ETV Bharat / state

વાવાઝોડાને પગલે વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં હવાઈ નિરક્ષણ કરશે - prime minister narendra modi

ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં તબાહી મચાવનાર તૌકતે વાવાઝોડાના નુક્શાનનું નિરીક્ષણ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે. ત્યારે ભાવનગર એરપોર્ટ પર તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાત્રે 11:30 આસપાસ વડાપ્રધાન ભાવનગર પોહચીને વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે.

વાવાઝોડાને પગલે વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં હવાઈ નિરક્ષણ કરશે
વાવાઝોડાને પગલે વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં હવાઈ નિરક્ષણ કરશે
author img

By

Published : May 19, 2021, 10:38 AM IST

Updated : May 19, 2021, 11:07 AM IST

  • વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઇ વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે
  • જિલ્લામાં 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા
  • 140થી વધુ રસ્તાઓ બંધ થયા, જેમાંથી 100 ખોલી પણ નાખવામાં આવ્યા

ભાવનગર : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઈને દેશના વડાપ્રધાન પોતાના વતન ગુજરાતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને એરપોર્ટ પર તંત્રનો કાફલો એલર્ટ થઈ ગયો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિડ મેનેજમેન્ટ પર કરશે ચર્ચા, રાજ્યો-જિલ્લાના અધિકારીઓ સાથે કરશે વાતચીત

વાવાઝોડામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયાજિલ્લામાં ગઈકાલે મંગળવારે વાવાઝોડા તૌકતેએ માચાવેલા આંતકમાં 5 હજારથી વધુ વૃક્ષો શહેર અને જિલ્લામાં તો 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા છે. 140થી વધુ રસ્તાઓ બંધ થયા છે. જેમાં 100 જેટલા માર્ગ ખોલી પણ નખાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ઉના વેરાવળ જેવા પંથકનું હવાઈ નિરીક્ષણ કરવા માટે દેશના વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કોવિડ 19ની સ્થિતિ અંગે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા

વડાપ્રધાન 10:30થી 11:30 વચ્ચે પહોંચીને નિરીક્ષણ કરશે

પિતા-પુત્રીના મોત અને 10 જેટલા પશુના મોત જિલ્લામાં થયા છે. ત્યારે 120 km કરતા વધુ પવન સાથે વાવાઝોડાએ માચાવેલી તબાહીનું નિરક્ષણ દેશના વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ 10:30થી 11:30 કલાક વચ્ચે પહોંચીને હેલિકોપટર મારફતે હવાઈ નિરીક્ષણ કરશે. જેથી ભાવનગર તંત્ર એરપોર્ટ પર ખડે પગે મોડી રાતથી થઈ ગયું છે.

  • વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઇ વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે
  • જિલ્લામાં 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા
  • 140થી વધુ રસ્તાઓ બંધ થયા, જેમાંથી 100 ખોલી પણ નાખવામાં આવ્યા

ભાવનગર : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઈને દેશના વડાપ્રધાન પોતાના વતન ગુજરાતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને એરપોર્ટ પર તંત્રનો કાફલો એલર્ટ થઈ ગયો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિડ મેનેજમેન્ટ પર કરશે ચર્ચા, રાજ્યો-જિલ્લાના અધિકારીઓ સાથે કરશે વાતચીત

વાવાઝોડામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયાજિલ્લામાં ગઈકાલે મંગળવારે વાવાઝોડા તૌકતેએ માચાવેલા આંતકમાં 5 હજારથી વધુ વૃક્ષો શહેર અને જિલ્લામાં તો 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા છે. 140થી વધુ રસ્તાઓ બંધ થયા છે. જેમાં 100 જેટલા માર્ગ ખોલી પણ નખાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ઉના વેરાવળ જેવા પંથકનું હવાઈ નિરીક્ષણ કરવા માટે દેશના વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કોવિડ 19ની સ્થિતિ અંગે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા

વડાપ્રધાન 10:30થી 11:30 વચ્ચે પહોંચીને નિરીક્ષણ કરશે

પિતા-પુત્રીના મોત અને 10 જેટલા પશુના મોત જિલ્લામાં થયા છે. ત્યારે 120 km કરતા વધુ પવન સાથે વાવાઝોડાએ માચાવેલી તબાહીનું નિરક્ષણ દેશના વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ 10:30થી 11:30 કલાક વચ્ચે પહોંચીને હેલિકોપટર મારફતે હવાઈ નિરીક્ષણ કરશે. જેથી ભાવનગર તંત્ર એરપોર્ટ પર ખડે પગે મોડી રાતથી થઈ ગયું છે.

Last Updated : May 19, 2021, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.