ETV Bharat / state

અલંગના ઉદ્યોગપતિ પર થયેલાં હુમલાને પગલે વેપારીઓએ અલંગ બંધની ચિમકી ઉચ્ચારી... - Attack on trade in Bhavnagar

ભાવનગરઃ શહેરના અલંગ રોડ પર બુધેલ નજીક બુધવાર સાંજે અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ અને ડ્રાઇવર પર ગાડી ઓવરટેક કરવાની સામાન્ય બાબતે દાનસંગ મોરી અને તેના સાથીદારોએ હુમલો કરી માર માર્યો હતો. આ ઘટનાના પગલે અલંગના વેપારીઓએ તાકીદે કલેકટર પાસે દોડી ગયા હતા અને હુમલાને અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. અલંગના વેપારીઓએ તાત્કાલિક ધોરણે હુમલો કરનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ જ્યાં સુધી હુમલાખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી શિપ બ્રેકિંગ યાર્ડ અને હીરા બજાર બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

અલંગ
author img

By

Published : Nov 13, 2019, 11:47 PM IST

ભાવનગર શહેરના અગ્રણી ઉદ્યોગપતિ પર કરાયેલાં હુમલાથી ચકચાર મચી હતી. આ ઘટનામાં વેપારી જીવરાજભાઈ મોણપરા, બટુકભાઈ માંગુકિયા, મુકેશભાઈ માંગુકિયા અને તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઈ પર હુમલાની થયો હતો. જેઓ ન્યાય મેળવવા માટે કલેકટર ઓફિસનો દોડી ગયા હતાં.

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ પર કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે હુમલો કરી મારમારવાની ઘટના બની હતી. જેમાં બટુકભાઈ માંગુકિયા પોતાની કારમાં ભાવનગરથી અલંગ જઈ રહ્યા હતાં, ત્યારે બુધેલ નજીક એક સ્કોર્પિયો કારે બેફીકરાઇ પૂર્વક ઓવરટેક કરવાની બાબતે દાનસંગ મોરીએ તેના સાથીઓએ સાથે મળીને વેપારી બટુકભાઈ અને ડ્રાઈવર જીર્તેન્દ્ર પર હુમલો કરી માર માર્યો હતો. તે દરમિયાન અન્ય સાથી ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉભા રહી દાનસંગને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે આ ઇસમોએ તેમને પણ માર માર્યો હતો.

આ ઘટના બાદ ભોગબનનાર વેપારીઓ ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર ખાતે કચેરી દોડી ગયા હતાં. તેમની રજૂઆત હતી કે, તાત્કાલિક ધોરણે વેપારીઓની ધરપકડ કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે તો આવતીકાલે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને હીરા બજારમાં બંધનું એલાન કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી હુમલાખોરો ન ઝડપાય ત્યાં સુધી કલેકટર કચેરી બહાર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કનુભાઇ બારૈયા અને પ્રવીણભાઈ મારુ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, વેપારીઓ પોતાની માગ પર અડગ રહ્યા હતાં.

આ મામલે સ્થાનિક પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પરંતુ, રોષે ભરાયેલાં વેપારીઓ તાત્કાલિક ધોરણે ન્યાયની માગ કરી રહ્યાં છે. જેના પગલે તેમણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતીકાલે તમામ ઉદ્યોગોને બંધ રાખવાનું જાહેર કર્યુ છે. જેમાં અલંગશિપ બ્રેકીંગયાર્ડ, સ્ક્રેપ મર્ચન્ટ એસો, રોલિંગ મિલ એસો, બિલ્ડર એસો, ડાયમંડ એસો અને ચેમ્બરની સાથે સંકળાયેલી 58 સંસ્થાઓ પણ બંધમાં જોડાવવાની છે.

આમ, શહેરના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ પર હુમલાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. જો આ મામલે કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા કોઈ કડક પગલા ભરવામાં નહિ આવે તો, વેપારીઓએ શહેર છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગર શહેરના અગ્રણી ઉદ્યોગપતિ પર કરાયેલાં હુમલાથી ચકચાર મચી હતી. આ ઘટનામાં વેપારી જીવરાજભાઈ મોણપરા, બટુકભાઈ માંગુકિયા, મુકેશભાઈ માંગુકિયા અને તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઈ પર હુમલાની થયો હતો. જેઓ ન્યાય મેળવવા માટે કલેકટર ઓફિસનો દોડી ગયા હતાં.

