ETV Bharat / state

આણંદમાં વ્યાજે નાણાં આપનારી વિધવાનો મૃતદેહ મળ્યો

ઉમરેઠના પીપળીયા ભાગોળ કસ્બામાં રહેતી અને વ્યાજે નાણાં આપતી એક વિધવા મહિલાનું સૈફુલ્લાબાવાની દરગાહના ગેટ પાસેથી કારમાં બે શખ્સોએ અપહરણ કરીને છરાથી ગળુ કાપીને કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. મહિલાનો મૃતદેહ કેળધરા ગામની સીમ પાસે આવેલા વિશ્વનાથ મહાદેવ પાસેના ગરનાળામાંથી મળી આવતાં ઉમરેઠ પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

author img

By

Published : Jun 18, 2020, 12:28 PM IST

Anand
આણંદમાં વ્યાજે નાણાં ધીરનાર વિધવાનો મળ્યો મૃતદેહ

આણંદ: મેમુદાબાનુ મુનાફમીયા ચૌહાણની બહેન બિલ્કીશબાનુના લગ્ન કાલસર ગામે રહેતા ઝહીરમીયા અબ્બાસમીયા મલેક સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ પતિ ઝહીરમીયાના અવસાન બાદ તેણીને કોઈ સંતાન ન હોવાથી તે પોતાના પિયર બહેનના ઘરે રહેવા આવી ગઈ હતી, અને ત્રણ ટકા વ્યાજે નાણાં ધીરધાર કરવાનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવતી હતી. તેણીએ મૈયુદ્દીન અલ્લાઉદ્દીન ચૌહાણને 30 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની બિલ્કીશબાનુ અવાર-નવાર માંગણી કરતી હતી. પરંતુ મૈયુદ્દીન આપતો નહોતો. તે દરમ્યાન બુધવારના સવારના 10 વાગ્યાના સુમારે તેણીના મોબાઈલ ફોન પર ફોન આવતા બિલ્કીશબાનુ પોતાની બહેન મેમુદાબેનને મારે કામે જાઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી હતી.

આણંદમાં વ્યાજે નાણાં ધીરનાર વિધવાનો મૃતદેહ મળ્યો

જે મોડીરાત સુધી પરત ના આવતાં તેણીના મોબાઈલ ફોન પર અવાર-નવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણી ફોન રીસીવ કરતી નહોતી. જેથી રાત્રીના સુમારે તેણીની શોધખોળ કરતા કસ્બા ચોરા પાસે કેટલાક છોકરાઓ બેઠા હતા. જેમને બિલ્કીશબાનુ બાબતે પૂછતાં સમીરમીયા સીકંદરમીયા ચૌહાણે જણાવ્યું હતુ કે, બિલ્કીશબાનુને સૈફુલ્લાબાવાની દરગાહવાળા ગેટ પાસેથી મૈયુદ્દીન અલ્લાઉદ્દીનભાઈ ચૌહાણ અને મહંમદશાહીલ કાલુમીયા ચૌહાણ ઈકો ગાડીમાં બેસાડીને લઈ જતાં જોયા હતા.

anand
આણંદમાં વ્યાજે નાણાં આપનાર વિધવાનો મૃતદેહ મળ્યો
જેથી બન્નેના ઘરે તપાસ કરતાં તેઓ પણ મળી આવ્યા નહોતા. દરમ્યાન ગુરૂવાર સવારના સુમારે પોલીસને ઈકો કાર અને તેનો ચાલક મહંમદશાહીલ મળી આવ્યો હતો. જેથી કારની તપાસ કરતા કારની પાછલી સીટ પાછળ લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેને લઈને તેની વધુ પૂછપરછ કરતાં તેણે બિલ્કીશબાનુને લુણાવાડા સીમમાં લઈ ગયા હતા. જેવી ગોળગોળ વાતો કરી હતી. પરંતુ આખરે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી.

