ETV Bharat / state

ડો.આર. એસ. સોઢીની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે નિમણૂક

author img

By

Published : Jun 2, 2021, 8:26 PM IST

Updated : Jun 2, 2021, 9:35 PM IST

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેકટર, ડો. આર. એસ. સોઢીની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ઈન્ડિયાએ ડો. સોઢીનું નામ સૂચવવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.

ડો.આર. એસ. સોઢીની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે નિમણૂક
ડો.આર. એસ. સોઢીની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે નિમણૂક

  • ડો. સોઢી ઇરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી
  • અમૂલમાં 35 વર્ષનો અનુભવ ધરાવે છે ડો.સોઢી
  • 11 વર્ષથી GCMMFમાં મેનેજિંગ ડિરેક્ટરના પદ પર છે ડો.સોઢી

આણંદ: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની 1 જૂન, 2021ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવુ રસપ્રદ રહેશે કે દર વર્ષે 1 જૂનને “વર્લ્ડ મિલ્ક ડે” તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ઈન્ડિયાએ ડો. સોઢીનું નામ સૂચવવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.

આઈડીએફમાં નિમણૂંક પ્રસંગે ડો.સોઢીએ જણાવ્યુ હતું કે “વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનું પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષી ધ્યેયમાં યોગદાન આપવું અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.” ડો. સોઢીએ સીટીએઈ, ઉદેપુરમાંથી બેચલર ઓફ એન્જીન્યરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સ્નાતક થયા પછી તેમણે ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા)માંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત છે. તે ઈરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી હતાં. ઈરમામાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કર્યા પછી, તે વર્ષ 1982માં જીસીએમએમએફમાં જોડાયાં હતાં. તાજેતરમાં તેમણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડોકટર ઓફ સાયન્સ (Honoris Causa) ડીગ્રી પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચોઃ અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી

ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ

ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. ડો. સોઢીએ વર્ષ 2010માં જીસીએમએમએફ (અમૂલ)માં મેનેજીંગ ડિરેકટરનું પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ તરફથી ચૂકવવામાં દૂધની એકત્રીકરણની કિંમતમાં કિલો ફેટ દીઠ વર્ષ 2009-10માં ચૂકવાતા રૂ. 337થી વધતા રહીને વર્ષ 2020-21માં કિલો ફેટ દીઠ રૂ. 810 થતાં છેલ્લાં 10 વર્ષમાં 140 ટકાનો વધારો થયો છે. પોસાય તેવા ભાવ અને ટેકનોલોજીના સહયોગથી ડો. સોઢી છેલ્લાં 10 વર્ષમાં ખેડૂતોને દૂધનુ એકત્રીકરણ વર્ષ 2009-10માં દૈનિક 91 લાખ લીટરથી 171 ટકા વધારીને વર્ષ 2020-21માં દૈનિક 250 લાખ લીટર સુધી લઈ જવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યાં છે. સમાન ગાળા દરમ્યાન (છેલ્લા 10 વર્ષમાં) ડો.સોઢીના નેતૃત્વ હેઠળ જીસીએમએફના બિઝનેસ ટર્નઓવરમાં 390 ટકાની વૃદ્ધિ હાંસલ કરીને તે વર્ષ 2009-10માં રૂ.8005 કરોડથી વધીને વર્ષ 2020-21માં રૂ.39,238 કરોડ સુધી પહોંચાડયું છે.

ડો.સોઢી જીસેમએમએફના ખૂબ પ્રશંસા પામેલા ડિરેક્ટર તરીકે વખણાયાં છે. તેમના આ કાર્યોની નોંધ લેવાય છે.
(1) વિશ્વના ઓરિજીનલ એનર્જી ડ્રીંક તરીકે દૂધનો પ્રચાર

(2) ‘ઈટ મિલ્ક’ ઝૂંબેશ હાથ ધરીને ભારતના યુવાનોને તેમના દરેક ભોજનમાં ડેરી પ્રોડકટસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા

(3) અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા જેવા માર્કેટીંગ કેમ્પેઈનની આગેવાની લીધી હતી. તે મેનેજીંગ ડિરેકટર તરીકેના તેમના કાર્યકાળમાં 200થી વધુ નવી પ્રોડકટસ રજૂ કરી ચૂકયાં છે. તેમણે ડીજીટલ/સોશિયલ મિડીયા માર્કેટીંગ ઈનોવેશનનો ડેરી ઉદ્યોગમાં ઉપયોગ કરીને એ બાબતે ખાતરી રાખી છે કે દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો વપરાશ યુવા પેઢીમાં વધે.

