ETV Bharat / state

358 સુવર્ણ કળશવાળુ ભારતનું એક માત્ર શક્તિપીઠ 'અંબાજી', PM મોદી પણ માઁ અંબાના ભક્ત

author img

By

Published : Sep 13, 2019, 10:33 AM IST

Updated : Sep 13, 2019, 10:51 AM IST

ન્યૂઝ ડેસ્કઃ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે પૂનમ છે, ત્યારે આ ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખો માઁ અંબાના દર્શન કરી પરત થઈ રહ્યાં છે. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો અનેરો મહિમા છે. અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળામાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. હજારો શ્રદ્ધાળુંઓ અંબાજીનાં દર્શનાર્થે આવ્યાં હતાં. મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ થતા દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. અંબાજી મંદિર પરિસર પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુંઓના પરિવહન માટે ST નિગમ પણ મોટી વ્યવસ્થા કરી હતી. ભાવિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહ્યું છે.

etv bharat ambaji

માઁ અંબાનું પ્રાગટ્ય
ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠાના દાતાના અંબાજીમાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિભક્તિનો માના દર્શાનાર્થે આવે છે. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરાયેલા છે. અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર સાથે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો પણ અનેરો સંબંધ રહ્યો છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે સમયાંતરે અંબાજી મંદિરની ચોક્કસ મુલાકાત લેતા હતાં. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી સારૂ કામ કરતા પહેલા માઁ અંબાના ચરણોમાં જાય...

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા નહોતા. પિતાના ત્યાં યજ્ઞ છે, એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા હતાં. પિતાના ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા સતીએ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતાં. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા લાગ્યાં ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા અને આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જ્વારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.

આમ, દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. આ મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે, પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે. અનેક ઉતાર-ચડાવ બાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. જે મંદિરની વહીવટીય કામગીરી કરે છે.

માઁ અંબાનું પ્રાગટ્ય
ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠાના દાતાના અંબાજીમાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિભક્તિનો માના દર્શાનાર્થે આવે છે. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરાયેલા છે. અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર સાથે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો પણ અનેરો સંબંધ રહ્યો છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે સમયાંતરે અંબાજી મંદિરની ચોક્કસ મુલાકાત લેતા હતાં. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી સારૂ કામ કરતા પહેલા માઁ અંબાના ચરણોમાં જાય...

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા નહોતા. પિતાના ત્યાં યજ્ઞ છે, એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા હતાં. પિતાના ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા સતીએ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતાં. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા લાગ્યાં ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા અને આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જ્વારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે.

આમ, દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. આ મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે, પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે. અનેક ઉતાર-ચડાવ બાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. જે મંદિરની વહીવટીય કામગીરી કરે છે.

Intro:Body:Conclusion:
Last Updated : Sep 13, 2019, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.