ETV Bharat / state

ડીસાના બુરાલ ગામના સરપંચ સસ્પેન્ડ, ગામમાં શૌચાલય ન બનાવી કૌભાંડ આચર્યું

બનાસકાંઠા: જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા બુરાલ ગામે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય બનાવવાના હતા. પરંતુ ગામના સરપંચ દ્વારા ગામમાં 62 જેટલા શૌચાલય ન બનાવી ખોટા સહી સિક્કા કરી અને સરકારની યોજના સાથે કૌભાંડ કરતા આખરે સરપંચને પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

author img

By

Published : Jan 16, 2020, 9:21 PM IST

ડીસાના બુરાલ ગામના સરપંચ શૌચાલય કૌંભાંડમાં સસ્પેન્ડ કરાયા
ડીસાના બુરાલ ગામના સરપંચ શૌચાલય કૌંભાંડમાં સસ્પેન્ડ કરાયા

ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મહિલાઓ અને પુરૂષો બહાર શૌચ કરવા માટે જાય નહીં તે માટે કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર ગામના સરપંચો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા શૌચાલયની સુવિધા ગામના વ્યક્તિઓ સુધી પહોંચતી નથી અને બારોબાર કૌંભાંડ કરવામાં આવે છે.

ગામના સરપંચ દ્વારા ખોટા સહી સિક્કા કરી અને શૌચાલય ન બનાવી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક એવા ગામો છે કે, જ્યાં શૌચાલય બનાવવામાં આવ્યા નથી અને બારોબાર ખોટા કાગળો બનાવી અને સરકારના રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. જેના કારણે સરકારની આ યોજના લોકો સુધી પહોંચતી નથી.

ડીસાના બુરાલ ગામના સરપંચ શૌચાલય કૌંભાંડમાં સસ્પેન્ડ કરાયા

આવી જ એક ઘટના ડીસા તાલુકાના બુરાલ ગામે બહાર આવી છે. જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ શૌચ કરવા માટે બહાર જાય નહીં તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ બુરાલ ગામે આપવામાં આવી હતી. જોકે આ યોજના અંતર્ગત બુરાલ ગામમાં 443 શૌચાલય બનાવવાના હતા પરંતુ તેમાંથી 62 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા નથી.

બુરાલ ગામે સરકાર દ્વારા જે શૌચાલય બનાવવામાં આવ્યા હતા. તે શૌચાલય પ્રકાશભાઈ પટેલ ગણેશપુરા મારફતે બનાવવામાં આવેલા છે. શૌચાલય માટે ગ્રામજનો દ્વારા જે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક પ્રમાણપત્રો પર શૌચાલય બનાવવાના કોન્ટ્રાકટરોએ જાતે જ ફોર્મ ભરીને તેમાં ગામલોકોની ડુપ્લીકેટ સહી પણ કરી છે. આ ગામના તત્કાલીન સરપંચ હરપાલસિંગ વઘુસિંગ સોલંકી દ્વારા નિયત ફોર્મમાં પોતાની સહીથી પૈસાનો ચૂકવણી કરી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તપાસ કરવામાં આવતા આ ગામમાં 62 જેટલા શૌચાલયો ગામમાં બનાવવામાં આવ્યા ન હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બુરાલ ગામના સરપંચને તાત્કાલિક ધોરણે હોદા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સરપંચ દ્વારા આચરવામાં આવેલા આ ભ્રષ્ટાચાર અંગે ગામના જ એક આગેવાન પ્રહલાદ સિંહે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ થતા સરપંચ દોષિત પુરવાર થતા જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મહિલાઓ અને પુરૂષો બહાર શૌચ કરવા માટે જાય નહીં તે માટે કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર ગામના સરપંચો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા શૌચાલયની સુવિધા ગામના વ્યક્તિઓ સુધી પહોંચતી નથી અને બારોબાર કૌંભાંડ કરવામાં આવે છે.

ગામના સરપંચ દ્વારા ખોટા સહી સિક્કા કરી અને શૌચાલય ન બનાવી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક એવા ગામો છે કે, જ્યાં શૌચાલય બનાવવામાં આવ્યા નથી અને બારોબાર ખોટા કાગળો બનાવી અને સરકારના રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. જેના કારણે સરકારની આ યોજના લોકો સુધી પહોંચતી નથી.

ડીસાના બુરાલ ગામના સરપંચ શૌચાલય કૌંભાંડમાં સસ્પેન્ડ કરાયા

આવી જ એક ઘટના ડીસા તાલુકાના બુરાલ ગામે બહાર આવી છે. જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ શૌચ કરવા માટે બહાર જાય નહીં તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ બુરાલ ગામે આપવામાં આવી હતી. જોકે આ યોજના અંતર્ગત બુરાલ ગામમાં 443 શૌચાલય બનાવવાના હતા પરંતુ તેમાંથી 62 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા નથી.

