ETV Bharat / state

અરવલ્લી: ધનસુરામાં ત્રણ દિવસથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ગામ શોકમય બન્યું - અરવલ્લી ન્યૂઝ

અરવલ્લી: જિલ્લાના ધનસુરા તાલુકાના ખિલોડા ગામનો અને આકરૂન્દ ગામની પી.કે.ફણસે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળામાંથી મિત્ર સાથે વહેલો ઘરે આવવા નીકળ્યા પછી એકાએક ગૂમ થઇ ગયો હતો. જો કે, શોધખોળ બાદ તલોદના સાગપુર પાસેની કેનાલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા વિધવા માતા પર આભ તૂટી પડ્યું હતું.

ETV BHARAT
ધનસુરામાં ત્રણ દિવસથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ગામ શોકમય બન્યું
author img

By

Published : Jan 2, 2020, 11:05 PM IST

ખીલોડા ગામમાં ઘરકામ કરી જીવન ગુજારતી સવિતાબેન નાનસિંહ મકવાણા 4 મહિના અગાઉ પતિનું હૃદયરોગથી મોત નિપજ્યુ હતું. તેમનો પુત્ર 15 વર્ષિય જતીનસિંહ ઉર્ફે ગફુર આકરૂન્દ પી.કે.ફણસે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. સોમવારે શાળામાં ગયા પછી તેના મિત્ર અને સહાધ્યાયી શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયા પછી ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચ્યા હતા. જો કે, તેને પરિવારજનો બોલશે તેની બીક લાગતા પુલીયા નજીક ગરનાળા પર બેસી તેના મિત્રને ઘરે જવાનું કહ્યું હતું, અને ત્યારબાદ તેનો કોઇ પત્તો ન લગતા મૃતકની માતાએ પોલીસ ફરીયાદ નોધાવી હતી.

જતીનના ચપ્પલ ગામની નજીક પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા ધનસુરા પોલીસ અને મામલતદાર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોડાસા અને હિંમતનગરની ફાયરબ્રિગેડની ટીમ બોલાવી શોધખોળ હાથ ધરી હતી. જોકે ગુરૂવારના જતીનસિંહનો મૃતદેહ મળી આવતા આકરૂન્દ ગામ શોક મય બન્યુ હતું.

ખીલોડા ગામમાં ઘરકામ કરી જીવન ગુજારતી સવિતાબેન નાનસિંહ મકવાણા 4 મહિના અગાઉ પતિનું હૃદયરોગથી મોત નિપજ્યુ હતું. તેમનો પુત્ર 15 વર્ષિય જતીનસિંહ ઉર્ફે ગફુર આકરૂન્દ પી.કે.ફણસે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. સોમવારે શાળામાં ગયા પછી તેના મિત્ર અને સહાધ્યાયી શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયા પછી ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચ્યા હતા. જો કે, તેને પરિવારજનો બોલશે તેની બીક લાગતા પુલીયા નજીક ગરનાળા પર બેસી તેના મિત્રને ઘરે જવાનું કહ્યું હતું, અને ત્યારબાદ તેનો કોઇ પત્તો ન લગતા મૃતકની માતાએ પોલીસ ફરીયાદ નોધાવી હતી.

જતીનના ચપ્પલ ગામની નજીક પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા ધનસુરા પોલીસ અને મામલતદાર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોડાસા અને હિંમતનગરની ફાયરબ્રિગેડની ટીમ બોલાવી શોધખોળ હાથ ધરી હતી. જોકે ગુરૂવારના જતીનસિંહનો મૃતદેહ મળી આવતા આકરૂન્દ ગામ શોક મય બન્યુ હતું.

Intro:ત્રણ દિવસથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવતા ગામ શોકમય બન્યું


ધનસુરા-અરવલ્લી

ધનસુરા તાલુકાના ખિલોડીયા ગામનો અને આકરૂન્દ ગામની પી.કે.ફણસે વિદ્યાલય ધોરણ-૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળામાંથી મિત્ર સાથે વહેલો ઘરે આવવા નીકળ્યા પછી એકાએક ગૂમ થઇ ગયો હતો.જોકે શોધખોળ બાદ તલોદ ના સાગપુર પાસેની કેનાલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા વિધવા માતા પર આભ તૂટી પડ્યું હતું.

Body: ખીલોડા ગામમાં ઘરકામ કરી જીવનનિર્વાહ ચલાવતા સવિતાબેન નાનસિંહ મકવાણા ૪ મહિના અગાઉ પતિનું હૃદયરોગથી મોત નિપજ્યુ હતું . તેમનો પુત્ર 15 વર્ષિય જતીનસિંહ ઉર્ફે ગફુર ધો.૧૦માં આકરૂન્દ પી.કે.ફણસે વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો . સોમવારે શાળામાં ગયા પછી તેના ગામના મિત્ર અને સહાધ્યાયી શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયા પછી ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચ્યા હતા. જોકે પરિવારજનો બોલશે ની બીક લાગતા પુલીયા નજીક ગરનાળા પર બેસી તેના મિત્રને ઘરે જવાનું કહ્યુ હતું અને ત્યારબાદ તેનો કોઇ પત્તો ન લગતા મૃતક ની માતાએ પોલીસ ફરીયાદ નોધાવી હતી .
Conclusion:જતીનના ચપ્પલ ગામની નજીક પસારથતી કેનાલ પાસેથી મળી આવતા ધનસુરા પોલીસ અને મામલતદાર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોડાસા અને હિંમતનગરની ફાયરબ્રિગેડની ટિમ બોલાવી શોધખોળ હાથ ધરી હતી. જોકે આજે જતીનસિંહનો મૃતદેહ મળી આવતા આકરૂન્દ ગામ શોક મય બન્યુ હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.