ભાવનગર : 1964માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ગાયથી મહાજન ગૌશાળાનો પ્રારંભ કર્યો જ્યાં આજે 124 ગાયોથી ગૌશાળા ચાલી રહી છે. ગૌશાળામાં મહત્વનું બની રહ્યું છે અર્ક જે 108 રોગ ઉપર કામ આપે છે તે કોરોના મહામારીમાં પણ અર્ક ઉત્તમ દવા છે. જ્યાં ડૉકટરે હાથ ઊંચા કર્યા હોય તેવા રોગો આ અર્કથી મટી જાય છે. તો ચાલો જાણીએ ગૌશાળાને અને સ્વસ્થ થયેલા દર્દીના પ્રતિભાવને...
ગાયના ગૌમુત્રમાંથી બનતુ અર્ક આપી રહ્યું છે 108 રોગની દવા "મારી પ્રજાનું કલ્યાણ થજો" આવી વિચારધારા ધરાવતા રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરની પ્રજાને 5/2/1964માં મહાજન ગૌશાળા આપી હતી. જેમાં એક ગીર ગાયથી ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે તરસમિયા રોડ સામે ઘોઘા એઓળ પર રહેલી ગૌશાળામાં 124 ગાય છે. ગૌશાળામાં ગાયથી મળતી કુદરતી ચિઝોથી સમાજ કલ્યાણનું કામ કરવામાં આવે છે. ગાયનું દૂધ વહેંચાતું આપવામાં આવે છે પણ તેની છાશ ફ્રી માં અપાઇ રહી છે. આ સાથે ગૌ સુધારણા, ગીર ગાય સુધારણા,ખાતર અને અર્ક બનાવવામાં આવે છે. મહાજન ગૌશાળામાં દૂધ, ઘી, છાશ સાથે ગાયના મૂત્રમાંથી 108 રોગની દવા અર્ક બનાવવામાં આવે છે. અર્ક 108 રોગ પર કામ આપે છે તેમ લેબોરેટરી ખુદ કહે છે. સ્વ મુકુંદભાઈ ત્રિવેદી પૂર્વ મેનેજરે બેંગ્લોર લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો અને અર્કમાં રહેલા તત્વોની જાણકારી મેળવી હતી. ગૌ અર્કમાં ગોલ્ડ અને સિલ્વર જેવા ધાતુનો પણ ભાગ આવે છે જે જવલ્લેજ કોઈ કુદરતી ચિઝોમાં જોવા મળે છે. અર્કથી ભૂતકાળમાં અને હાલમાં પણ અનેક કેન્સર, બીપી, ડાયાબીટીસ કે કિડની ફેલ થવી જેવા રોગ ધરાવનાર લોકો સ્વસ્થ થયા છે. ગૌશાળાની કામગીરી આજે પણ રાબેતા મુજબ ચાલે છે. વર્ષોથી તેની પ્રણાલીમાં કોઈ ફેર આવ્યો નથી. સમાજના કલ્યાણના કામથી સ્વસ્થ દર્દીઓ પણ ગૌશાળાનો આભાર માને છે.ભાવનગરની ગૌશાળા તો મહારાજાએ લોકહિતમાં આપી છે. પણ ગૌ પૂજન હિન્દૂ સંસ્કૃતિમાં હોવા છતાં મોટાભાગના હિંદુઓ ગાયમાંથી મળતી સુવિધાને જાણી શક્ય નથી, ત્યારે દૂધમાંથી તાકાત મળે તો તેના ગૌ મૂત્રમાંથી બનતું અર્ક 108 રોગ માટેનું શસ્ત્ર છે. તે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો રોજ નિયમિત ગૌ અર્કનું સેવન થાય તો બીમારીઓ નજીક નથી આવતી તે તો નિશ્ચિત છે.અર્કમાં સમાવેશ કરવામાં આવતો પદાર્થ