અમરેલી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Election 2022) ચાલી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આ તમામની વચ્ચે વાત કરીએ અમરેલી જિલ્લાની. રાજ્યના પહેલા મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતા (Gujarat First CM Jivraj Narayan Mehta) પણ અમરેલીના જ (Jivraj Narayan Mehta Home Town Amreli) વતની હતા. ગુજરાત મુંબઈથી છૂટું પડ્યું ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ડો. જીવરાજ મહેતાએ જ રાજ્યની કમાન સંભાળી હતી. ગુજરાત રાજ્ય અત્યારે હરણફાળ ભરી રહ્યું છે. તેવામાં રાજ્યના પહેલા મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતાનું નિવાસસ્થાન તેમ જ અમરેલી આજે ક્યાં છે. તે અંગે વિગતમાં જોઈએ આ અહેવાલમાં.
અતિસાધારણ પરિવારમાં થયો જન્મ આજે પણ અમરેલીનું નામ લઈએ એટલે ડો. જીવરાજ મહેતાનું (Gujarat First CM Jivraj Narayan Mehta) અમરેલી એવું કહેવાય. પંડિત જવાહરલાલ નહેરુથી લઈને તે સમયના તમામ નેતાઓ સાથે મળીને દેશના રાજકારણમાં મહત્ત્વની ભુમિકા ભજવનારા ડો. જીવરાજ મહેતાનો (Gujarat First CM Jivraj Narayan Mehta) જન્મ 29 ઓગસ્ટ 1887માં અમરેલીના (Jivraj Narayan Mehta Home Town Amreli) અતિસાધારણ કહી શકાય એવા નારાયણભાઈ અને જમનાબેન મહેતાના ઘરે થયો હતો. સખત પરિશ્રમ, સાદગી અને ધ્યેય, નિષ્ઠાથી તેમણે ભારતમાં અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. 1914 મા તેમણે લંડનમાં એમ.ડી.ની ડિગ્રી ભારે ગૌરવપૂર્ણ રીતે પ્રાપ્ત કરી હતી અને એ સમયે 14 તોલા સોનાનો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અનેક ચઢીયાતા વિકાસકાર્યો કર્યા આ ઉપરાંત તેમણે રાજકીય ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ જવાબદારીઓ નિભાવી હતી, જેમા મુંબઈ રાજ્યના બાંધકામ અને નાણાપ્રધાન રહી ચૂકેલા, ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન બનવાનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત છે. તેઓ બ્રિટનના હાઈ કમિશનર જેવા હોદ્દાઓ પણ શોભાવી ચૂક્યા છે. આટલા પ્રતિભાશાળી વ્યક્તિ ડો. જીવરાજ મહેતાએ (Gujarat First CM Jivraj Narayan Mehta) પોતાની જન્મભુમિ માટે એક એકથી ચઢીયાતા વિકાસકામો કર્યા છે.
માત્ર ચૂંટણી સમયે લોકો કરે છે યાદ ડો. જીવરાજ મહેતાના (Gujarat First CM Jivraj Narayan Mehta) ભત્રીજી દુર્ગાબેન મહેતા તેમના કાકાએ કરેલા કામો જણાવી રહ્યા છે અને સાથે જ તેઓ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે કે, મારા કાકાને માત્ર ચૂંટણી સમયમાં જ યાદ કરવામાં આવે છે. અમરેલીની પ્રજા પણ ડો. જીવરાજ મહેતાની એકાદ પ્રતિમા મૂકીને વિસરી ગઈ છે.
અમરેલીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ડો .જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ (Gujarat First CM Jivraj Narayan Mehta) તેમણે અમરેલીને જિલ્લો બનાવવાની સાથે સાથે જિલ્લાને શોભે એવી અને જરૂરિયાત પ્રમાણેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. અમરેલીની સિવિલ હોસ્પિટલ હોય કે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની કૉંલેજો, ધારીનો ખોડિયાર ડેમ હોય કે, પછી અન્ય સુવિધાઓ તેમણે આગામી 100 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવી છે, જે આજે પણ અડીખમ ઊભી છે.
91 વર્ષની વયે નિધન અમરેલીના પીઢ પત્રકાર મનોજ રૂપારેલ જણાવી રહ્યા છે કે, ડો. જીવરાજ મહેતાએ (Gujarat First CM Jivraj Narayan Mehta) અમરેલીના ગાંધી હતા. તેમનું આ જિલ્લા પર બહુ મોટુ ઋણ છે. જોકે, તેઓ અફસોસ સાથે જણાવી રહ્યા છે કે, તેમણે જે અમરેલી માટે કર્યુ તેવું અન્ય કોઈ કરી શક્યું નથી. ડો. જીવરાજ મહેતા કેટલા નિષ્ઠાવાન અને પ્રામાણિક નેતા હતા એ સાબીત કરતી અનેક ઘટનાઓ છે, જે બહુ ઓછા લોકો જાણે છે. તેમના જીવનની એક એવી ઘટના બની કે, તેઓ 1962મા ચુંટણી લડ્યા પછી તેમણે પોતાનુ મકાન વહેચવું પડ્યું હતું. અમરેલી માટે અખૂટ પ્રેમ ધરાવતા ડો. જીવરાજ મહેતાનું અવસાન 91 વર્ષની જૈફ વયે 7 નવેમ્બર 1978માં થયું હતું.