ETV Bharat / state

દોઢ વર્ષ જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો થતા મધ્ય્મ વર્ગનું બજેટ ખોરવાયું

author img

By

Published : May 27, 2021, 10:24 AM IST

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પગલે છેલ્લા દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક પડ્યો છે.

જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો
જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો
  • દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો
  • બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો
  • જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક

અરવલ્લી : કોરોના વાયરસના પગલે છેલ્લા દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. એક તરફ બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કુદકેને ભુસકે વધતા મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ સમાન છે. છેલ્લા દોઢ વર્ષ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક પડ્યો છે.

આ પણ વાંચો : EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ

તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા

એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંધવારી આ બન્ને વચ્ચે સામાન્ય વર્ગ પીસાઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે છેલ્લા દોઢ વર્ષથી મધ્યમ વર્ગના લોકોની આવકમાં ઘટાડો થયો છે. જેની સામે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ લગભગ દર માસે વધી રહ્યા છે. જેમાં તેલના ભાવ તો ભડકે બળી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષ તેલના ભાવ ડબલ થઇ ગયા છે. બજારમાં તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા છે તે સામાન્ય માણસની સમજ બહાર છે.

જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો
જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો

આ પણ વાંચો : કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો

તમામ પ્રકાર ની દાળોમાં 10થી 15 ટકાનો વધરો

લોકડાઉનના પગલે અન્ય ખાદ્યસામાગ્રીની વસ્તુઓના ભાવમાં પણ 10થી 15 ટકાનો ભાવ વધ્યો છે. કઠોળ અને મરી મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષ કરતા તમામ પ્રકારની દાળોમાં 10 ટકાનો વધરો નોંધાયો છે. જ્યારે ચાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે.

વસ્તુગત વર્ષનો ભાવનવો ભાવ
તેલ400 રૂપિયા 5 લિટર830 રૂપિયા લિટર
ચા400 રૂપિયે કિલો480 રૂપિયે કિલો
દાળ90થી 100 રૂપિયે કિલો100થી 115 રૂપિયે કિલો
મરચુ200 રૂપિયે કિલો250 રૂપિયે કિલો
રાંદણ ગેસ630 રૂપિયે કિલો850 રૂપિયે કિલો

MRP કરતા વધારે ભાવમાં વસ્તુઓ વેચાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી

લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી .એટલે કાળાબજારી પણ નહિવત જોવા મળી હતી. ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે છૂટક મળતી હોય છે. તેથી MRP કરતા વધારે ભાવમાં વસ્તુઓ વેચાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી નથી. કોરોના વાયરસના પગલે આ વર્ષ જે લોકડાઉન છે. તેમાં જીવન જરૂરિયાતની વસ્તુના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી એટલે કાળાબજારી પણ નહિવત જોવા મળી હતી.

  • દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો
  • બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો
  • જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક

અરવલ્લી : કોરોના વાયરસના પગલે છેલ્લા દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. એક તરફ બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કુદકેને ભુસકે વધતા મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ સમાન છે. છેલ્લા દોઢ વર્ષ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક પડ્યો છે.

આ પણ વાંચો : EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ

તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા

એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંધવારી આ બન્ને વચ્ચે સામાન્ય વર્ગ પીસાઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે છેલ્લા દોઢ વર્ષથી મધ્યમ વર્ગના લોકોની આવકમાં ઘટાડો થયો છે. જેની સામે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ લગભગ દર માસે વધી રહ્યા છે. જેમાં તેલના ભાવ તો ભડકે બળી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષ તેલના ભાવ ડબલ થઇ ગયા છે. બજારમાં તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા છે તે સામાન્ય માણસની સમજ બહાર છે.

જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો
જીવન જરૂરિયાતની વસ્તુના ભાવમાં વધારો

આ પણ વાંચો : કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો

તમામ પ્રકાર ની દાળોમાં 10થી 15 ટકાનો વધરો

લોકડાઉનના પગલે અન્ય ખાદ્યસામાગ્રીની વસ્તુઓના ભાવમાં પણ 10થી 15 ટકાનો ભાવ વધ્યો છે. કઠોળ અને મરી મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષ કરતા તમામ પ્રકારની દાળોમાં 10 ટકાનો વધરો નોંધાયો છે. જ્યારે ચાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે.

વસ્તુગત વર્ષનો ભાવનવો ભાવ
તેલ400 રૂપિયા 5 લિટર830 રૂપિયા લિટર
ચા400 રૂપિયે કિલો480 રૂપિયે કિલો
દાળ90થી 100 રૂપિયે કિલો100થી 115 રૂપિયે કિલો
મરચુ200 રૂપિયે કિલો250 રૂપિયે કિલો
રાંદણ ગેસ630 રૂપિયે કિલો850 રૂપિયે કિલો

MRP કરતા વધારે ભાવમાં વસ્તુઓ વેચાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી

લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી .એટલે કાળાબજારી પણ નહિવત જોવા મળી હતી. ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે છૂટક મળતી હોય છે. તેથી MRP કરતા વધારે ભાવમાં વસ્તુઓ વેચાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી નથી. કોરોના વાયરસના પગલે આ વર્ષ જે લોકડાઉન છે. તેમાં જીવન જરૂરિયાતની વસ્તુના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી એટલે કાળાબજારી પણ નહિવત જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.