અરવલ્લી : મોડાસામાં આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસની ઢીલી નીતિના કારણે લોકો હવે ન્યાય મેળવવા રેલી અને ધરણા યોજી રહ્યા છે. તેમજ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે.
જેમાં ઘટનાને 10 દિવસ થયા હોવા છતાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેને લઈ 72 ગામના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેમાં રેલી સ્વરૂપમાં નીકળી એક સમાજના વર્ગે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે ચોરી હત્યા અને મારામારીની ઘટનાઓ ઘટી રહી છે. જેને લઇને લોકોમાં રોષ છે. તો હવે સવાલ એ થાય છે કે, શું ન્યાય માટે લોકો રેલી યોજી નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે.