ETV Bharat / state

બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ... - સાયરન સિસ્ટમ

ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાં નિરાધાર અને ત્યજેલા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી તેમની કાળજી માટે બાળ સંરક્ષણગૃહ બનાવાયા છે. ત્યારે સ્પેશિયલ એડોપશન એજન્સીના નેજા હેઠળ 6 વર્ષ સુધીના બાળકોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. પાલનપુર બાળ સંરક્ષણગૃહમાં આવા બાળકોને કોઈ મૂકી શકે તે માટે બનાવેલ પારણાં બનાવવામાં આવ્યા છે. આ પારણામાં ખાસ સાયરન સિસ્ટમ પણ લાગવાઈ છે. આ પ્રકારનો પ્રયોગ કરનાર પાલનપુર બાળ સંરક્ષણગૃહ રાજ્યનું સૌપ્રથમ ગૃહ છે. સાયરન ઓફિસમાં જ સાંભળતું હોવાથી ભય વિના વ્યક્તિ બાળક મૂકી જાય છે.

બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...
બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...
author img

By

Published : Dec 22, 2020, 9:01 AM IST

  • બનાસકાંઠાના પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં મુકાઈ સાયરન સિસ્ટમ
  • સંરક્ષણ ગૃહમાં બાળકોને લોકો પારણાંમા મૂકી જાય છે
  • પારણાંમાં જેવું બાળક મુકવામાં આવશે એટલે સાયરન વાગી જશે
  • બાળ સંરક્ષણ ગૃહમાં મૂકાયેલી સાયરન માત્ર ઓફિસમાં જ સંભળાશે
    બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...
    બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...

બનાસકાંઠાઃ બાળ સંરક્ષણ ગૃહે રાજ્યમાં સૌપ્રથમ વખત પારણાં કેન્દ્રમાં સાયરન સિસ્ટમ ગોઠવી અનોખી વ્યવસ્થા ઊભી કરી છે. પરિવાર વિનાના બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે બાળ સંરક્ષણ ગૃહ ઊભા કરાયા છે, જેમાં 18 વર્ષ સુધીના બાળકોના રક્ષણ અને જતનની જવાબદારી સરકાર ઊઠાવે છે. કેટલીક વખત પરિસ્થિતિનો બનેલી માતાઓ પોતાના જન્મજાત બાળકોને અવાવરું જંગલ કે રસ્તા પર છોડી દેતી હોય છે. ત્યારે સરકારે આવા બાળકોનું રક્ષણ અને જતન થાય તે હેતુથી દરેક બાળ સંરક્ષણ ગૃહમાં અનામી પારણું બનાવ્યું છે. આથી આવી માતાએ બાળકને રસ્તા પર છોડવાની જગ્યાએ આ પારણામાં મૂકી જાય છે. જેની દેખરેખ બાળ સંરક્ષણ ગૃહમાં આવેલી સ્પેશિયલ એડોપ્શન એજન્સી દ્વારા રાખવામાં આવે છે.

બાળ સંરક્ષણ ગૃહમાં સાયરન સિસ્ટમ લગાવનાર પાલનપુર પહેલું

જોકે, બનાસકાંઠા બાળ સંરક્ષણગૃહે રાજ્યમાં સૌપ્રથમ વખત હવે આ અનામી પારણાંમાં સાયરન સિસ્ટમ ગોઠવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ સાયરનની વિશેષતા એ છે કે, તેનું સાયરન અંદર ઓફિસમાં જ સંભળાતું હોવાથી બાળક મૂકવા આવનારી વ્યક્તિ ભય વિના બાળકને મૂકી જાય છે. તેમ જ સાયરન વાગતાં જ તાત્કાલિક કર્મચારી આવા બાળકનો કબજો લઈ તેની યોગ્ય માવજત કરે છે.

દર વર્ષે 25થી વધુ બાળકો આવે છે આ અનામી પારણાંમાં
નિરાધાર બાળકને પણ તંદુરસ્ત જીવન અને વિકાસનો સંપૂર્ણ અધિકાર છે, જેને ધ્યાને લઈ આ પ્રકારની ખાસ સુવિધા બાળ સંરક્ષણગૃહમાં ઉભી કરાઈ છે. દર વર્ષે આ અનામી પારણાંમાં 25 જેટલા બાળકો આવતાં હોય છે. આ બાળકોની યોગ્ય માવજત, સંપૂર્ણ પોષણયુક્ત આહાર, રમતગમત સહિત બધી જ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. નિરાધાર બાળકોના પુનઃસ્થાપન માટે પણ કરાય છે. અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આવા બાળકોને ફરીથી માતાપિતાની હૂંફ મળી રહે તે માટે તેમના માતાપિતાને શોધી તેઓને બાળક સોંપાય છે. તેમ જ જે બાળકોના માતાપિતા નથી મળતાં તેવા બાળકોને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયા દ્વારા દત્તક લેવાની અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

  • બનાસકાંઠાના પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં મુકાઈ સાયરન સિસ્ટમ
  • સંરક્ષણ ગૃહમાં બાળકોને લોકો પારણાંમા મૂકી જાય છે
  • પારણાંમાં જેવું બાળક મુકવામાં આવશે એટલે સાયરન વાગી જશે
  • બાળ સંરક્ષણ ગૃહમાં મૂકાયેલી સાયરન માત્ર ઓફિસમાં જ સંભળાશે
    બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...
    બનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...

બનાસકાંઠાઃ બાળ સંરક્ષણ ગૃહે રાજ્યમાં સૌપ્રથમ વખત પારણાં કેન્દ્રમાં સાયરન સિસ્ટમ ગોઠવી અનોખી વ્યવસ્થા ઊભી કરી છે. પરિવાર વિનાના બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે બાળ સંરક્ષણ ગૃહ ઊભા કરાયા છે, જેમાં 18 વર્ષ સુધીના બાળકોના રક્ષણ અને જતનની જવાબદારી સરકાર ઊઠાવે છે. કેટલીક વખત પરિસ્થિતિનો બનેલી માતાઓ પોતાના જન્મજાત બાળકોને અવાવરું જંગલ કે રસ્તા પર છોડી દેતી હોય છે. ત્યારે સરકારે આવા બાળકોનું રક્ષણ અને જતન થાય તે હેતુથી દરેક બાળ સંરક્ષણ ગૃહમાં અનામી પારણું બનાવ્યું છે. આથી આવી માતાએ બાળકને રસ્તા પર છોડવાની જગ્યાએ આ પારણામાં મૂકી જાય છે. જેની દેખરેખ બાળ સંરક્ષણ ગૃહમાં આવેલી સ્પેશિયલ એડોપ્શન એજન્સી દ્વારા રાખવામાં આવે છે.

બાળ સંરક્ષણ ગૃહમાં સાયરન સિસ્ટમ લગાવનાર પાલનપુર પહેલું

જોકે, બનાસકાંઠા બાળ સંરક્ષણગૃહે રાજ્યમાં સૌપ્રથમ વખત હવે આ અનામી પારણાંમાં સાયરન સિસ્ટમ ગોઠવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ સાયરનની વિશેષતા એ છે કે, તેનું સાયરન અંદર ઓફિસમાં જ સંભળાતું હોવાથી બાળક મૂકવા આવનારી વ્યક્તિ ભય વિના બાળકને મૂકી જાય છે. તેમ જ સાયરન વાગતાં જ તાત્કાલિક કર્મચારી આવા બાળકનો કબજો લઈ તેની યોગ્ય માવજત કરે છે.

દર વર્ષે 25થી વધુ બાળકો આવે છે આ અનામી પારણાંમાં
નિરાધાર બાળકને પણ તંદુરસ્ત જીવન અને વિકાસનો સંપૂર્ણ અધિકાર છે, જેને ધ્યાને લઈ આ પ્રકારની ખાસ સુવિધા બાળ સંરક્ષણગૃહમાં ઉભી કરાઈ છે. દર વર્ષે આ અનામી પારણાંમાં 25 જેટલા બાળકો આવતાં હોય છે. આ બાળકોની યોગ્ય માવજત, સંપૂર્ણ પોષણયુક્ત આહાર, રમતગમત સહિત બધી જ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. નિરાધાર બાળકોના પુનઃસ્થાપન માટે પણ કરાય છે. અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આવા બાળકોને ફરીથી માતાપિતાની હૂંફ મળી રહે તે માટે તેમના માતાપિતાને શોધી તેઓને બાળક સોંપાય છે. તેમ જ જે બાળકોના માતાપિતા નથી મળતાં તેવા બાળકોને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયા દ્વારા દત્તક લેવાની અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.