ETV Bharat / state

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની હાલત બદથી બદતર

ભાવનગરઃ રાજ્યમાં 25 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકારે છેલ્લી બે ચૂંટણીમાં રાજ્યના મતદારોને આકર્ષવા માટે 'સબકા સાથ સબકા વિકાસ' નું સૂત્ર આપ્યું છે. ત્યારબાદ હવે 'સબકો આવાસ' નું સૂત્ર આપી તમામને ઘરના ઘરનું આપવના સ્વપ્નને સાકાર કરવાની તક આપી છે. સરકારે આ યોજના હેઠળ ભાવનગરના પછાત વિસ્તાર ભરતનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ખખડધજ મકાનોને તાત્કાલિક અસરથી ગરીબોને નવા મકાનો આપવાની લાયમાં છેલ્લા પાંચ વર્ષથી ઘર બહાર કાઢ્યા બાદ આજદિન સુધી તેમાં કોઈ જ કાર્યવાહી ન કરતા રહીશોની હાલત બદથી બદતર બની છે.

author img

By

Published : Jul 1, 2019, 1:45 PM IST

ભાવનગર

ભાવનગર શહેરના ભરતનગર-વર્ધમાનનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. અંદાજે 30 વર્ષથી વધુ જૂના આ મકાનો હાલ ખખડધજ અવસ્થામાં છે. આ યોજના તળે બનાવવામાં આવેલા મકાનો પૈકીના મોટાભાગના મકાનો હાલ પડી પણ ગયા છે અને તેમાં લોકોને જાનહાનિથી લઈ નાનું મોટું નુકસાન પણ થયું છે. આ બદતર સ્થિતિના કારણે અને મિલકતોની બિસ્માર હાલતને જોતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ વસાહતના વસાહતીઓને અંદાજે પાંચ વર્ષ પૂર્વે નવું ઘર આપવાની શરત અને નવું ઘર ન મળે ત્યાં સુધી ભાડું આપવાની શરત સાથે તમામને અન્યત્ર સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી હતી. આ તાકીદ અને યોજનાના પગલે અંદેજા 1 હજારથી વધુ રહીશો પોતે પોતાનું મકાન છોડીને અન્યત્ર ચાલ્યા ગયા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય વિતવા છતાં આ દિશામાં કોઇ જ પ્રકારની કાર્યવાહી થઇ નથી.

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની હાલત બદથી બદતર

સરકારના પ્રતિનિધિઓ અને અમલદારોએ સ્થાનિક રહીશોને એવી પણ ખાતરી આપી હતી કે, રહીશો ભાડે મકાન લે તો તેમને મકાન ભાડા પેટેની રકમ પણ સરકાર નિયમિત ચૂકવશે. હાલ પાંચ વર્ષથી બહાર રહેતા રહીશોને ભાડાપેટે ફદીયું પણ મળ્યું નથી. એક તરફથી તેમની માલિકીનું મકાન પણ મળી મળતું નથી અને બીજી તરફ તેમને નાછૂટકે ઉંચા ભાડા સાથે અન્યત્ર રહેવાની ફરજ પડે છે.

સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નગરસેવક ધારાસભ્યથી લઇ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી આ બાબતનો ઉકેલ આવ્યો નથી.

ભાવનગર શહેરના ભરતનગર-વર્ધમાનનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. અંદાજે 30 વર્ષથી વધુ જૂના આ મકાનો હાલ ખખડધજ અવસ્થામાં છે. આ યોજના તળે બનાવવામાં આવેલા મકાનો પૈકીના મોટાભાગના મકાનો હાલ પડી પણ ગયા છે અને તેમાં લોકોને જાનહાનિથી લઈ નાનું મોટું નુકસાન પણ થયું છે. આ બદતર સ્થિતિના કારણે અને મિલકતોની બિસ્માર હાલતને જોતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ વસાહતના વસાહતીઓને અંદાજે પાંચ વર્ષ પૂર્વે નવું ઘર આપવાની શરત અને નવું ઘર ન મળે ત્યાં સુધી ભાડું આપવાની શરત સાથે તમામને અન્યત્ર સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી હતી. આ તાકીદ અને યોજનાના પગલે અંદેજા 1 હજારથી વધુ રહીશો પોતે પોતાનું મકાન છોડીને અન્યત્ર ચાલ્યા ગયા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય વિતવા છતાં આ દિશામાં કોઇ જ પ્રકારની કાર્યવાહી થઇ નથી.

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની હાલત બદથી બદતર

સરકારના પ્રતિનિધિઓ અને અમલદારોએ સ્થાનિક રહીશોને એવી પણ ખાતરી આપી હતી કે, રહીશો ભાડે મકાન લે તો તેમને મકાન ભાડા પેટેની રકમ પણ સરકાર નિયમિત ચૂકવશે. હાલ પાંચ વર્ષથી બહાર રહેતા રહીશોને ભાડાપેટે ફદીયું પણ મળ્યું નથી. એક તરફથી તેમની માલિકીનું મકાન પણ મળી મળતું નથી અને બીજી તરફ તેમને નાછૂટકે ઉંચા ભાડા સાથે અન્યત્ર રહેવાની ફરજ પડે છે.

સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નગરસેવક ધારાસભ્યથી લઇ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી આ બાબતનો ઉકેલ આવ્યો નથી.

Intro:ગુજરાત રાજ્યમાં ૨૫ વર્ષથી સત્તા રોડ ભાજપ સરકારે છેલ્લી બે ચૂંટણીમાં હતી રાજ્યના મતદારોને આકર્ષવા માટે સબકા સાથ સબકા વિકાસ નું સૂત્ર આપ્યું છે ત્યાર બાદ હવે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકો આવાસ નું સૂત્ર આપી તમામને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની તક આપી છે સરકારે આજે યોજના તળે ભાવનગરના પછાત વિસ્તાર ગણાતા ભરતનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ખખડધજ મકાનો ને તાત્કાલિક અસરથી નવા બનાવી ગરીબોને નવા મકાનો આપવાની લાયમાં છેલ્લા પાંચ વર્ષથી ઘર બહાર કાઢયા બાદ આજદિન સુધી તેમાં કોઈ જ કાર્યવાહી ન કરતા રહીશોની હાલત બદથી બદતર બની છે


Body:ભાવનગર શહેરના ભરતનગર વર્ધમાનનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનો આવેલા છે અંદાજિત ૩૦ વર્ષથી વધુ જૂના આ મકાનો હાલ ખખડધજ અવસ્થામાં છે આ યોજના તળે બનાવવામાં આવેલા મકાનો પૈકીના મોટાભાગના મકાનો હાલ પડી પણ ગયા છે અને તેમાં લોકોને જાનહાનિ થી લઈ અને નાનું મોટું નુકસાન થયાના પણ દાખલા છે આ બદતર સ્થિતિના કારણે અને મિલકતોની બિસ્માર હાલત ને જોતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ વસાહતના વસાહતીઓને અંદાજે પાંચ વર્ષ પૂર્વે નવું ઘર આપવાની શરત અને નવું ઘર ન મળે ત્યાં સુધી ભાડું આપવાની શરત સાથે તમામને અન્યત્ર સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી હતી આ તાકીદ અને યોજનાના પગલે સ્થાનિક અંદાજિત ૧૦૦૦ થી વધુ રહીશો પોતે પોતાનું મકાન છોડીને અન્યત્ર ચાલ્યા ગયા હતા પરંતુ અંદાજ પાંચ વર્ષથી વધુનો સમય વિતવા છતાં આ દિશામાં કોઇ જ પ્રકારની કાર્યવાહી થઇ નથી.


સરકારના પ્રતિનિધિઓ અને અમલદારોએ સ્થાનિક રહીશોને એવા પ્રકારની પણ ખાતરી આપી હતી કે રહીશો ભાડે મકાન લે તો તેમને મકાન ભાડા પેટે ની રકમ પણ સરકાર નિયમિત ચૂકવશે હાલ પાંચ વર્ષથી બહાર રહેતા રહીશોને ભાડાપેટે ફદીયું પણ મળ્યું નથી આ પણ અધૂરું હોય તેમ તેઓને alkyd મકાનમાં કોઈ ગેરકાયદે પ્રવેશ પણ કરી તેનો કબજો લઇ લીધો હોવાથી તેમની હાલત બાવાના બંને બગડયા જેવી થઈ છે એક તરફથી તેમની માલિકીનું મકાન પણ મળી મળતું નથી અને બીજી તરફ તેમને નાછૂટકે ઉંચા ભાડા સાથે અન્યત્ર રહેવાની ફરજ પડે છે


Conclusion:સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નગરસેવક ધારાસભ્ય થી લઇ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી આ બાબતનો ઉકેલ આવ્યો નથી.


બાઈટ રાજેશ ગુંદીગરા,સ્થાનિક રહેવાસી
બાઈટ રાજેશ શાહ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.