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ પર કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે હુમલો કરી મારમારવાની ઘટના બની હતી. જેમાં બટુકભાઈ માંગુકિયા પોતાની કારમાં ભાવનગરથી અલંગ જઈ રહ્યા હતાં, ત્યારે બુધેલ નજીક એક સ્કોર્પિયો કારે બેફીકરાઇ પૂર્વક ઓવરટેક કરવાની બાબતે દાનસંગ મોરીએ તેના સાથીઓએ સાથે મળીને વેપારી બટુકભાઈ અને ડ્રાઈવર જીર્તેન્દ્ર પર હુમલો કરી માર માર્યો હતો. તે દરમિયાન અન્ય સાથી ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉભા રહી દાનસંગને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે આ ઇસમોએ તેમને પણ માર માર્યો હતો.

આ ઘટના બાદ ભોગબનનાર વેપારીઓ ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર ખાતે કચેરી દોડી ગયા હતાં. તેમની રજૂઆત હતી કે, તાત્કાલિક ધોરણે વેપારીઓની ધરપકડ કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે તો આવતીકાલે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને હીરા બજારમાં બંધનું એલાન કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી હુમલાખોરો ન ઝડપાય ત્યાં સુધી કલેકટર કચેરી બહાર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કનુભાઇ બારૈયા અને પ્રવીણભાઈ મારુ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, વેપારીઓ પોતાની માગ પર અડગ રહ્યા હતાં.

આ મામલે સ્થાનિક પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પરંતુ, રોષે ભરાયેલાં વેપારીઓ તાત્કાલિક ધોરણે ન્યાયની માગ કરી રહ્યાં છે. જેના પગલે તેમણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતીકાલે તમામ ઉદ્યોગોને બંધ રાખવાનું જાહેર કર્યુ છે. જેમાં અલંગશિપ બ્રેકીંગયાર્ડ, સ્ક્રેપ મર્ચન્ટ એસો, રોલિંગ મિલ એસો, બિલ્ડર એસો, ડાયમંડ એસો અને ચેમ્બરની સાથે સંકળાયેલી 58 સંસ્થાઓ પણ બંધમાં જોડાવવાની છે.

આમ, શહેરના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ પર હુમલાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. જો આ મામલે કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા કોઈ કડક પગલા ભરવામાં નહિ આવે તો, વેપારીઓએ શહેર છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

