ટોટાણા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સદારામ બાપાએ પોતાના જીવનને ભક્તિમય બનાવ્યું અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું. જેને લઈને અનેક ઘરો વ્યસનની કુટેવથી દુર પણ રહ્યા. તેમનો દેહવિલય થતા સમગ્ર ભક્તગણમાં શોક છવાઇ ગયો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સદારામ બાપુની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. તેમણે આ દિવસને ખૂબ જ દુઃખદ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વ્યસન મુક્તિ અભિયાન થકી સંત શિરોમણીએ જે અભિયાન ચલાવ્યું અને સમાજને એક નવી રાહ ચિંધી તે આવનારી નવી પેઢી માટે પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે અને આવનાર નવી પેઢી પણ બાપાના જીવનમાંથી પ્રેરણા લે અને એ માર્ગ તરફ વળે તેવું તેમણે જણાવ્યું હતું.
સદારામ બાપુનું અવસાન થતાં તેમને વિધિવત રીતે આશ્રમનો તાજ સોંપવામાં આવ્યો હતો અને તેમના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.