ETV Bharat / state

અરવલ્લીમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 187 - અરવલ્લી ન્યૂઝ

અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. શનિવારના રોજ મોડાસામાં ચાર કેસ નોંધાતા COVID-19ના પોઝિટિવ કેસનો આંક 187 પર પહોંચ્યો છે.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Jun 20, 2020, 10:40 PM IST

મોડાસા: અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસમાં રોજ વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં 10 દિવસથી સરેરાસ ત્રણથી ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

શનિવારના રોજ મોડાસામાં ચાર કેસ નોંધાતા COVID-19ના પોઝિટિવ કેસનો આંક 187 પર પહોંચ્યો છે. જે પૈકી કુલ-131 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 14 દર્દીના મૃત્યુ થઇ ચૂક્યાં છે.

તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે જે વિસ્તારમાંથી કેસ મળી આવે છે ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારના 10 કેસ મળી આવતા જે તે વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા કુલ 231 ઘરના 1186 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવમાં આવ્યુ હતું. તે પૈકી દર્દીના સંપર્કમાં આવેલા 61 વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન આપી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

હાલમાં હોમ ક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ- 59 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 852 વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે, તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 06, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 24 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ અરવલ્લી જિલ્લાના આઠ પોઝિટિવ કેસ અને હિંમતનગર હોસ્પિટલમાં,અમદાવાદ હોસ્પિટલમાં બે તેમજ ગાંધીનગર કોવિડ હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે.

મોડાસા: અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસમાં રોજ વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં 10 દિવસથી સરેરાસ ત્રણથી ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

શનિવારના રોજ મોડાસામાં ચાર કેસ નોંધાતા COVID-19ના પોઝિટિવ કેસનો આંક 187 પર પહોંચ્યો છે. જે પૈકી કુલ-131 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 14 દર્દીના મૃત્યુ થઇ ચૂક્યાં છે.

તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે જે વિસ્તારમાંથી કેસ મળી આવે છે ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારના 10 કેસ મળી આવતા જે તે વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા કુલ 231 ઘરના 1186 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવમાં આવ્યુ હતું. તે પૈકી દર્દીના સંપર્કમાં આવેલા 61 વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન આપી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

હાલમાં હોમ ક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ- 59 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 852 વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે, તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 06, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 24 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ અરવલ્લી જિલ્લાના આઠ પોઝિટિવ કેસ અને હિંમતનગર હોસ્પિટલમાં,અમદાવાદ હોસ્પિટલમાં બે તેમજ ગાંધીનગર કોવિડ હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.