Intro:એપૃવલ : વિહાર સર
ફોર્મેટ :પેકેજ

ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક આજે સાંજે અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ જીવરાજભાઈ મોણપરા, બટુકભાઈ માંગુકિયા, મુકેશભાઈ માંગુકિયા અને તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઈ પર ગાડી ઓવરટેક જેવી સામાન્ય બાબતે દાનસંગ મોરી અને તેના સાથીદારો દ્વારા હુમલો કરી મારમારવાની ઘટનાના બનવા પામી છે. આ ઘટનાના પગલે અલંગના વેપારીઓ તાકીદે કલેકટર પાસે દોડી ગયા હતા અને હુમલાને લઇ ઉગ્ર રજૂઆત કરી હતી.અને અલંગના વેપારીઓ દ્વારા જ્યાં સુધી આ હુમલાખોરો ને ઝડપી કાર્યવાહી ના કરવામાં આવે ત્યાં સુધી કલેકટર કચેરી ખાતે જ બેસી જવા ની ચીમકી તેમજ અલંગ બંધ ની જાહેરાત કરી હતી.જયારે કલેકટરે પર ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઇ તાકીદે જીલ્લા પોલીસવડા ને ત્યાં બોલાવી આ ઘટના આરોપીઓને ઝડપી પાડવા અંગે વાતચીત કરી હતી.જયારે ૫૮ જેટલી સહયોગી સંસ્થાએ પણ બંધમાં જોડાવાની જાહેરાત કરી હતી.Body:ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ પર કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે હુમલો કરી મારમારવાની ઘટના બનવા પામી છે.જેમાં બટુકભાઈ માંગુકિયા પોતાની કારમાં ભાવનગરથી અલંગ જઈ રહ્યા હતા ત્યારે બુધેલ નજીક એક સ્કોર્પિયો કારે બેફીકરાઇ પૂર્વક ઓવરટેક કરતા અને તેને આ બાબતે કહેતા આ કારમાં રહેલા દાનસંગ મોરી અને તેના સાથીઓએ ડ્રાઈવર જીર્તેન્દ્ર અને બટુકભાઈ પર હુમલો કરી માર માર્યો હતો. જયારે ત્યાંથી પસાર થતા અન્ય સાથી ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉભા રહી દાનસંગ ભાઈને સમજાવતા આ ઇસમોએ તેને પણ માર માર્યો હતો. અગ્રણી ઉદ્યોગપતિ જીવરાજભાઈ મોણપરા, બટુકભાઈ માંગુકિયા, મુકેશભાઈ માંગુકિયા અને તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઈ પર હુમલાની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી અને ભોગબનાનાર ઉદ્યોગપતિઓ કલેકટર ઓફિસે દોડી ગયા હતા જયારે મોટી સંખ્યામાં અન્ય સાથી ઉદ્યોગપતિઓ અને મિત્રો તેમજ અન્ય સંસ્થાના વેપારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. ભોગબનાનાર વેપારીઓ દ્વારા કલેકટરને આ બાબતે રોષભેર રજૂઆત કરી હતી તેમજ આવતીકાલે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને હીરા બજાર બંધનું એલાનની ચીમકી આપી હતી. તેમજ જ્યાં સુધી હુમલાખોરો ઝડપાય ના જાય ત્યાં સુધી કલેકટર કચેરી ખાતે જ બેસી રહેવાની ચીમકી આપી હતી. આ ઘટના ને લઇ ધારાસભ્ય કનુભાઇ બારૈયા અને પ્રવીણભાઈ મારુ કલેકટર ઓફિસે દોડી આવ્યા હતા. અલંગ ના ઉધોગપતિ પર જીવલેણ હુમલાના બનાવ સ્થળ વિસ્તારમાં પોલીસ દ્વારા તમામ હુમલાખોરો ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જયારે આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતી કાલે તમામ ઉદ્યોગ ને બંધનું એલાન કર્યું છે. જયારે અલંગશિપ બ્રેકીંગયાર્ડ , સ્ક્રેપ મર્ચન્ટ એસો, રોલિંગ મિલ એસો , બિલ્ડર એસો, ડાયમંડ એસો , તથા ચેમ્બર ની સાથે સંકળાયેલી ૫૮ સંસ્થા બંધમાં જોડાશેConclusion:ભારે નામના અને ખ્યાતી ધરાવતા ઉદ્યોગપતિઓ પર હુમલાની આજની આ ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો આગામી દિવસોમાં જોવા મળી શકે છે. જો આ ઘટનામાં કલેકટર અને જીલ્લા પોલીસવડા દ્વારા કોઈ કડક પગલા ભરવામાં નહિ આવે અને રાજકીય દબાણો વશ કોઈ કાર્યવાહી દાનસંગ મોરી વિરુદ્ધ નહિ કરવામાં આવે તો ઉદ્યોગપતિઓએ શહેર છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે જે ભાવનગર જીલ્લામાં લોકોની કેટલી સલામતી છે તેનું દ્રશ્ય બતાવે છે.

બાઈટ :રમેશ મેદપરા (અલંગ ઉદ્યોગપતિ)
બાઈટ :હરેશ પટેલ (રોલિંગ મિલ એસો.પ્રમુખ )
બાઈટ :વિષ્ણુ ગુપ્તા (અલંગ એસો.પ્રમુખ )
બાઈટ : મુકેશભાઈ પટેલ (ભોગ બનનાર ના ભાઈ)
બાઈટ : બટુકભાઈ પટેલ (ભોગ બનનાર અલંગ ઉદ્યોગપતિ , )
બાઈટ : પ્રકાશભાઈ (એક્સ ,સૌરાષ્ટ્ર ચેમ્બર ,પ્રમુખ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.