ETV Bharat / state

મૃતકના પરિવારને આ કંપની આપશે રૂપિયા 25 લાખનું વળતર

author img

By

Published : May 21, 2022, 6:08 PM IST

દહેજની ભારત રસાયનમાં (Blast Dahej Bharat Chemical Company) મંગળવારે બપોરે સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડની ઉત્પાદન પ્રક્રિયા વેળા અચાનક બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઈજાગ્રસ્ત કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે.

મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું
મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું

ભરૂચ: દહેજની ભારત રસાયણ કંપનીમાં (Blast Dahej Bharat Chemical Company) મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઈજાગ્રસ્ત કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે. બે હતભાગી કામદારોના મોતમાં ગુરુવારે પરિજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. સ્વજનને ગુમાવવાનું દુઃખ વચ્ચે વળતરનો વિવાદ કલાકો સુધી ચાલ્યો હતો.

મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું

આ પણ વાંચો: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 7 લોકો સામે ગુનો નોંધાયો

મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર : બુધવારે કંપની દ્વારા ૩ મૃતકોના પરિજનોને રૂપિયા 15 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે વળતરને લઈ વિવાદ થતા ભારત રસાયણ કંપનીએ વળતર વધારી રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું છે.

13 કામદારો સારવાર હેઠળ : બાળકોનો ભણવાનો ખર્ચ તેમજ ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારનો ખર્ચ વહન કરવા અને પગાર ચાલુ રાખવાની પણ ખાતરી અપાઈ છે. ઘટનાને 48 કલાકનો સમય થઈ ગયો છે. જેમાં 17 કામદારો સ્વસ્થ થતા રજા અપાઈ છે. જ્યારે હજી પણ ICU માં 4 થી વધુ ઇજાગ્રસ્ત કર્મચારી સહિત કુલ 13 કામદારો સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: દહેજની યશસ્વી બ્લાસ્ટ ઘટનામાં મૃત્યુ આંક વધીને 10 થયો

ભરૂચ: દહેજની ભારત રસાયણ કંપનીમાં (Blast Dahej Bharat Chemical Company) મંગળવારે બપોરે 3 કલાકના અરસામાં બ્લાસ્ટ અને ફાયરની ઘટનાના 48 કલાક બાદ પણ હજી 36 ઈજાગ્રસ્ત કામદારો પૈકી 13 સારવાર હેઠળ જ્યારે 4 ICU માં છે. બે હતભાગી કામદારોના મોતમાં ગુરુવારે પરિજનોએ મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેતા કંપની સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. સ્વજનને ગુમાવવાનું દુઃખ વચ્ચે વળતરનો વિવાદ કલાકો સુધી ચાલ્યો હતો.

મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું

આ પણ વાંચો: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 7 લોકો સામે ગુનો નોંધાયો

મૃતકના પરિવારને રૂપિયા 25 લાખ આપવાનું જાહેર : બુધવારે કંપની દ્વારા ૩ મૃતકોના પરિજનોને રૂપિયા 15 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે વળતરને લઈ વિવાદ થતા ભારત રસાયણ કંપનીએ વળતર વધારી રૂપિયા 25 લાખ આપવાનું જાહેર કર્યું છે.

13 કામદારો સારવાર હેઠળ : બાળકોનો ભણવાનો ખર્ચ તેમજ ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારનો ખર્ચ વહન કરવા અને પગાર ચાલુ રાખવાની પણ ખાતરી અપાઈ છે. ઘટનાને 48 કલાકનો સમય થઈ ગયો છે. જેમાં 17 કામદારો સ્વસ્થ થતા રજા અપાઈ છે. જ્યારે હજી પણ ICU માં 4 થી વધુ ઇજાગ્રસ્ત કર્મચારી સહિત કુલ 13 કામદારો સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: દહેજની યશસ્વી બ્લાસ્ટ ઘટનામાં મૃત્યુ આંક વધીને 10 થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.