ETV Bharat / state

અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ પર NSUIનું હલ્લાબોલ - ફીની માર્ગદર્શિકા

ભરૂચમાં અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ પર એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યો હતો. અંકલેશ્વર ખાતે આવેલી એસેન્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સ્કૂલને તાળાબંધી પણ કરી હતી.

અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલે ફી તો વધુ વસૂલી લીધી, જુઓ પછી NSUIએ શું કર્યું...?
અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલે ફી તો વધુ વસૂલી લીધી, જુઓ પછી NSUIએ શું કર્યું...?
author img

By

Published : Nov 11, 2020, 4:36 PM IST

  • NSUIએ ભરૂચની એસેન્ટ સ્કૂલ સામે બાંયો ચઢાવી
  • સ્કૂલે વધુ ફી વસૂલતા NSUIએ સ્કૂલમાં કરી તાળાબંધી
  • લાલચુ શાળા તગડી ફી વસૂલે છે, જે નિંદનીયઃ NSUI

ભરૂચઃ કોરોના કાળ દરમિયાન શાળા કોલેજ બંધ છે. આ સમયે સરકારે શાળાઓને વધુ ફી ન વસૂલવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. છતાં કેટલીક શાળાઓ દ્વારા વધુ ફી વસૂલવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ભરૂચ એનએસયુઆઈના સભ્યોને માહિતી મળી હતી કે, અંકલેશ્વરની એસેંટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓએ પાસેથી વધુ ફી વસૂલવામાં આવે છે. આથી આજ રોજ એનએસયુઆઈના સભ્યોએ શાળા ખાતે હલ્લો બોલાવ્યો હતો અને શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. એનએસયુઆઈના સભ્યો દ્વારા શાળાના સંચાલકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ પર NSUIનું હલ્લાબોલ
અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ પર NSUIનું હલ્લાબોલ

કેટલીક લાલચુ શાળા તગડી ફી વસૂલે છેઃ NSUI

આ અંગે એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હોવા કેટલીક લાલચુ શાળાના સંચાલકો તગડી ફી વસૂલી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે ત્યારે જે જે શાળાઓ દ્વારા આવી ફી વસૂલવામાં આવતી હશે તેઓ સામે અમારું આંદોલન ચાલુ રહેશે.

  • NSUIએ ભરૂચની એસેન્ટ સ્કૂલ સામે બાંયો ચઢાવી
  • સ્કૂલે વધુ ફી વસૂલતા NSUIએ સ્કૂલમાં કરી તાળાબંધી
  • લાલચુ શાળા તગડી ફી વસૂલે છે, જે નિંદનીયઃ NSUI

ભરૂચઃ કોરોના કાળ દરમિયાન શાળા કોલેજ બંધ છે. આ સમયે સરકારે શાળાઓને વધુ ફી ન વસૂલવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. છતાં કેટલીક શાળાઓ દ્વારા વધુ ફી વસૂલવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ભરૂચ એનએસયુઆઈના સભ્યોને માહિતી મળી હતી કે, અંકલેશ્વરની એસેંટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓએ પાસેથી વધુ ફી વસૂલવામાં આવે છે. આથી આજ રોજ એનએસયુઆઈના સભ્યોએ શાળા ખાતે હલ્લો બોલાવ્યો હતો અને શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. એનએસયુઆઈના સભ્યો દ્વારા શાળાના સંચાલકોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ પર NSUIનું હલ્લાબોલ
અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ પર NSUIનું હલ્લાબોલ

કેટલીક લાલચુ શાળા તગડી ફી વસૂલે છેઃ NSUI

આ અંગે એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હોવા કેટલીક લાલચુ શાળાના સંચાલકો તગડી ફી વસૂલી રહ્યા છે, જે ખરેખર નિંદનીય છે ત્યારે જે જે શાળાઓ દ્વારા આવી ફી વસૂલવામાં આવતી હશે તેઓ સામે અમારું આંદોલન ચાલુ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.