ETV Bharat / state

ગઢડા પેટા ચૂંટણીઃ આત્મારામ પરમારને જીતાડવા શંભુનાથ ટુંડિયા મેદાને...

author img

By

Published : Oct 20, 2020, 3:23 PM IST

ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં શંભુનાથ ટુંડિયાએ ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં પેટા ચૂંટણીની તમામે તમામ 8 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન થયેલું જોવા મળ્યું હતું.

આત્મારામ પરમારને જીતાડવા દલિત સમાજના મહંત શંભુનાથ ટુંડિયા મેદાને
આત્મારામ પરમારને જીતાડવા દલિત સમાજના મહંત શંભુનાથ ટુંડિયા મેદાને
  • ભાજપના વરિષ્ઠ નેતા શંભુનાથ ટુંડિયાએ ભાજપના આગેવાનો સાથે કરી બેઠક
  • ગઢડા ગ્રામ્ય વિસ્તારમાં પેટા ચૂંટણી જીતવા કરી ચર્ચા વિચારણા
  • શંભુનાથ ટુંડિયાએ પેટા ચૂંટણીની તમામ બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • આગામી 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી


બોટાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીની એક બેઠક ગઢડાની છે. ગઢડામાં ભાજપના નેતા શંભુનાથ ટુંડિયાએ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠક યોજી હતી, જેમાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગઢડા સહિત રાજ્યની આઠેય બેઠક પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે બેઠકમાં હાજર તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. આ વખતે ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર ઊભા છે. તેમને સમર્થન આપવા શંભુનાથ ટુંડિયા ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે ગોરધન ઝડફિયા પણ હાજર રહ્યા હતા.

આત્મારામ પરમારને જીતાડવા દલિત સમાજના મહંત શંભુનાથ ટુંડિયા મેદાને
આત્મારામ પરમારને જીતાડવા દલિત સમાજના મહંત શંભુનાથ ટુંડિયા મેદાને

ગઢડામાં ભાજપના મોટા નેતાઓની મુલાકાત વધી

આત્મારામ પરમારને જીતાડવા ભાજપના અગ્રણી નેતાઓ મેદાને ઊતર્યા છે. રોજ રોજ ભાજપના મોટા નેતાઓ ગઢડાની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે જ ભાજપે દલિત સમાજના મહંત અને રાજ્યસભાની પૂર્વ સાંસદ શંભુનાથ ટુંડિયાને આજે ગઢડા મોકલ્યા હતા. ખોપાળા, ઉમરાળા, વલ્લભીપુર સહિતના તમામ વિસ્તારોમાં કાર્યકરો અને આગેવાનો સાથે મતદારો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીની ઈન્ચાર્જ ગોરધન ઝડફિયા છે.

  • ભાજપના વરિષ્ઠ નેતા શંભુનાથ ટુંડિયાએ ભાજપના આગેવાનો સાથે કરી બેઠક
  • ગઢડા ગ્રામ્ય વિસ્તારમાં પેટા ચૂંટણી જીતવા કરી ચર્ચા વિચારણા
  • શંભુનાથ ટુંડિયાએ પેટા ચૂંટણીની તમામ બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • આગામી 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી


બોટાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીની એક બેઠક ગઢડાની છે. ગઢડામાં ભાજપના નેતા શંભુનાથ ટુંડિયાએ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠક યોજી હતી, જેમાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગઢડા સહિત રાજ્યની આઠેય બેઠક પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે બેઠકમાં હાજર તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. આ વખતે ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર ઊભા છે. તેમને સમર્થન આપવા શંભુનાથ ટુંડિયા ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે ગોરધન ઝડફિયા પણ હાજર રહ્યા હતા.

આત્મારામ પરમારને જીતાડવા દલિત સમાજના મહંત શંભુનાથ ટુંડિયા મેદાને
આત્મારામ પરમારને જીતાડવા દલિત સમાજના મહંત શંભુનાથ ટુંડિયા મેદાને

ગઢડામાં ભાજપના મોટા નેતાઓની મુલાકાત વધી

આત્મારામ પરમારને જીતાડવા ભાજપના અગ્રણી નેતાઓ મેદાને ઊતર્યા છે. રોજ રોજ ભાજપના મોટા નેતાઓ ગઢડાની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે જ ભાજપે દલિત સમાજના મહંત અને રાજ્યસભાની પૂર્વ સાંસદ શંભુનાથ ટુંડિયાને આજે ગઢડા મોકલ્યા હતા. ખોપાળા, ઉમરાળા, વલ્લભીપુર સહિતના તમામ વિસ્તારોમાં કાર્યકરો અને આગેવાનો સાથે મતદારો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીની ઈન્ચાર્જ ગોરધન ઝડફિયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.