જંબુસરના સારોદ ગામ નજીક આવેલી પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં એગ્રો પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે. સોમવારે કંપનીના મચ ફિલ્ટર મશીનમાં પી.એન.પી નામના પ્રોડક્ટના ઇન્ટરમિડીએટની પ્રોસેસ ચાલી રહી હતી. જેમાં ફિલ્ટર મશીનના ક્લોથના પરના ભાગ નાઇટ્રોજન પ્રેસર અપાઈ રહ્યું હતું. તે દરમિયાન કોઈ કારણસર રાસાયણિક પ્રેસર વધી જતાં ફિલ્ટરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે ફરજ બજાવતાં 14 કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હૉસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
ગતરોજ સારવાર દરમિયાન 14 ઈજાગ્રસ્ત કામદાર પૈકી દયાશંકર રાજપૂત, ઐયુબ ગની ઘાંચી અને અશરફ એચ. દિવાન નામના 3 કામદારોના મોત થયા હતા. ત્યારે સારવાર દરમિયાન વધુ એક કામદારનું મોત થતાં પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. જો કે, હજુ પણ 10 કામદારો સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હજુ સુધી પ્લાન્ટમાં તપાસમાં ધરવામાં આવી નથી.