(4) ડો.સોઢીએ ડેરી સહકારી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે તેમાં અમૂલના વિતરણ નેટવર્કનો સમાવેશ થાય છે. તેનાથી ઘણા લોકો માટે રોજગારીની તકો વધી છે. તેમના દિશા નિર્દેશથી આ બ્રાન્ડને નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે.

આ પણ વાંચોઃ PETA INDIAના આક્ષેપો પર અમુલના વાઈસ ચેરમેનેને શું આપ્યો જવાબ


ડો. સોઢીના નેતૃત્વ હેઠળ, દૂધાળાં ઢોરની ઉત્પાદકતા વધારવા માટે અમૂલે વ્યૂહાત્મક ઉત્પાદકતા વૃધ્ધિ કાર્યક્રમ હાથ ધર્યો હતો. અમૂલે ફર્ટિલિટી ઈમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ (એફપીપી) પણ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સમર્પિત અને અનુભવી વેટર્નરી ડોકટરોની ટીમ મારફતે પસંદગીના ગામોમાં એનિમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ સહકારી ચળવળના 36 લાખ ખેડૂતોએ 14 વર્ષના ગાળામાં 8.3 કરોડ વૃક્ષ ઉછેરી આપણા કુદરતી પર્યાવરણની જાળવણી કરી છે.

ડો. સોઢી જણાવે છે કે ભારતનો સહકારી અભિગમ એક આવશ્યક વ્યૂહરચના ધરાવે છે કે જેને કારણે ડેરી ક્ષેત્રના કરોડો ખેડૂતોને લેવલ પ્લેઈંગ ફીલ્ડ મારફતે બજારમાં સશક્તિકરણ હાંસલ થયું છે અને સાથે સાથે દૂધના મૂલ્યમાં વાજબી હિસ્સો હાંસલ થયો છે. ડેરી ક્ષેત્રએ આપણા કૃષિ ક્ષેત્રનુ ગ્રોથ એન્જીન છે. આ ક્ષેત્ર ગ્રાહકોને પોષણ પૂરૂ પાડવા ઉપરાંત ડેરી ક્ષેત્રના ખેડૂતોને સાતત્યપૂર્ણ રોજગારી પૂરી પાડે છે. ડેરી ક્ષેત્રને હાંસલ થયેલ અસરકારક વૃદ્ધિ અને આત્મનિર્ભરતા ડેરી ક્ષેત્રના ખેડૂતો, ભારત સરકાર, એનડીડીબી, અને અન્ય ઘણા સહયોગીઓના સંગઠીત પ્રયાસને કારણે શકય બની છે. આ સંદર્ભમાં ડો. સોઢીની પસંદગીને ભારત માટે ગૌરવ પ્રદાન કરતી બાબત ગણવામાં આવે છે.

મહિલાઓના સસશક્તિકરણમાં મોટો ફાળો

વિશ્વનું ડેરી ક્ષેત્ર યુનોના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે વર્ષ 2030 સુધીમાં ભૂખમરો નાબૂદ કરવાનુ ધ્યેય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છે. આ ધ્યેય હાંસલ કરવા માટે અન્ય બાબતોની સાથે સાથે પર્યાવરણલક્ષી ખેતીને પ્રોત્સાહન ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને સહયોગ આપવાનું ચાલુ રાખવું જોઈએ. આ સાથે સાથે મહિલાઓનું સશક્તિકરણ કરીને ડેરી સહકારી મંડળીઓ અને પ્રોડયુસર્સ એસોસિએશન્સમાં નેતૃત્વ લેવામાં અને નિર્ણય કરવામાં તેમનો સહયોગ વધારવાની આવશ્યકતા છે.

આઈડીએફએ એક ઈન્ટરનેશનલ નોન-ગવર્નમેન્ટ, નોન-પ્રોફીટ એસોસિએશન છે. તેનું વિઝન “સલામત અને સાતત્યપૂર્ણ ડેરી પ્રવૃત્તિથી દુનિયાને પોષણ” પૂરૂં પાડવાનું છે. આઈડીએફના સભ્યો તરીકે સામાન્ય રીતે દરેક દેશનાં ડેરી સંગઠનોના પ્રતિનિધિઓ હોય છે. ભારતનું પ્રતિનિધિત્વ આઈડીએફની નેશનલ કમિટી કરે છે. ભારત સરકારના સચિવ, (એડીએફ) માછીમારી, પશુપાલન અને ડેરી મંત્રાલય, આઈએનસી-આઈડીએફના પ્રેસિડેન્ટ છે અને એનડીડીબી તેનું સેક્રેટેરીયેટ છે અને તે તેની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.

