ETV Bharat / state

ત્રણ વર્ષથી બાજરીના ભાવ ન વધતાં ખેડૂતો થયાં નિરાશ

author img

By

Published : Jun 22, 2021, 11:04 PM IST

અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા ઉનાળુ બાજરી (Millet) ટેકાના ભાવે ખરીદવામાં (MSP price of millet) આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે . જિલ્લાના ખેડૂતોને ઉનાળુ બાજરીના પોષણક્ષમ ભાવ ન મળતાં આર્થિક નુકસાનીનો ભોગ બનવું પડે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.

MSP price of millet: ત્રણ વર્ષથી બાજરીના ભાવ ન વધતાં ખેડૂતો થયાં નિરાશ
MSP price of millet: ત્રણ વર્ષથી બાજરીના ભાવ ન વધતાં ખેડૂતો થયાં નિરાશ
  • અરવલ્લીમાં બાજરી (Millet) પકવતાં ખેડૂતો નિરાશ
  • પોષણક્ષમ ભાવ (MSP price of millet) ન મળતાં આર્થિક ઉપજમાં ફટકો પડે છે
  • ખેડૂતોને ખર્ચ અને મહેનતના પ્રમાણમાં આર્થિક ઉપજ મળતી નથી

    મોડાસાઃ મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં બાજરીનું (Millet) વાવેતર ખરીફ, રવી તેમજ ઉનાળાની સિઝનમાં કરવામાં આવે છે. પરંતુ, સરકારના કૃષિ વિભાગ તરફથી માત્ર ખરીફ સિઝનમાં કરાયેલ બાજરીના વાવેતરની ઉપજને જ ટેકાના ભાવે (MSP price of millet) ખરીદી કરવામાં આવે છે. જ્યારે ઉનાળુ બાજરીના ઉત્પાદનને બજારમાં પોષણક્ષમ ભાવ મળતા ન હોવાના કારણે ખેડૂતોને ખર્ચ અને મહેનતના પ્રમાણમાં આર્થિક ઉપજ મળતી નથી.

    Milletની કોઇ સ્થાનિક માગ નથી અને બહાર નિકાસ પણ થતી નથી

    મોડાસાના માર્કેટ યાર્ડમાં (Modasa Market Yard) બાજરી (Millet) વેચવા આવેલ ખેડૂતોના જણાવ્યા અનુસાર બાજરીના વાવેતર માં કાળી મજૂરી કરે છે છતાં ભાવ ઓછો હોવાના પગલે દહાડી નીકળતી નથી. બાજરીની કોઇ સ્થાનિક ડીમાન્ડ નથી અને બહાર એક્સપોર્ટ પણ થતી નથી. બાજરીનો ઉપયોગ ફકત કેટલ ફીડ માટે થાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી ઉનાળુ બાજરીના ભાવ મણના રૂ.240થી 260 ચાલે છે તે ભાવ વધ્યો નથી જેથી ખેડૂતોને નુકશાન સહન કરવું પડે છે.

આ પણ વાંચોઃ ખેડૂતોનું કલ્યાણ એ જ રાષ્ટ્રની સુરક્ષા!

રાજ્ય સરકારે કોઇ જ જાહેરાત ન કરતાં રોષ

બાજરી ટેકાના ભાવે ખરીદી (MSP price of millet) ન થતાં ખેડૂતોને તેમનો મહામૂલો પાક પાણીના ભાવમાં બજારમાં વેચવો પડી રહ્યો છે. ઘઉં અને ચણાની ખરીદીથી ખેડૂતોને કેટલાક અંશે રાહત મળી રહી છે. પરંતુ ઉનાળુ બાજરી (Millet) ખરીદી અંગેની રાજ્ય સરકાર દ્રારા કોઇ જ જાહેરાત ન થતાં ખેડૂતોને નુકશાન થવાથી રોષ વ્યાપ્યો છે.

ઉનાળુ બાજરીનો અડધો ભાવ

બાજરીનું (Millet crop ) વાવેતર ખરીફ, રવી સિઝન તેમજ ઉનાળામાં પણ કરવામાં આવે છે. ખરીફ અને રવી સિઝનની બાજરીનો ટેકાનો ભાવ (MSP price of millet) રૂપિયા 430 રૂપિયા હોય છે જ્યારે ઉનાળુ બાજરીનો ભાવ બજારમાં રૂપિયા 240થી 260 સુધીમાં વેચાણ થઇ રહ્યું છે. એટલે બજારમાં અડધા ભાવે ખેડૂતો પોતાની જણસ વેચવા મજબૂર બન્યાં છે

આ પણ વાંચોઃ અરવલ્લીમાં તરબુચના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતો નિરાશ

  • અરવલ્લીમાં બાજરી (Millet) પકવતાં ખેડૂતો નિરાશ
  • પોષણક્ષમ ભાવ (MSP price of millet) ન મળતાં આર્થિક ઉપજમાં ફટકો પડે છે
  • ખેડૂતોને ખર્ચ અને મહેનતના પ્રમાણમાં આર્થિક ઉપજ મળતી નથી

    મોડાસાઃ મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં બાજરીનું (Millet) વાવેતર ખરીફ, રવી તેમજ ઉનાળાની સિઝનમાં કરવામાં આવે છે. પરંતુ, સરકારના કૃષિ વિભાગ તરફથી માત્ર ખરીફ સિઝનમાં કરાયેલ બાજરીના વાવેતરની ઉપજને જ ટેકાના ભાવે (MSP price of millet) ખરીદી કરવામાં આવે છે. જ્યારે ઉનાળુ બાજરીના ઉત્પાદનને બજારમાં પોષણક્ષમ ભાવ મળતા ન હોવાના કારણે ખેડૂતોને ખર્ચ અને મહેનતના પ્રમાણમાં આર્થિક ઉપજ મળતી નથી.

    Milletની કોઇ સ્થાનિક માગ નથી અને બહાર નિકાસ પણ થતી નથી

    મોડાસાના માર્કેટ યાર્ડમાં (Modasa Market Yard) બાજરી (Millet) વેચવા આવેલ ખેડૂતોના જણાવ્યા અનુસાર બાજરીના વાવેતર માં કાળી મજૂરી કરે છે છતાં ભાવ ઓછો હોવાના પગલે દહાડી નીકળતી નથી. બાજરીની કોઇ સ્થાનિક ડીમાન્ડ નથી અને બહાર એક્સપોર્ટ પણ થતી નથી. બાજરીનો ઉપયોગ ફકત કેટલ ફીડ માટે થાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી ઉનાળુ બાજરીના ભાવ મણના રૂ.240થી 260 ચાલે છે તે ભાવ વધ્યો નથી જેથી ખેડૂતોને નુકશાન સહન કરવું પડે છે.

આ પણ વાંચોઃ ખેડૂતોનું કલ્યાણ એ જ રાષ્ટ્રની સુરક્ષા!

રાજ્ય સરકારે કોઇ જ જાહેરાત ન કરતાં રોષ

બાજરી ટેકાના ભાવે ખરીદી (MSP price of millet) ન થતાં ખેડૂતોને તેમનો મહામૂલો પાક પાણીના ભાવમાં બજારમાં વેચવો પડી રહ્યો છે. ઘઉં અને ચણાની ખરીદીથી ખેડૂતોને કેટલાક અંશે રાહત મળી રહી છે. પરંતુ ઉનાળુ બાજરી (Millet) ખરીદી અંગેની રાજ્ય સરકાર દ્રારા કોઇ જ જાહેરાત ન થતાં ખેડૂતોને નુકશાન થવાથી રોષ વ્યાપ્યો છે.

ઉનાળુ બાજરીનો અડધો ભાવ

બાજરીનું (Millet crop ) વાવેતર ખરીફ, રવી સિઝન તેમજ ઉનાળામાં પણ કરવામાં આવે છે. ખરીફ અને રવી સિઝનની બાજરીનો ટેકાનો ભાવ (MSP price of millet) રૂપિયા 430 રૂપિયા હોય છે જ્યારે ઉનાળુ બાજરીનો ભાવ બજારમાં રૂપિયા 240થી 260 સુધીમાં વેચાણ થઇ રહ્યું છે. એટલે બજારમાં અડધા ભાવે ખેડૂતો પોતાની જણસ વેચવા મજબૂર બન્યાં છે

આ પણ વાંચોઃ અરવલ્લીમાં તરબુચના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતો નિરાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.