ETV Bharat / state

Dummy Candidates Racket: યુવરાજસિંહનો મોટો ધડાકો, જીતુ વાઘાણી પણ આ કૌભાંડમાં સામિલ - Dummy Candidates Racket yuvrajsinh

યુવરાજસિંહ જાડેજા ભાવનગર ભીડભંજન મહાદેવ ખાતે પ્રાર્થના કરીને વિદ્યાર્થીઓના ગ્રૂપ સાથે પોલીસ સામે આવ્યા હતા. ભીડભંજનથી દર્શન કરી રામવાડી પાસે એકત્રિત થયા હતા. યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થવાના છે એને લઈને ભાવનગર મુખ્ય પોલીસ કચેરીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

Dummy Candidates Racket: યુવરાજસિંહ પોલીસ સમક્ષ હજાર થાય એ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાગુ
Dummy Candidates Racket: યુવરાજસિંહ પોલીસ સમક્ષ હજાર થાય એ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાગુ
author img

By

Published : Apr 21, 2023, 11:14 AM IST

Updated : Apr 21, 2023, 2:21 PM IST

ભાવનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાના છે. જેને લઈને ભાવનગર મુખ્ય પોલીસ કચેરીએ ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેઓ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન આપશે. જેને લઈને તેમણે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ડમી વિદ્યાર્થી કૌભાંડ મામલે તેઓ જોરશોરથી લડત ચલાવી રહ્યા છે. ડમીકાંડમાં તેમણે આરોપ લગાવ્યા છે કે, આ કેસમાં અને એવા મોટા માથા જોડાયેલા છે. પોલીસ સમક્ષ હાજર થાય એ પહેલા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મોટા આક્ષેપો કર્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી, જીતુ વાઘાણી અને તેના પહેલાના શિક્ષણમંત્રી સામે યુવરાજસિંહ મોટા આક્ષેપો કરેલા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ડમી ઉમેદવાર કાંડમાં આવતીકાલે મોટા નેતાઓના નામનો કરીશ

તમામ જવાબ આપીશઃ યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે આગળના દિવસોમાં આધાર પુરાવા સાથે અમે ઉભા રહીશું. તમામ જવાબ આપીશું. જે પણ શડયંત્ર થઇ રહ્યા છે. તે કોઇને કોઇ રીતે બદનામ કરવાના થઇ રહ્યા છે. જે તે સમયે જે સમયે ઓફર લઇને આવેલા છે. શા માટે યુવરાજ જ બધા જ તપાસ માટે કરવા માટે બોલાવો. જે રીતે રાજકીય કાવતરા થઇ રહ્યા છે. વિદ્યાર્થી નેતા તરીકે હું બહાર આવ્યો. મેં વર્તમાન ગુહ મંત્રીને પુરાવા આપ્યા હતા પણ તેની કોઇ તપાસ કરવામાં આવી નથી. અત્યારે સરકારને તકલીફ મારાથી છે.

મને પતાવી દેશેઃ સરકાર મને લોભ-લાંચ આપી છે. પણ જો મેં ખેસ પહેર્યો હોત તો મને કોઇ તકલીફ ના થાય. પાંચ પાંડવો વિશે કહ્યું કે, આજ નહીં તો કાલે મને મારી નાખવામાં આવશે. જેની મને ગંધ આવી રહી છે. વિદ્યાર્થીએ આવનારી પેઢી છે. 100 નામનું લીસ્ટ અમે આપી શકીએ તેમ છીએ. મારી સામે મોતનો ખતરો છે. ખેસ નથી પહેર્યો એટલે મને ધમકીઓ મળી રહી છે. સમાધાન કરવા માટે પણ ઓફર કરવામાં આવી હતી. પૈસથી લઈને સત્તા સુધીની ઓફર હતી.

આ પણ વાંચોઃ Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ

યુવરાસિંહ શું બોલ્યાઃ આરોપીને સાક્ષી બનાવીને મને સમન્સ આપી દીધું છે. ડમીકાંડનો મુદ્દો ડાઈવર્ટ કરવાનો આ પ્રયાસ છે. પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. અવધેશ પટેલ અને અવિનાશ પટેલને કેમ સમન્સ નથી અપાયું. કૌભાંડીઓને સરકાર બચાવી રહી છે. રાજકીય રીતે કિન્નાખોરી થઈ રહી છે. મને લોભ અને લાલચ આપવામાં આવી છે એના પુરાવા છે. પૂર્વ શિક્ષણમંત્રી જીત વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારા પ્રત્યે દ્વેષભાવ રાખીને કામગીરી થઈ રહી છે. આસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. મારી સાથે કોઈ આર્થિક વ્યવહાર થયો નથી. આ કૌભાંડ દાબી દેવામાં આવે એવા પ્રયાસ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો,

રાજકીય પ્રયાસ છેઃ મારી સામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની પાછળ આમ આદમી પાર્ટીને દબાવવાના પ્રયાસ છે. મને ફસાવવાના પ્રયાસ પાછ રાજકીય ઈચ્છાશક્તિ કામ કરે છે. નિવેદન શા માટે મારા એકલાનું લેવાય છે. આ કૌભાંડમાં તો પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ સામિલ છે. જેઓ આ કૌભાંડને દબાવે છે. મેં હાલમાં ગૃહ પ્રધાનને પુરાવા આપેલા છે. મેં ખેસ પહેર્યો નથી એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. મેં જે નામ આપેલા છે એમાંથી કોઈની પણ સામે તપાસ થઈ નથી. ભાવનગરમાંથી સત્તાપક્ષના લોકોની આ ચોક્કસ પ્રકારની કિન્નાખોરી છે.

ભાવનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાના છે. જેને લઈને ભાવનગર મુખ્ય પોલીસ કચેરીએ ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેઓ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન આપશે. જેને લઈને તેમણે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ડમી વિદ્યાર્થી કૌભાંડ મામલે તેઓ જોરશોરથી લડત ચલાવી રહ્યા છે. ડમીકાંડમાં તેમણે આરોપ લગાવ્યા છે કે, આ કેસમાં અને એવા મોટા માથા જોડાયેલા છે. પોલીસ સમક્ષ હાજર થાય એ પહેલા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મોટા આક્ષેપો કર્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી, જીતુ વાઘાણી અને તેના પહેલાના શિક્ષણમંત્રી સામે યુવરાજસિંહ મોટા આક્ષેપો કરેલા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ડમી ઉમેદવાર કાંડમાં આવતીકાલે મોટા નેતાઓના નામનો કરીશ

તમામ જવાબ આપીશઃ યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે આગળના દિવસોમાં આધાર પુરાવા સાથે અમે ઉભા રહીશું. તમામ જવાબ આપીશું. જે પણ શડયંત્ર થઇ રહ્યા છે. તે કોઇને કોઇ રીતે બદનામ કરવાના થઇ રહ્યા છે. જે તે સમયે જે સમયે ઓફર લઇને આવેલા છે. શા માટે યુવરાજ જ બધા જ તપાસ માટે કરવા માટે બોલાવો. જે રીતે રાજકીય કાવતરા થઇ રહ્યા છે. વિદ્યાર્થી નેતા તરીકે હું બહાર આવ્યો. મેં વર્તમાન ગુહ મંત્રીને પુરાવા આપ્યા હતા પણ તેની કોઇ તપાસ કરવામાં આવી નથી. અત્યારે સરકારને તકલીફ મારાથી છે.

મને પતાવી દેશેઃ સરકાર મને લોભ-લાંચ આપી છે. પણ જો મેં ખેસ પહેર્યો હોત તો મને કોઇ તકલીફ ના થાય. પાંચ પાંડવો વિશે કહ્યું કે, આજ નહીં તો કાલે મને મારી નાખવામાં આવશે. જેની મને ગંધ આવી રહી છે. વિદ્યાર્થીએ આવનારી પેઢી છે. 100 નામનું લીસ્ટ અમે આપી શકીએ તેમ છીએ. મારી સામે મોતનો ખતરો છે. ખેસ નથી પહેર્યો એટલે મને ધમકીઓ મળી રહી છે. સમાધાન કરવા માટે પણ ઓફર કરવામાં આવી હતી. પૈસથી લઈને સત્તા સુધીની ઓફર હતી.

આ પણ વાંચોઃ Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ

યુવરાસિંહ શું બોલ્યાઃ આરોપીને સાક્ષી બનાવીને મને સમન્સ આપી દીધું છે. ડમીકાંડનો મુદ્દો ડાઈવર્ટ કરવાનો આ પ્રયાસ છે. પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. અવધેશ પટેલ અને અવિનાશ પટેલને કેમ સમન્સ નથી અપાયું. કૌભાંડીઓને સરકાર બચાવી રહી છે. રાજકીય રીતે કિન્નાખોરી થઈ રહી છે. મને લોભ અને લાલચ આપવામાં આવી છે એના પુરાવા છે. પૂર્વ શિક્ષણમંત્રી જીત વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારા પ્રત્યે દ્વેષભાવ રાખીને કામગીરી થઈ રહી છે. આસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. મારી સાથે કોઈ આર્થિક વ્યવહાર થયો નથી. આ કૌભાંડ દાબી દેવામાં આવે એવા પ્રયાસ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો,

રાજકીય પ્રયાસ છેઃ મારી સામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની પાછળ આમ આદમી પાર્ટીને દબાવવાના પ્રયાસ છે. મને ફસાવવાના પ્રયાસ પાછ રાજકીય ઈચ્છાશક્તિ કામ કરે છે. નિવેદન શા માટે મારા એકલાનું લેવાય છે. આ કૌભાંડમાં તો પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ સામિલ છે. જેઓ આ કૌભાંડને દબાવે છે. મેં હાલમાં ગૃહ પ્રધાનને પુરાવા આપેલા છે. મેં ખેસ પહેર્યો નથી એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. મેં જે નામ આપેલા છે એમાંથી કોઈની પણ સામે તપાસ થઈ નથી. ભાવનગરમાંથી સત્તાપક્ષના લોકોની આ ચોક્કસ પ્રકારની કિન્નાખોરી છે.

Last Updated : Apr 21, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.