ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના 2 કેસ નોંધાયા

author img

By

Published : May 11, 2021, 5:32 PM IST

બનાસકાંઠા જિલ્લામાં કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસીસ રોગના બે દર્દીઓ સામે આવતા જ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, પાલનપુર અને ધાનેરામાંથી આવેલા બન્ને દર્દીઓની સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાલનપુર ખાતે આવેલી જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટેનો અલગ આઇશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

Mucormycosis treatment at home
Mucormycosis treatment at home
  • બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે આવ્યા
  • મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે વહીવટી તંત્ર દ્વારા સારવાર શરૂ
  • બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ આવ્યા સામે
  • પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા

બનાસકાંઠા : હજૂ તો સમગ્ર દુનિયા કોરોના વાઇરસ સામે લડી રહી છે, તેવામાં હવે મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ માનવ જાત પર કહેર વરસવા તૈયાર થઈ ગયો છે, બનાસકાંઠા જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ સામે આવતા જ જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ધાનેરાના 65 વર્ષીય નવાજી ચૌધરી અને પાલનપુરના 21 વર્ષીય અભિષેક ગોહિલ નામના બન્ને વ્યક્તિને મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જણાતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પરંતુ આ બન્ને દર્દીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ બન્ને દર્દીઓને અગાઉ કોરોના થયો હતો અને તેની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને મ્યુકોરમાઇકોસીસની ઝપેટમાં આવ્યા હતા.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા

આ પણ વાંચો - રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે

મ્યુકોરમાઇકોસીસના લક્ષણો

કોરોનાના સાજા થયેલા દર્દીઓ તો ખાસ કરીને એવા દર્દીઓ કે જેમણે ડાયાબિટીસ, કિડની, કે કેન્સર જેવી બીમારી ધરાવતાં હોય છે, તેવા કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણોમાં જોવા મળે છે. મુજબ છે. મ્યુકોરમાઇકોસીસના લક્ષણો આ મુજબ છે.

  • એક બાજુનો ચહેરા પર સોજો આવવો
  • માથાનો દુઃખાવો
  • નાક બંધ થવું
  • સાઇનસની તકલીફ મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
  • આંખમાં દુઃખાવો થવો
  • દ્રષ્ટિ ઓછી થવી
  • તાવ, કફ અને છાતીમાં દુઃખાવો થવો
  • શ્વાસ રૂંધાવો
  • પેટનો દુખાવો
  • ઉબકા આવવા કે ઉલટી થવી
  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો

આ પણ વાંચો - મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…

મ્યુકોરમાઇકોસીસથી બચવા શું કરવું?

  • મ્યુકોરમાઇકોસીસથી બચવા માટે N95 માસ્ક પહેરવું
  • વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
  • ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો
    Mucormycosis treatment at home
    મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે વહીવટી તંત્ર દ્વારા સારવાર શરૂ

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો

બનાસકાંઠામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સામે આવતા જ જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું છે અને બનાસ કોવિડ હોસ્પિટલમાં હાલના તબક્કામાં આવા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેથી આવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને સ્વસ્થ કરી શકાય.

આ પણ વાંચો - ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ

મ્યુકોરમાઇકોસીસની સારવાર

મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઇ આવતાં દર્દીની શારીરીક સ્થિતિ જોઇ, તેનું સી.ટી.સ્કેન, એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે. તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટવાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જડ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસના કારણે કઇ પેશીઓ સાયનસ સાથે સંકળાયેલા છે તે જોવામાં આવે છે.

15થી 12 હોય છે ઈન્જેક્શન ડોઝ

મ્યુકોરમાઇકોસીસની સારવારમાં દર્દીને એમ્ફોટાઇસીન બી નામના ઇન્જેક્શનના ડોઝ 15 થી 21 દિવસ સુધી આપવામાં આવે છે. મધ્યાંતરે જરૂર જણાય તો દુરબીન વડે નાક વાટે ફંગલ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. ત્યારબાદ પણ ઇન્જેકશનની સારવાર ચાલુ જ રહે છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શું કહે છે

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફંગસ ઇન્ફેક્શન પહેલા પણ થતું હતું, પરંતુ હવે કોરોના થયો હોય તેવા દર્દીને થવાની શક્યતા છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો સામાન્ય લોકોને પણ ફંગસ ઇન્ફેક્શન થઈ શકે છે. સિવિલમાં અત્યાર સુધી આ ઇન્ફેકશનના 44 કેસ નોંધાયા છે, જેમને સારવાર અપાઇ રહી છે. આ ચેપી કે ગંભીર રોગ નથી. લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને અન્ય ગંભીર રોગ હોય જેમકે ડાયાબિટીસ, ટીબી , કેન્સર જેવા રોગોના દર્દીએ તકેદારી રાખવાની જરૂર છે તેમને ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહેલી છે.

  • બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે આવ્યા
  • મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે વહીવટી તંત્ર દ્વારા સારવાર શરૂ
  • બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ આવ્યા સામે
  • પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા

બનાસકાંઠા : હજૂ તો સમગ્ર દુનિયા કોરોના વાઇરસ સામે લડી રહી છે, તેવામાં હવે મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ માનવ જાત પર કહેર વરસવા તૈયાર થઈ ગયો છે, બનાસકાંઠા જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ સામે આવતા જ જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ધાનેરાના 65 વર્ષીય નવાજી ચૌધરી અને પાલનપુરના 21 વર્ષીય અભિષેક ગોહિલ નામના બન્ને વ્યક્તિને મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જણાતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પરંતુ આ બન્ને દર્દીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ બન્ને દર્દીઓને અગાઉ કોરોના થયો હતો અને તેની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને મ્યુકોરમાઇકોસીસની ઝપેટમાં આવ્યા હતા.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા

આ પણ વાંચો - રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે

મ્યુકોરમાઇકોસીસના લક્ષણો

કોરોનાના સાજા થયેલા દર્દીઓ તો ખાસ કરીને એવા દર્દીઓ કે જેમણે ડાયાબિટીસ, કિડની, કે કેન્સર જેવી બીમારી ધરાવતાં હોય છે, તેવા કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણોમાં જોવા મળે છે. મુજબ છે. મ્યુકોરમાઇકોસીસના લક્ષણો આ મુજબ છે.

  • એક બાજુનો ચહેરા પર સોજો આવવો
  • માથાનો દુઃખાવો
  • નાક બંધ થવું
  • સાઇનસની તકલીફ મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
  • આંખમાં દુઃખાવો થવો
  • દ્રષ્ટિ ઓછી થવી
  • તાવ, કફ અને છાતીમાં દુઃખાવો થવો
  • શ્વાસ રૂંધાવો
  • પેટનો દુખાવો
  • ઉબકા આવવા કે ઉલટી થવી
  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો

આ પણ વાંચો - મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…

મ્યુકોરમાઇકોસીસથી બચવા શું કરવું?

  • મ્યુકોરમાઇકોસીસથી બચવા માટે N95 માસ્ક પહેરવું
  • વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
  • ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો
    Mucormycosis treatment at home
    મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે વહીવટી તંત્ર દ્વારા સારવાર શરૂ

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો

બનાસકાંઠામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સામે આવતા જ જિલ્લાનું તંત્ર સતર્ક બન્યું છે અને બનાસ કોવિડ હોસ્પિટલમાં હાલના તબક્કામાં આવા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેથી આવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને સ્વસ્થ કરી શકાય.

આ પણ વાંચો - ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ

મ્યુકોરમાઇકોસીસની સારવાર

મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઇ આવતાં દર્દીની શારીરીક સ્થિતિ જોઇ, તેનું સી.ટી.સ્કેન, એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે. તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટવાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જડ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસના કારણે કઇ પેશીઓ સાયનસ સાથે સંકળાયેલા છે તે જોવામાં આવે છે.

15થી 12 હોય છે ઈન્જેક્શન ડોઝ

મ્યુકોરમાઇકોસીસની સારવારમાં દર્દીને એમ્ફોટાઇસીન બી નામના ઇન્જેક્શનના ડોઝ 15 થી 21 દિવસ સુધી આપવામાં આવે છે. મધ્યાંતરે જરૂર જણાય તો દુરબીન વડે નાક વાટે ફંગલ કાઢવા માટે સર્જરી પણ કરવામાં આવે છે. ત્યારબાદ પણ ઇન્જેકશનની સારવાર ચાલુ જ રહે છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શું કહે છે

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફંગસ ઇન્ફેક્શન પહેલા પણ થતું હતું, પરંતુ હવે કોરોના થયો હોય તેવા દર્દીને થવાની શક્યતા છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો સામાન્ય લોકોને પણ ફંગસ ઇન્ફેક્શન થઈ શકે છે. સિવિલમાં અત્યાર સુધી આ ઇન્ફેકશનના 44 કેસ નોંધાયા છે, જેમને સારવાર અપાઇ રહી છે. આ ચેપી કે ગંભીર રોગ નથી. લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને અન્ય ગંભીર રોગ હોય જેમકે ડાયાબિટીસ, ટીબી , કેન્સર જેવા રોગોના દર્દીએ તકેદારી રાખવાની જરૂર છે તેમને ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.