ETV Bharat / state

બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું

author img

By

Published : Apr 13, 2021, 7:27 PM IST

બોટાદ જિલ્લાના રાણપુરમાં વધતા જતા કોરોના કેસને પગલે સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવ્યું હતું. તમામ વેપાર-ઉદ્યોગો તેમજ દુકાનો પણ જડબેસલાક બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ રોકવા માટે જો આગામી દિવસોમાં જરૂર પડે તો ફરી એકવાર લોકડાઉન પાળવામાં આવશે તેમ ગામલોકોએ જણાવ્યું હતું.

બોટાદ
બોટાદ
  • બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન
  • તમામ વેપાર-ઉદ્યોગો તેમજ ધંધા-દુકાનો રહ્યા બંધ
  • 13 અને 14 એપ્રિલ 2 દિવસ રહ્યું લોકડાઉન
    બોટાદ

બોટાદ: રાણપુરમાં વધતા જતા કોરોના કેસને પગલે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી તમામ વેપાર-ઉદ્યોગો બંધ રાખવામાં આવ્યા હતા. શહેરની તમામ દુકાનો પણ જડબેસલાક બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં વધુ લોકડાઉનની જરૂર પડશે તો તમામ લોકો આ અંગે પંચાયતને સમર્થન આપશે તેવું ગામલોકોએ જણાવ્યું હતું.

2 દિવસમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે ત્યારે રાણપુર શહેર કે જ્યાં આજુબાજુના 40થી વધુ ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે, ત્યાં હાલમાં કોરોના કેસની ચેન તોડવા માટે રાણપુર ગ્રામ પંચાયત અને વેપારી એસોસિએશન દ્વારા 13 અને 14 એપ્રિલ એમ બે દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે મંગળવારે રાણપુર શહેરની તમામ દુકાનો સજ્જડ બંધ રહી હતી અને વેપારીઓએ સ્વેચ્છાએ પોતપોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.

આ પણ વાંચો: બોટાદમાં બંધને લઈને શહેરના વેપાર-ધંધા રહ્યા બંધ

વેપારી એસોસિએશન તેમજ ગ્રામજનોનો મળ્યો સહયોગ

રાણપુર ગ્રામ પંચાયતના પ્રમુખ મનહરભાઈ પચાળાએ જણાવ્યું હતું કે જે પ્રમાણે જિલ્લામાં કેસ વધી રહ્યા છે તેને લઈને તાલુકા પંચાયતમાં વેપારી એસોસિએશન અને અન્ય લોકો સાથે બેઠક કરી 2 દિવસ માટે બંધની જાહેરાત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં જરૂર પડે તો ફરીવાર લોકડાઉન રાખીશું. ગામના વેપારીઓ અને લોકો પણ ગ્રામ પંચાયતના આ નિર્ણયથી સંમત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: બોટાદ માર્કેટીગ યાર્ડ 14થી 18 એપ્રિલ સુધી કરાયું સ્વૈચ્છિક બંધ

  • બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન
  • તમામ વેપાર-ઉદ્યોગો તેમજ ધંધા-દુકાનો રહ્યા બંધ
  • 13 અને 14 એપ્રિલ 2 દિવસ રહ્યું લોકડાઉન
    બોટાદ

બોટાદ: રાણપુરમાં વધતા જતા કોરોના કેસને પગલે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી તમામ વેપાર-ઉદ્યોગો બંધ રાખવામાં આવ્યા હતા. શહેરની તમામ દુકાનો પણ જડબેસલાક બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા બે દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં વધુ લોકડાઉનની જરૂર પડશે તો તમામ લોકો આ અંગે પંચાયતને સમર્થન આપશે તેવું ગામલોકોએ જણાવ્યું હતું.

2 દિવસમાં 65 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે ત્યારે રાણપુર શહેર કે જ્યાં આજુબાજુના 40થી વધુ ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે, ત્યાં હાલમાં કોરોના કેસની ચેન તોડવા માટે રાણપુર ગ્રામ પંચાયત અને વેપારી એસોસિએશન દ્વારા 13 અને 14 એપ્રિલ એમ બે દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે મંગળવારે રાણપુર શહેરની તમામ દુકાનો સજ્જડ બંધ રહી હતી અને વેપારીઓએ સ્વેચ્છાએ પોતપોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.

આ પણ વાંચો: બોટાદમાં બંધને લઈને શહેરના વેપાર-ધંધા રહ્યા બંધ

વેપારી એસોસિએશન તેમજ ગ્રામજનોનો મળ્યો સહયોગ

રાણપુર ગ્રામ પંચાયતના પ્રમુખ મનહરભાઈ પચાળાએ જણાવ્યું હતું કે જે પ્રમાણે જિલ્લામાં કેસ વધી રહ્યા છે તેને લઈને તાલુકા પંચાયતમાં વેપારી એસોસિએશન અને અન્ય લોકો સાથે બેઠક કરી 2 દિવસ માટે બંધની જાહેરાત કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં જરૂર પડે તો ફરીવાર લોકડાઉન રાખીશું. ગામના વેપારીઓ અને લોકો પણ ગ્રામ પંચાયતના આ નિર્ણયથી સંમત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: બોટાદ માર્કેટીગ યાર્ડ 14થી 18 એપ્રિલ સુધી કરાયું સ્વૈચ્છિક બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.