બેંગલોર: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ચલ અને અચલ સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપવામાં આવી છે. ટ્રાન્સફર કરવામાં આવેલી આ સંપત્તિમાં 27 કિલો સોનાની તલવાર, હાથની ઘડિયાળ, પેન અને 1606 બીજા મૂલ્યવાન સમાનનો સમાવેશ થાય છે. આ સંપત્તિ જયલલિતા સામે ચાલી રહેલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં તપાસના મામલે એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
કોર્ટના આદેશ અનુસાર, જપ્ત કરવામાં આવેલા સામાનમાં મોટા પ્રમાણમાં સોનાના દાગીના, જમીનના માલિકી હક અને બીજા અન્ય સમાન પણ તમિલનાડુ સરકારને સોંપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું લાંબી બીમારીના કારણે 7 ડિસેમ્બર 2016 ના રોજ અવસાન થયું હતું.

આ બાબતે એક મીડિયા કોન્ફરન્સમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કિરણ જાવલીએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ અનુસાર, તમિલનાડુ વિજિલન્સ અધિકારીઓની હાજરીમાં તપાસ બાદ 27 કિલો સોનાની વિવિધ સંપત્તિ તમિલનાડુ સરકારને પરત સોંપવામાં આવી છે. આ ઉપરાંત, લગભગ 1526 એકર જમીનની સંપત્તિના કાગળ તમિલનાડુ સરકારને પરત સોંપવામાં આવ્યા છે.
આજે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં પૂર્વ સીએમ જયલલિતા સંબંધિત સામાનને કડક સુરક્ષા અંતર્ગત 6 ટ્રેકોમાં શહેરથી તમિલનાડુ લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પહેલા જપ્ત કરવામાં આવેલી સાડીઓને પરત કરવામાં આવ્યા છે. આ તપાસથી એક દશકથી ચાલી રહેલો વિવાદ કદાચ ઉકેલાઈ જશે.

જયલલિતાની સંપત્તિમાંથી શું શું જપ્ત કરવામાં આવ્યું:
તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતા પાસેથી 7040 ગ્રામ વજનના 468 પ્રકારના સોના અને હીરાના દાગીના, 700 કિલો વજનના ચાંદીના દાગીના, 740 મોંઘી ચંપલ, 11344 રેશમની સાડી, 250 શોલ, 12 ફ્રિજ, 10 ટીવી સેટ, 8 વીસીઆર, 1 વિડીયો કેમેરા, 4 સીડી પ્લેયર, 2 ઓડિયો ડેક, 24 ટુ ઇન વન ટેપ રેકોર્ડર, 1040 વિડિયો કેસેટ, 3 લોખંડના લૉકર, 193202 રૂપિયા સાથે અન્ય ઘણો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

27 સપ્ટેમ્બર, 2014માં બેંગલોરની એક વિશેષ કોર્ટે અપ્રમાણસર સંપત્તિના કેસમાં જયલલિતાને 4 વર્ષની જેલની સજા અને 100 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાથે જ જપ્ત કરવામાં આવેલ સામાન RBI, SBI અથવા સાર્વજનિક હરાજી દ્વારા વેચી દેવામાં આવે તેમજ વેચવાથી મળતા રૂપિયા ફટકારવામાં આવેલ દંડમાં એડજસ્ટ કરવાનું કહ્યું હતું.
આ તપાસ દરમિયાન જયલલિતા મૃત્યુ પામ્યા હતા. આરટીઆઇ કાર્યકર્તા નરસિંહ મૂર્તિએ જયલલિતાના સામાનનો નિકાલ લાવવા માટે માહિતી માંગતા કોર્ટમાં અપીલ કરી હતી.
આ પણ વાંચો: