- વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઇ વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે
- જિલ્લામાં 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા
- 140થી વધુ રસ્તાઓ બંધ થયા, જેમાંથી 100 ખોલી પણ નાખવામાં આવ્યા
ભાવનગર : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઈને દેશના વડાપ્રધાન પોતાના વતન ગુજરાતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને એરપોર્ટ પર તંત્રનો કાફલો એલર્ટ થઈ ગયો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિડ મેનેજમેન્ટ પર કરશે ચર્ચા, રાજ્યો-જિલ્લાના અધિકારીઓ સાથે કરશે વાતચીત
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કોવિડ 19ની સ્થિતિ અંગે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા
વડાપ્રધાન 10:30થી 11:30 વચ્ચે પહોંચીને નિરીક્ષણ કરશે
પિતા-પુત્રીના મોત અને 10 જેટલા પશુના મોત જિલ્લામાં થયા છે. ત્યારે 120 km કરતા વધુ પવન સાથે વાવાઝોડાએ માચાવેલી તબાહીનું નિરક્ષણ દેશના વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ 10:30થી 11:30 કલાક વચ્ચે પહોંચીને હેલિકોપટર મારફતે હવાઈ નિરીક્ષણ કરશે. જેથી ભાવનગર તંત્ર એરપોર્ટ પર ખડે પગે મોડી રાતથી થઈ ગયું છે.