જેમાં આરોપીઓ બિલ્કીશબાનુને શહેરા તાલુકાના કેડધરા ગામની સીમમાં લઈ જઈને છરાથી ગળુ કાપી નાંખીને હત્યા કર્યા બાદ મૃતદેહને ગરનાળામાં મૂકી દઈને ત્યાંથી પરત આવતા રહ્યા હતા. આ કબૂલાત કરતાં જ પોલીસની ટીમ તુરંત જ કેડધરા ગામે પહોંચી ગઈ હતી અને ગરનાળામાંથી મૃતદેહનો કબ્જો લઈને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગે પહેલા તો અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ મૃતદેહ મળી આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ: મેમુદાબાનુ મુનાફમીયા ચૌહાણની બહેન બિલ્કીશબાનુના લગ્ન કાલસર ગામે રહેતા ઝહીરમીયા અબ્બાસમીયા મલેક સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ પતિ ઝહીરમીયાના અવસાન બાદ તેણીને કોઈ સંતાન ન હોવાથી તે પોતાના પિયર બહેનના ઘરે રહેવા આવી ગઈ હતી, અને ત્રણ ટકા વ્યાજે નાણાં ધીરધાર કરવાનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવતી હતી. તેણીએ મૈયુદ્દીન અલ્લાઉદ્દીન ચૌહાણને 30 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની બિલ્કીશબાનુ અવાર-નવાર માંગણી કરતી હતી. પરંતુ મૈયુદ્દીન આપતો નહોતો. તે દરમ્યાન બુધવારના સવારના 10 વાગ્યાના સુમારે તેણીના મોબાઈલ ફોન પર ફોન આવતા બિલ્કીશબાનુ પોતાની બહેન મેમુદાબેનને મારે કામે જાઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી હતી.

આણંદમાં વ્યાજે નાણાં ધીરનાર વિધવાનો મૃતદેહ મળ્યો

જે મોડીરાત સુધી પરત ના આવતાં તેણીના મોબાઈલ ફોન પર અવાર-નવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણી ફોન રીસીવ કરતી નહોતી. જેથી રાત્રીના સુમારે તેણીની શોધખોળ કરતા કસ્બા ચોરા પાસે કેટલાક છોકરાઓ બેઠા હતા. જેમને બિલ્કીશબાનુ બાબતે પૂછતાં સમીરમીયા સીકંદરમીયા ચૌહાણે જણાવ્યું હતુ કે, બિલ્કીશબાનુને સૈફુલ્લાબાવાની દરગાહવાળા ગેટ પાસેથી મૈયુદ્દીન અલ્લાઉદ્દીનભાઈ ચૌહાણ અને મહંમદશાહીલ કાલુમીયા ચૌહાણ ઈકો ગાડીમાં બેસાડીને લઈ જતાં જોયા હતા.

anand
આણંદમાં વ્યાજે નાણાં આપનાર વિધવાનો મૃતદેહ મળ્યો
જેથી બન્નેના ઘરે તપાસ કરતાં તેઓ પણ મળી આવ્યા નહોતા. દરમ્યાન ગુરૂવાર સવારના સુમારે પોલીસને ઈકો કાર અને તેનો ચાલક મહંમદશાહીલ મળી આવ્યો હતો. જેથી કારની તપાસ કરતા કારની પાછલી સીટ પાછળ લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેને લઈને તેની વધુ પૂછપરછ કરતાં તેણે બિલ્કીશબાનુને લુણાવાડા સીમમાં લઈ ગયા હતા. જેવી ગોળગોળ વાતો કરી હતી. પરંતુ આખરે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી.

જેમાં આરોપીઓ બિલ્કીશબાનુને શહેરા તાલુકાના કેડધરા ગામની સીમમાં લઈ જઈને છરાથી ગળુ કાપી નાંખીને હત્યા કર્યા બાદ મૃતદેહને ગરનાળામાં મૂકી દઈને ત્યાંથી પરત આવતા રહ્યા હતા. આ કબૂલાત કરતાં જ પોલીસની ટીમ તુરંત જ કેડધરા ગામે પહોંચી ગઈ હતી અને ગરનાળામાંથી મૃતદેહનો કબ્જો લઈને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગે પહેલા તો અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ મૃતદેહ મળી આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.