ETV Bharat / state

ભાવનગરમાં કોરોના કેસ ઘટ્યા કે પછી આંકડાઓ? લોકોમાં પ્રશ્ન

author img

By

Published : Oct 23, 2020, 2:20 PM IST

ભાવનગર શહેરમાં કોરોનાનો આંકડો 40 થી ઘટીને 20 પર આવી ગયો છે. ત્યારે લોકોમાં પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, કોરોનાનો આંકડો ઘટ્યો છે કે, પછી હકીકતમાં કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. જોકે ઘટી ગયેલા આંકડા પાછળ એવું પણ બની શકે કે, તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટ અને લોકોનું આત્મનિર્ભર બનવાનું પણ કારણ હોઈ શકે છે.

bhavnagar
ભાવનગર

  • ભાવનગરમાં કોરોના કેસનો આંકડો 40 થી ઘટીને 20
  • આંકડા પાછળનું કારણ રેપીડ ટેસ્ટ અને આત્મનિર્ભરતા
  • શહેરમાં આજદિન સુધી 4653 કેસો નોંધાયા

ભાવનગર : શહેરમાં કોરોનાનો આંકડો 40 થી ઘટીને 20 પર આવી ગયો છે. ત્યારે લોકોમાં પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, કોરોનાનો આંકડો ઘટ્યો છે કે, પછી હકીકતમાં કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. ઘટી ગયેલા આંકડા પાછળ એવું પણ બની શકે કે, તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટ અને લોકોનું આત્મનિર્ભર બનવાનું પણ કારણ હોઈ શકે છે. ભાવનગરમાં પણ કોરોનાનો સ્વસ્થ થવાનો આંકડો સારો છે. ત્યારે આગામી દિવસોમા કોરોના સંપૂર્ણ જતો રહે તો પણ નવાઈ નહિ. શહેરમાં 5000 થી 347 કેસ આંકડો દૂર છે. ત્યારે ભાવનગરમાં હાલ કેસો સરકારના ચોપડે ઘટી ગયા છે. ભાવનગરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં ઘટી રહ્યા છે. શહેરમાં દિવસના રોજ 10 થી 20 કેસો આવી રહ્યા છે.

કોરોનાના કેસો વધવાને બદલે ઘટી રહ્યા

ભાવનગર શહેરમાં અનલોક હોવા છતાં કેસોની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે. કોરોનાના કેસો દિવસમાં 10 ઓછામાં ઓછા છેલ્લાં ઘણા દિવસોથી આવી રહ્યા છે. 10 થી લઈને 20 સુધી તો ક્યારેક 20ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી જાય છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો હતો. પણ હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી આવી રહ્યી છે. 22 ઓક્ટોમ્બરના દિવસે 21 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે.

કોરોનાનો આંક આગામી દિવસોમાં 5000 પાર

ભાવનગર શહેર કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આજદિન સુધી 4653 કેસો થઈ ચૂક્યા છે અને 5000ની નજીક આંકડો પહોંચી રહ્યો છે. જે આગામી દિવસોમાં 5000 પાર જશે. ભાવનગર સર.ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 4492 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 68 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર.ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 86 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. તો સ્વસ્થ થવાનો આંકડો 4492 પર પહોંચી ગયો છે.

કોરોનાને લઇને પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં કોરોના કેસની સંખ્યા 10 થી 20 ની અંદર રહે છે. ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે, ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ના આવી જાય. પરંતુ સવાલ એ છે કે, આત્મનિર્ભર નહીં બનીએ તો કોરોનાની ઝપટમાં આવી જઇશું. જેથી લોકો પોતાની રોગપ્રતિકાર શક્તિ વધારવા ઘરે પણ આયુર્વેદ ઉપચારો કરી રહ્યા છે.

  • ભાવનગરમાં કોરોના કેસનો આંકડો 40 થી ઘટીને 20
  • આંકડા પાછળનું કારણ રેપીડ ટેસ્ટ અને આત્મનિર્ભરતા
  • શહેરમાં આજદિન સુધી 4653 કેસો નોંધાયા

ભાવનગર : શહેરમાં કોરોનાનો આંકડો 40 થી ઘટીને 20 પર આવી ગયો છે. ત્યારે લોકોમાં પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, કોરોનાનો આંકડો ઘટ્યો છે કે, પછી હકીકતમાં કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. ઘટી ગયેલા આંકડા પાછળ એવું પણ બની શકે કે, તંત્ર દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટ અને લોકોનું આત્મનિર્ભર બનવાનું પણ કારણ હોઈ શકે છે. ભાવનગરમાં પણ કોરોનાનો સ્વસ્થ થવાનો આંકડો સારો છે. ત્યારે આગામી દિવસોમા કોરોના સંપૂર્ણ જતો રહે તો પણ નવાઈ નહિ. શહેરમાં 5000 થી 347 કેસ આંકડો દૂર છે. ત્યારે ભાવનગરમાં હાલ કેસો સરકારના ચોપડે ઘટી ગયા છે. ભાવનગરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં ઘટી રહ્યા છે. શહેરમાં દિવસના રોજ 10 થી 20 કેસો આવી રહ્યા છે.

કોરોનાના કેસો વધવાને બદલે ઘટી રહ્યા

ભાવનગર શહેરમાં અનલોક હોવા છતાં કેસોની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે. કોરોનાના કેસો દિવસમાં 10 ઓછામાં ઓછા છેલ્લાં ઘણા દિવસોથી આવી રહ્યા છે. 10 થી લઈને 20 સુધી તો ક્યારેક 20ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી જાય છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો હતો. પણ હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી આવી રહ્યી છે. 22 ઓક્ટોમ્બરના દિવસે 21 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે.

કોરોનાનો આંક આગામી દિવસોમાં 5000 પાર

ભાવનગર શહેર કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આજદિન સુધી 4653 કેસો થઈ ચૂક્યા છે અને 5000ની નજીક આંકડો પહોંચી રહ્યો છે. જે આગામી દિવસોમાં 5000 પાર જશે. ભાવનગર સર.ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 4492 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 68 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર.ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 86 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. તો સ્વસ્થ થવાનો આંકડો 4492 પર પહોંચી ગયો છે.

કોરોનાને લઇને પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં કોરોના કેસની સંખ્યા 10 થી 20 ની અંદર રહે છે. ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે, ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ના આવી જાય. પરંતુ સવાલ એ છે કે, આત્મનિર્ભર નહીં બનીએ તો કોરોનાની ઝપટમાં આવી જઇશું. જેથી લોકો પોતાની રોગપ્રતિકાર શક્તિ વધારવા ઘરે પણ આયુર્વેદ ઉપચારો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.