આ પણ વાંચોઃ રાજકોટના વેજાગામ વાજડી નજીક કૂવામાંથી 3 ભાઈ-બહેનોના મૃતદેહ મળ્યા, ગઈકાલ સાંજથી જ હતા ગુમા

  • ડો. સોઢી ઇરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી
  • અમૂલમાં 35 વર્ષનો અનુભવ ધરાવે છે ડો.સોઢી
  • 11 વર્ષથી GCMMFમાં મેનેજિંગ ડિરેક્ટરના પદ પર છે ડો.સોઢી

આણંદ: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની 1 જૂન, 2021ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવુ રસપ્રદ રહેશે કે દર વર્ષે 1 જૂનને “વર્લ્ડ મિલ્ક ડે” તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ડિયન નેશનલ કમિટી ઓફ ઈન્ડિયાએ ડો. સોઢીનું નામ સૂચવવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.

આઈડીએફમાં નિમણૂંક પ્રસંગે ડો.સોઢીએ જણાવ્યુ હતું કે “વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનું પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષી ધ્યેયમાં યોગદાન આપવું અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.” ડો. સોઢીએ સીટીએઈ, ઉદેપુરમાંથી બેચલર ઓફ એન્જીન્યરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સ્નાતક થયા પછી તેમણે ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા)માંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત છે. તે ઈરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી હતાં. ઈરમામાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કર્યા પછી, તે વર્ષ 1982માં જીસીએમએમએફમાં જોડાયાં હતાં. તાજેતરમાં તેમણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડોકટર ઓફ સાયન્સ (Honoris Causa) ડીગ્રી પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચોઃ અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી

ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ

ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. ડો. સોઢીએ વર્ષ 2010માં જીસીએમએમએફ (અમૂલ)માં મેનેજીંગ ડિરેકટરનું પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ તરફથી ચૂકવવામાં દૂધની એકત્રીકરણની કિંમતમાં કિલો ફેટ દીઠ વર્ષ 2009-10માં ચૂકવાતા રૂ. 337થી વધતા રહીને વર્ષ 2020-21માં કિલો ફેટ દીઠ રૂ. 810 થતાં છેલ્લાં 10 વર્ષમાં 140 ટકાનો વધારો થયો છે. પોસાય તેવા ભાવ અને ટેકનોલોજીના સહયોગથી ડો. સોઢી છેલ્લાં 10 વર્ષમાં ખેડૂતોને દૂધનુ એકત્રીકરણ વર્ષ 2009-10માં દૈનિક 91 લાખ લીટરથી 171 ટકા વધારીને વર્ષ 2020-21માં દૈનિક 250 લાખ લીટર સુધી લઈ જવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યાં છે. સમાન ગાળા દરમ્યાન (છેલ્લા 10 વર્ષમાં) ડો.સોઢીના નેતૃત્વ હેઠળ જીસીએમએફના બિઝનેસ ટર્નઓવરમાં 390 ટકાની વૃદ્ધિ હાંસલ કરીને તે વર્ષ 2009-10માં રૂ.8005 કરોડથી વધીને વર્ષ 2020-21માં રૂ.39,238 કરોડ સુધી પહોંચાડયું છે.

ડો.સોઢી જીસેમએમએફના ખૂબ પ્રશંસા પામેલા ડિરેક્ટર તરીકે વખણાયાં છે. તેમના આ કાર્યોની નોંધ લેવાય છે.
(1) વિશ્વના ઓરિજીનલ એનર્જી ડ્રીંક તરીકે દૂધનો પ્રચાર

(2) ‘ઈટ મિલ્ક’ ઝૂંબેશ હાથ ધરીને ભારતના યુવાનોને તેમના દરેક ભોજનમાં ડેરી પ્રોડકટસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા

(3) અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા જેવા માર્કેટીંગ કેમ્પેઈનની આગેવાની લીધી હતી. તે મેનેજીંગ ડિરેકટર તરીકેના તેમના કાર્યકાળમાં 200થી વધુ નવી પ્રોડકટસ રજૂ કરી ચૂકયાં છે. તેમણે ડીજીટલ/સોશિયલ મિડીયા માર્કેટીંગ ઈનોવેશનનો ડેરી ઉદ્યોગમાં ઉપયોગ કરીને એ બાબતે ખાતરી રાખી છે કે દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો વપરાશ યુવા પેઢીમાં વધે.

(4) ડો.સોઢીએ ડેરી સહકારી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે તેમાં અમૂલના વિતરણ નેટવર્કનો સમાવેશ થાય છે. તેનાથી ઘણા લોકો માટે રોજગારીની તકો વધી છે. તેમના દિશા નિર્દેશથી આ બ્રાન્ડને નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે.

