ETV Bharat / state

ભરૂચમાં કોરોનાના કેસમાં વધારો, મૃત્યુદર ઘટતા રાહત

author img

By

Published : Oct 6, 2020, 6:08 PM IST

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, કોરોનાથી વિશ્વમાં 10 લાખથી વધુ લોકોના મોત થયા છે, તેમજ હજુ પણ સ્થિતિ નિયંત્રણ બહાર છે. ભારતમાં 1 લાખ લોકો આ રોગચાળાથી મૃત્યુ પામ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જુલાઈના અંતથી સપ્ટેમ્બર સુધી તબાહી સર્જાયા બાદ હવે મૃત્યુ દર નીચો ગયો છે. 29 સપ્ટેમ્બર બાદ દિવસના 1 થી 3 સરેરાશ કોરોના દર્દીઓના મૃત્યુ કોવિડ સ્મશાનમાં નોંધાઈ રહ્યા છે.

corona mortality
ભરૂચમાં કોરોનાના કેસમાં વધારો તો મૃત્યુદર ઘટતા રાહત

ભરૂચમાં કોરોનાનો મૃત્યુદર ઘટતા રાહત

  • 29 સપ્ટેમ્બર બાદ દિવસના સરેરાશ 1 થી 3 કોરોના દર્દીઓના મૃત્યુ નોંધાયા
  • અગાઉ રોજનો સરેરાશ 7 દર્દીઓનો મૃત્યુદર હતો
  • જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, જો કે, મૃત્યુદર ઘટના લોકોમાં રાહત

ભરૂચઃ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે, જો કે, રાહતના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે, 25 સપ્ટેમ્બર બાદ કોરોનાનો મૃત્યુ દર ઘટ્યો છે. કોવિડ સ્મશાનગૃહમાંથી મળેલા આંકડા અનુસાર જુલાઈના અંતિમ સપ્તાહથી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ સુધી સ્મશાનમાં દિવસના 10 સુધી કોરોના દર્દીઓના મૃતદેહની અંતિમક્રિયા કરાઈ હતી. જો કે, હવે 25 સપ્ટેમ્બર બાદ દૈનિક 1 થી 3 કોરોના દર્દીઓના મૃત્યુ સામે આવી રહ્યા છે.

ભરૂચમાં કોરોનાના કેસમાં વધારો તો મૃત્યુદર ઘટતા રાહત

જુલાઈના અંતથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી અનેક વખત સ્મશાન નાનું પડ્યું હોવાની પરિસ્થિઓ સર્જાઈ હતી. 31 જુલાઈએ સૌથી વધુ એક દિવસમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઓગસ્ટે 10 મૃતદેહ અંતિમક્રિયા માટે કોવીડ સ્મશાન લવાયા હતા. આ ઉપરાંત 7 થી 10 મૃત્યુ સુધીની પરિસ્થિતિ અનેકવાર સર્જાઈ ચુકી છે. વિશ્વભરમાં કોરોનાથી અનેક લોકો મૃત્યુ પામી ચુક્યા છે અને હજુ વેક્સીનને આવતા 3 મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા છે, ત્યારે જિલ્લામાં હાલની સારવાર દરમિયાન નિયંત્રણમાં આવી રહેલા મૃત્યુ દરથી રાહત મળી રહી છે.

ભરૂચમાં કોરોનાનો મૃત્યુદર ઘટતા રાહત

  • 29 સપ્ટેમ્બર બાદ દિવસના સરેરાશ 1 થી 3 કોરોના દર્દીઓના મૃત્યુ નોંધાયા
  • અગાઉ રોજનો સરેરાશ 7 દર્દીઓનો મૃત્યુદર હતો
  • જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, જો કે, મૃત્યુદર ઘટના લોકોમાં રાહત

ભરૂચઃ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે, જો કે, રાહતના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે, 25 સપ્ટેમ્બર બાદ કોરોનાનો મૃત્યુ દર ઘટ્યો છે. કોવિડ સ્મશાનગૃહમાંથી મળેલા આંકડા અનુસાર જુલાઈના અંતિમ સપ્તાહથી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ સુધી સ્મશાનમાં દિવસના 10 સુધી કોરોના દર્દીઓના મૃતદેહની અંતિમક્રિયા કરાઈ હતી. જો કે, હવે 25 સપ્ટેમ્બર બાદ દૈનિક 1 થી 3 કોરોના દર્દીઓના મૃત્યુ સામે આવી રહ્યા છે.

ભરૂચમાં કોરોનાના કેસમાં વધારો તો મૃત્યુદર ઘટતા રાહત

જુલાઈના અંતથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી અનેક વખત સ્મશાન નાનું પડ્યું હોવાની પરિસ્થિઓ સર્જાઈ હતી. 31 જુલાઈએ સૌથી વધુ એક દિવસમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઓગસ્ટે 10 મૃતદેહ અંતિમક્રિયા માટે કોવીડ સ્મશાન લવાયા હતા. આ ઉપરાંત 7 થી 10 મૃત્યુ સુધીની પરિસ્થિતિ અનેકવાર સર્જાઈ ચુકી છે. વિશ્વભરમાં કોરોનાથી અનેક લોકો મૃત્યુ પામી ચુક્યા છે અને હજુ વેક્સીનને આવતા 3 મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા છે, ત્યારે જિલ્લામાં હાલની સારવાર દરમિયાન નિયંત્રણમાં આવી રહેલા મૃત્યુ દરથી રાહત મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.