- ભાવનગરમાં એસટી બસ સ્ટેન્ડના આધુનિકીકરણ અંગેની તૈયારી પૂરજોશમાં
- લાંબા અંતરની બસો અંગે પ્રવાસીઓના મત જાણવા પહોંચ્યું ETV Bharat
- એસટીમાં સોફાસેટ અને ઓનલાઈન બુકીંગ જેવી વ્યવસ્થાથી પ્રવાસીઓ ખુશ
ભાવનગરઃ ભાવનગર જ નહીં પણ ગુજરાતમાં એસ ટી નિગમની બસ સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. જ્યાં સુધી એસટીની સુવિધા મળે ત્યાં સુધી લોકો ખાનગીમાં જવાનો આગ્રહ રાખતા નથી. ભાવનગરમાં રોજની આશરે 50થી 60 બસો લાંબા અંતરની જાય છે, જેમાં એડવાન્સ ઓનલાઇન બુકીંગ 80 ટકા થયેલું હોય છે.
![ભાવનગરમાં એસટી બસ અંગે પ્રવાસીઓનું શું માનવું છે? જુઓ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10306924_bus_c_7208680.jpg)
ભાવનગરથી સુરત, નવસારી, વાપી, મુંબઈ અને દ્વારકા, કચ્છ, જામનગર જેવા રૂટ પર રોજની 50થી 60 બસ ભાવનગરથી ઉપડે છે. એ બસમાં બેસવાની સારી સીટો હોઈ છે 8 કલાક જેવા લાંબા અંતરમાં સોફાસેટની સુવિધા વાળી બસો પણ મૂકવામાં આવી છે. પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકીંગ જેવી વ્યવસ્થા છે. એટલે મોટા ભાગે સસ્તા ભાડામાં ઓનલાઇન બુકીંગ અને સોફા જેવી સુવિધાથી લોકોને સંતોષ છે.
![ભાવનગરમાં એસટી બસ અંગે પ્રવાસીઓનું શું માનવું છે? જુઓ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10306924_bus_a_7208680.jpg)
ભાવનગરથી ઉપડતી બસોમાં સોફાસેટ જેવી સુવિધાઓ તો આપવામાં આવી છે. અને સાથે સાથે ઓનલાઈન જેવી વ્યવસ્થા પણ છે ત્યારે ખાસ ડ્રાઈવરોને બસને સાવચેતીથી ચલાવવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, રોજના આશરે 3 હજાર જેવા પ્રવાસીઓ જાય છે. કંડક્ટરને પણ ખાસ સૂચના આપવામાં આવી હોય છે કે, પ્રવાસીઓને તકલીફ પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. બસની સંપૂર્ણ તપાસ બાદ તેને મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે.
![ભાવનગરમાં એસટી બસ અંગે પ્રવાસીઓનું શું માનવું છે? જુઓ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10306924_bus_b_7208680.jpg)
એસટી નિગમની બગડેલી હાલત બાદ જે સુધારો છેલ્લા 10 વર્ષમાં આવ્યો છે. તેને લઈને કર્મચારીઓ પણ ખુશ છે. ભાવનગરનું બસ સ્ટેન્ડ નવું બનાવવાનું કામ હાલ પૂરજોશમાં છે અને કેન્દ્રના એઅતિ નિગમનો શ્રેષ્ઠ એવોર્ડ પણ આજના 18 જાન્યુઆરીએ ગુજરાતના ફાળે ગયો છે એક નહીં પણ ત્રણ એવોર્ડ ગુજરાત એસટી નિગમની મળવા પાત્ર બન્યા છે. ત્યારે એક એવોર્ડ ગત બર્ષમાં એક પણ અકસ્માત ન સર્જવાનો આપવામાં આવ્યો છે.