઉકેલ નહીં લાવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.અને તારીખ 09 ના રોજ ગાંધીનગર પણ જવાની વાત કરી હતી.


Conclusion:હવે આગામી સમય માં સરકાર સુ નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.