આ પણ વાંચોઃ PETA INDIAના આક્ષેપો પર અમુલના વાઈસ ચેરમેનેને શું આપ્યો જવાબ


ડો. સોઢીના નેતૃત્વ હેઠળ, દૂધાળાં ઢોરની ઉત્પાદકતા વધારવા માટે અમૂલે વ્યૂહાત્મક ઉત્પાદકતા વૃધ્ધિ કાર્યક્રમ હાથ ધર્યો હતો. અમૂલે ફર્ટિલિટી ઈમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ (એફપીપી) પણ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સમર્પિત અને અનુભવી વેટર્નરી ડોકટરોની ટીમ મારફતે પસંદગીના ગામોમાં એનિમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ સહકારી ચળવળના 36 લાખ ખેડૂતોએ 14 વર્ષના ગાળામાં 8.3 કરોડ વૃક્ષ ઉછેરી આપણા કુદરતી પર્યાવરણની જાળવણી કરી છે.

ડો. સોઢી જણાવે છે કે ભારતનો સહકારી અભિગમ એક આવશ્યક વ્યૂહરચના ધરાવે છે કે જેને કારણે ડેરી ક્ષેત્રના કરોડો ખેડૂતોને લેવલ પ્લેઈંગ ફીલ્ડ મારફતે બજારમાં સશક્તિકરણ હાંસલ થયું છે અને સાથે સાથે દૂધના મૂલ્યમાં વાજબી હિસ્સો હાંસલ થયો છે. ડેરી ક્ષેત્રએ આપણા કૃષિ ક્ષેત્રનુ ગ્રોથ એન્જીન છે. આ ક્ષેત્ર ગ્રાહકોને પોષણ પૂરૂ પાડવા ઉપરાંત ડેરી ક્ષેત્રના ખેડૂતોને સાતત્યપૂર્ણ રોજગારી પૂરી પાડે છે. ડેરી ક્ષેત્રને હાંસલ થયેલ અસરકારક વૃદ્ધિ અને આત્મનિર્ભરતા ડેરી ક્ષેત્રના ખેડૂતો, ભારત સરકાર, એનડીડીબી, અને અન્ય ઘણા સહયોગીઓના સંગઠીત પ્રયાસને કારણે શકય બની છે. આ સંદર્ભમાં ડો. સોઢીની પસંદગીને ભારત માટે ગૌરવ પ્રદાન કરતી બાબત ગણવામાં આવે છે.

મહિલાઓના સસશક્તિકરણમાં મોટો ફાળો

વિશ્વનું ડેરી ક્ષેત્ર યુનોના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે વર્ષ 2030 સુધીમાં ભૂખમરો નાબૂદ કરવાનુ ધ્યેય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છે. આ ધ્યેય હાંસલ કરવા માટે અન્ય બાબતોની સાથે સાથે પર્યાવરણલક્ષી ખેતીને પ્રોત્સાહન ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને સહયોગ આપવાનું ચાલુ રાખવું જોઈએ. આ સાથે સાથે મહિલાઓનું સશક્તિકરણ કરીને ડેરી સહકારી મંડળીઓ અને પ્રોડયુસર્સ એસોસિએશન્સમાં નેતૃત્વ લેવામાં અને નિર્ણય કરવામાં તેમનો સહયોગ વધારવાની આવશ્યકતા છે.

આઈડીએફએ એક ઈન્ટરનેશનલ નોન-ગવર્નમેન્ટ, નોન-પ્રોફીટ એસોસિએશન છે. તેનું વિઝન “સલામત અને સાતત્યપૂર્ણ ડેરી પ્રવૃત્તિથી દુનિયાને પોષણ” પૂરૂં પાડવાનું છે. આઈડીએફના સભ્યો તરીકે સામાન્ય રીતે દરેક દેશનાં ડેરી સંગઠનોના પ્રતિનિધિઓ હોય છે. ભારતનું પ્રતિનિધિત્વ આઈડીએફની નેશનલ કમિટી કરે છે. ભારત સરકારના સચિવ, (એડીએફ) માછીમારી, પશુપાલન અને ડેરી મંત્રાલય, આઈએનસી-આઈડીએફના પ્રેસિડેન્ટ છે અને એનડીડીબી તેનું સેક્રેટેરીયેટ છે અને તે તેની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.

આ પણ વાંચોઃ રાજકોટના વેજાગામ વાજડી નજીક કૂવામાંથી 3 ભાઈ-બહેનોના મૃતદેહ મળ્યા, ગઈકાલ સાંજથી જ હતા ગુમા

Last Updated : Jun 2, 2021, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.