ETV Bharat / state

સંત સદારામ બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન, દાસબાપુ બન્યાં ગાદીપતિ - CM

બનાસકાંઠાઃ જિલ્લાના ટોટાણાના સંત શિરોમણી સદારામ બાપુનો દેહવિલય થતા તેમની અંતિમયાત્રા નીકળી હતી. સદારામ બાપુની અંતિમ વિધિમાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અનેક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભત્રીજા અને સેવક દાસબાપુને ગાદીપતિ બનાવવામાં આવ્યાં છે. સદારામ બાપુનું અવસાન થતાં તેમને વિધિવત રીતે બ્રાહ્મણોની હાજરીમાં અને મંત્રોચ્ચાર સાથે તેમને આશ્રમનો તાજ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના સેવક દાસબાપુના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 15, 2019, 9:17 PM IST

ટોટાણા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સદારામ બાપાએ પોતાના જીવનને ભક્તિમય બનાવ્યું અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું. જેને લઈને અનેક ઘરો વ્યસનની કુટેવથી દુર પણ રહ્યા. તેમનો દેહવિલય થતા સમગ્ર ભક્તગણમાં શોક છવાઇ ગયો હતો.

સંત સદારામ બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન, દાસબાપુ બન્યાં ગાદીપતિ

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સદારામ બાપુની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. તેમણે આ દિવસને ખૂબ જ દુઃખદ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વ્યસન મુક્તિ અભિયાન થકી સંત શિરોમણીએ જે અભિયાન ચલાવ્યું અને સમાજને એક નવી રાહ ચિંધી તે આવનારી નવી પેઢી માટે પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે અને આવનાર નવી પેઢી પણ બાપાના જીવનમાંથી પ્રેરણા લે અને એ માર્ગ તરફ વળે તેવું તેમણે જણાવ્યું હતું.

સદારામ બાપુનું અવસાન થતાં તેમને વિધિવત રીતે આશ્રમનો તાજ સોંપવામાં આવ્યો હતો અને તેમના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ટોટાણા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સદારામ બાપાએ પોતાના જીવનને ભક્તિમય બનાવ્યું અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું. જેને લઈને અનેક ઘરો વ્યસનની કુટેવથી દુર પણ રહ્યા. તેમનો દેહવિલય થતા સમગ્ર ભક્તગણમાં શોક છવાઇ ગયો હતો.

સંત સદારામ બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન, દાસબાપુ બન્યાં ગાદીપતિ

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સદારામ બાપુની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. તેમણે આ દિવસને ખૂબ જ દુઃખદ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વ્યસન મુક્તિ અભિયાન થકી સંત શિરોમણીએ જે અભિયાન ચલાવ્યું અને સમાજને એક નવી રાહ ચિંધી તે આવનારી નવી પેઢી માટે પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે અને આવનાર નવી પેઢી પણ બાપાના જીવનમાંથી પ્રેરણા લે અને એ માર્ગ તરફ વળે તેવું તેમણે જણાવ્યું હતું.

સદારામ બાપુનું અવસાન થતાં તેમને વિધિવત રીતે આશ્રમનો તાજ સોંપવામાં આવ્યો હતો અને તેમના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

લોકેશન... કાંકરેજ.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 15 05 2019

સલગ.. સદારામ બાપુ નો અગ્નિદા

એન્કર...બનાસકાંઠાના ટોટાણા સંત શિરોમણી સદારામ બાપુના દેહવિલય થયો ત્યારે આ જેમની અંતિમયાત્રા નીકળી હતી અને સદારામ બાપુની અંતિમ વિધિમાં રાજયના સીએમ વિજય રૂપાણી સહિત અનેક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા 

વિઓ...ટોટાણા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા સદારામ બાપાએ પોતાના જીવનને ભક્તિમય બનાવ્યું અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું જેને લઈને અનેક ઘરો માં ઉજાલા પણ થયા ત્યારે રાજયના સીએમ વિજય રૂપાણીએ આજે ગુજરાતના દિવસને ખૂબ જ દુઃખદ દિવસ ગણાવી અને વ્યસન મુક્તિ અભિયાન થકી સંત શિરોમણી જે અભિયાન ચલાવ્યું અને સમાજને એક નવો રાહ ચિંધ્યો તે આવનારી નવી પેઢી માટે પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ છે અને આવનાર નવી પેઢી પણ બાપાના જીવનમાંથી પ્રેરણા લે અને એ માર્ગ તરફ વળે ત્યારે સીએમ વિજય રૂપાણીએ સદારામ બાપાની અંતિમ વિધિમાં હાજરી આપી અને આજના દિવસને ખૂબ જ દુઃખદ દિવસ ગણાવ્યો હતો...

બાઈટ ..વિજય રૂપાણી
( ગુજરાત, સી એમ )

વિઓ...જોકે તેમના ભત્રીજા અને સેવક દાસ બાપુને ગાદી પતિ બનાવવા મા આવ્યા છે સદારામ બાપુનું  અવસાન થતાં તેમને વિધિવત રિયે અને બ્રહ્મણો ની હાજરી મા અને મંત્રોચ્ચાર અને હજારો ની મેદની ની સાક્ષીએ તેમને આશ્રમ નો તાજ સોંપવામાં આવ્યો હતો ત્યાર બાદ તેમના  સેવક દાસબાપુ ના હસ્તે સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો...

બાઈટ... દાસબાપુ
(  સદારામ બાપુ ના ભત્રીજા )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.