બુરાલ ગામે સરકાર દ્વારા જે શૌચાલય બનાવવામાં આવ્યા હતા. તે શૌચાલય પ્રકાશભાઈ પટેલ ગણેશપુરા મારફતે બનાવવામાં આવેલા છે. શૌચાલય માટે ગ્રામજનો દ્વારા જે પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક પ્રમાણપત્રો પર શૌચાલય બનાવવાના કોન્ટ્રાકટરોએ જાતે જ ફોર્મ ભરીને તેમાં ગામલોકોની ડુપ્લીકેટ સહી પણ કરી છે. આ ગામના તત્કાલીન સરપંચ હરપાલસિંગ વઘુસિંગ સોલંકી દ્વારા નિયત ફોર્મમાં પોતાની સહીથી પૈસાનો ચૂકવણી કરી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તપાસ કરવામાં આવતા આ ગામમાં 62 જેટલા શૌચાલયો ગામમાં બનાવવામાં આવ્યા ન હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બુરાલ ગામના સરપંચને તાત્કાલિક ધોરણે હોદા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સરપંચ દ્વારા આચરવામાં આવેલા આ ભ્રષ્ટાચાર અંગે ગામના જ એક આગેવાન પ્રહલાદ સિંહે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ થતા સરપંચ દોષિત પુરવાર થતા જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.16 01 2020

સ્લગ.. ડીસા તાલુકાના બુરાલ ગામના સરપંચ શૌચાલય કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા

એન્કર :- ડીસા તાલુકાના બુરાલ ગામે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સૌચાલય બનાવવાના હતા પરંતુ બુરાલ ગામ ના સરપંચ દ્વારા આ ગામમાં ૬૨ જેટલા શૌચાલય ન બનાવી ખોટા સહી સિક્કા કરી અને સરકારની યોજના સાથે કૌભાંડ કરતા આખરે બુરાલ ગામ ના સરપંચને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..
Body:
વી.ઑ. :- ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મહિલાઓ અને પુરુષો બહાર શૌચ કરવા માટે જાય નહીં તે માટે કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી આપવામાં આવે છે પરંતુ કેટલીકવાર ગામના સરપંચો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા આવા સૌચાલય ગામના વ્યક્તિઓ સુધી પહોંચતા નથી અને બારોબાર ગામના સરપંચ દ્વારા ખોટા સહી સિક્કા કરી અને શૌચાલય ન બનાવી મોટું કૌભાંડ આચરવામાં આવતું હોય છે બનાસકાંઠા જિલ્લામાં આજે પણ કેટલાક એવા ગામો છે કે જ્યાં શૌચાલય બનાવવામાં આવ્યા નથી અને બારોબાર ખોટા કાગળો બનાવી અને સરકારના રૂપિયા ઉપાડી લેવામાં આવે છે જેના કારણે સરકારની આ યોજના લોકો સુધી પહોંચતી નથી અને સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઊડી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના ડીસા તાલુકાના બુરાલ ગામે બહાર આવી છે જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ શૌચ કરવા માટે બહાર જાય નહીં તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ બુરાલ ગામે આપવામાં આવી હતી પરંતુ આ યોજના અંતર્ગત બુરાલ ગામમાં 443 સૌચાલય બનાવવાના હતા પરંતુ તેમાંથી ૬૨ જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા નથી. બુરાલ ગામ એ સરકાર શ્રી દ્વારા જે શૌચાલય બનાવવામાં આવેલા તે શૌચાલય પ્રકાશભાઈ પટેલ ગણેશપુરા મારફતે બનાવવામાં આવેલા છે જે સૌચાલય પ્રમાણપત્રો ગામ લોકો તરફથી આપવામાં આવેલ છે જે સાચા પ્રમાણપત્રોમાં ગામલોકોની સહી પણ છે અને બીજા કેટલાક પ્રમાણપત્રો સૌચાલય બનાવવા ના કોન્ટ્રાકટરોએ જાતે જ ફોર્મ ભરીને તેમાં ગામલોકોની ડુપ્લીકેટ સહી પણ કરેલ છે.આ ગામના તત્કાલીન સરપંચ હરપાલસિંગ વઘુસિંગ સોલંકી દ્વારા નિયત ફોર્મમાં પોતાની સહીથી પૈસાનો ચુકવણું કરેલ છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તપાસ કરવામાં આવતા આ ગામમાં ૬૨ જેટલા શૌચાલયો ગામમાં બનેલા હતા નહીં જેના કારણે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બુરાલ ગામ ના સરપંચ ને તાત્કાલિક ધોરણે હોદા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.. ત્યારે સરપંચ દ્વારા આચરવામાં આવેલા આ ભ્રષ્ટાચાર અંગે ગામના જ એક આગેવાન પ્રહલાદસિંહે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના આધારે તપાસ થતાં સરપંચ દોષિત પુરવાર થતાં જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધો છે..

બાઇટ :-પ્રહલાદસિંહ સોલંકી– અરજદાર

વી.ઑ. :- બૂરાલ ગામમાં સરપંચ ખૂબ જ માથાભારે હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને તેમના ડરના લીધે કોઈ જ વ્યક્તિ તેમની સામે ફરિયાદ કરતાં નથી.. અગાઉ આ ગામના જ પાંચ પરિવારે તેમની સામે અવાજ ઉઠાવતા સરપંચે તેમના રાતો રાત તેમના મકાનો તોડી પાડ્યા હતા અને આ પરિવારને ઘર વિહોણા કરીને તે વિસ્તારથી દૂર કરી દીધા હોવાનું પણ સ્થાનિક અસરગ્રસ્તો જણાવી રહ્યા છે.

બાઇટ :-નેનસિંહ દરબાર (સ્થાનિક)

બાઈટ:-ખેમસિંહ દરબાર
(સ્થાનિક)

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.