બનાસકાંઠા: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા, જિલ્લા કલેક્ટર દ્રારા ડીસા અને પાલનપુરમાં બપોર 4 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનું જાહેરનામું પહેલા બહાર પાડવામાં આવ્યુ હતુ. તે જાહેરનામાની અવધિ આજે પૂર્ણ થતાં ફરી એકવાર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સાંજે 4 થી સવારના 7 વાગ્યા સુધી વેપાર-વાણિજ્ય બંધ રાખવા જણાવ્યુ છે.
![બનાસકાંઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8195872_257_8195872_1595869489977.png)
જિલ્લા કલેક્ટરે 27 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીનું જાહેરનામું અમલમાં મુક્યુ છે. જેમાં પાલનપુર અને ડીસા પાલિકાના સમગ્ર વિસ્તારોમાં તમામ શોપિંગ કોમ્પલેક્ષ, શાકમાર્કેટ, શાકભાજીનું વિતરણ, પાનમસાલાની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, તમામ વોક-વે, બાગ-બગીચા સવારના 7 થી બપોરના 4 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ કર્યો છે, જવાના કારણે વધુ એકવાર 4 વાગ્યા પછી લોકડાઉન જેવી સ્થિતિ બની છે.