ETV Bharat / state

નવસારીના જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા: સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, જુઓ વીડિયો - NAVSARI THEFT CASE

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો આતંક મચાવી રહ્યા છે જેને કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

અમલસાડ ખાતે જૈન દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
અમલસાડ ખાતે જૈન દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસc (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 10:30 AM IST

નવસારી: નવસારી જિલ્લામાં રાત્રે દરમિયાન તસ્કરોનો તરખાટનો વ્યાપ વધી ગયો છે. પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં સતત હોવા છતાં પણ તસ્કરો જાણે પોલીસનો જાણે ડર ન હોય તેમ નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ રાત્રે દરમિયાન ચોરી કરી રહ્યા છે. ઉપરાંત તસ્કરો દ્વારા બંધ મકાનને ટાર્ગેટ કરવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં પણ એક જ રાતમાં ચારથી પાંચ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અમલસાડ ખાતે આવેલા જૈન દેરાસરમાં પણ તસ્કરોએ ગત રાત્રી દરમિયાન ટાર્ગેટ બનાવ્યું હતું. ચોર મંદિરમાં ઘુસી રહ્યા છે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચોર મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.

અમલસાડ ખાતે જૈન દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ (Etv Bharat Gujarat)

બીજી તરફ આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનમાં ચોરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ, ચોર ટોળકી જિલ્લામાં લાંબા સમયથી આતંક મચાવી રહી છે જેને કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

નવસારીમાં તસ્કરોનો આતંક વધ્યો
નવસારીમાં તસ્કરોનો આતંક વધ્યો (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટના બાબતે ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'જૈન દેરાસર સહિત આસપાસની દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ તો અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ અમે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. રિવાબાએ સરકારી યોજનાઓનો લાભ લોકોને ઘરે જ મળે તે માટે શરુ કર્યું આ નવું રથ
  2. નવસારી: 10 મહિના પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, LCBએ આરોપીની અટકાયત કરી

નવસારી: નવસારી જિલ્લામાં રાત્રે દરમિયાન તસ્કરોનો તરખાટનો વ્યાપ વધી ગયો છે. પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં સતત હોવા છતાં પણ તસ્કરો જાણે પોલીસનો જાણે ડર ન હોય તેમ નવસારી જિલ્લામાં અનેક જગ્યાએ રાત્રે દરમિયાન ચોરી કરી રહ્યા છે. ઉપરાંત તસ્કરો દ્વારા બંધ મકાનને ટાર્ગેટ કરવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં પણ એક જ રાતમાં ચારથી પાંચ જગ્યાએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અમલસાડ ખાતે આવેલા જૈન દેરાસરમાં પણ તસ્કરોએ ગત રાત્રી દરમિયાન ટાર્ગેટ બનાવ્યું હતું. ચોર મંદિરમાં ઘુસી રહ્યા છે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચોર મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે.

અમલસાડ ખાતે જૈન દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ (Etv Bharat Gujarat)

બીજી તરફ આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનમાં ચોરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ, ચોર ટોળકી જિલ્લામાં લાંબા સમયથી આતંક મચાવી રહી છે જેને કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

નવસારીમાં તસ્કરોનો આતંક વધ્યો
નવસારીમાં તસ્કરોનો આતંક વધ્યો (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટના બાબતે ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'જૈન દેરાસર સહિત આસપાસની દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ તો અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ અમે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. રિવાબાએ સરકારી યોજનાઓનો લાભ લોકોને ઘરે જ મળે તે માટે શરુ કર્યું આ નવું રથ
  2. નવસારી: 10 મહિના પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, LCBએ આરોપીની અટકાયત કરી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.