- જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે નરેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
- શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું
- મહેશ-નરેશના જવાથી ન પૂરી શકાય તેવી ખોટલોકગાયક અભેસિંહ રાઠોડે નરેશ કનોડિયાને ભરુચમાં શ્રદ્ધાંજલિ અર્પી
ભરુચઃ જાણીતા લોકગાયક અને ભરૂચને કર્મભૂમિ બનાવનારા અભેસિંહ રાઠોડે નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. અભેસિંહ રાઠોડ પ્રોગ્રેસીવ શાળા ખાતે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પવા સભા યોજાઈ તેમાં હાજર રહ્યાં હતાં અને બે મિનીટનું મોંન પાળી નરેશ કનોડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. લોકગાયક અભેસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ જેમના માટે ગોરવ અનુભવી શકે એવા નરેશ અને મહેશ કનોડિયાના નિધનથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે.