ETV Bharat / state

Effect Of Taukte Cyclone: બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ

સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડામાં ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર અને અમરેલી જિલ્લામાં વધુ અસર વર્તાઈ છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં વધારે નુકસાન થયુ છે. લોકોના ઘરના નળીયા પણ ઉડી જવાથી બાબરકોટ ગામમાં કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગામમાં નળીયાનું વિતરણ કરવામાં આવ્યુ છે.

author img

By

Published : May 30, 2021, 2:11 PM IST

બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ
બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ
  • જાફરાબાદમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વ્હારે આવી કોંગ્રસ
  • ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા બાબરકોટમાં કરાયુ નળીયાનું વિતરણ
  • બાબરકોટના કોંગ્રેસના કાર્યકર્તા રમેશ સાંખટના હસ્ત કરાયુ વિતરણ

અમરેલીઃ તૌકતે (Taukte Cyclone)વાાવઝોડાએ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં તારાજી સર્જી છે. કાચા મકાનમાં રહેતા લોકોના કોઈના ઘરના નળીયા તો કોઈના ગઘરના પત્તરા ઉડી ગયા છે. ત્યારે આવો લોકોની મદદ માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા લોકો આગળ આવ્યા છે. ત્યારે જાફરાબાદના બાબાર કોટ ગામમાં અતિ ભારે નુકસાન થયુ હોવાથી કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગામમાં નળીયાનું વિતરણ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા

જાફરાબાદના બાબરકોટ ગામમાં નળીયાનું વિતરણ કરાયું

જાફરબાદમાં વાવાઝોડાની તબાહી બાદ ઘણા લોકો મકાન વિહોણા થયા છે અને ઘણા લોકોના મકાનના છાપરા ઊડી ગયા છે. આ વાવાઝોડામાં દરિયા કિનારાથી માત્ર 500 મીટર દૂર આવેલા બાબરકોટ ગામમાં અતિ ભારે નુકસાન થયુ છે. જેમાં ઘણા માણસોના મકાનની છત પણ નથી રહી ત્યારે કોંગ્રેસ તરફથી વાવાઝોડાના નુકસાનમાં માણસોને મદદ કરવા જાફરાબાદના બાબરકોટ ગામમાં નળીયાનું વિતરણ કરાયું છે.

બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ
બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ

આ પણ વાંચોઃ tauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ

કોંગ્રેસ ધારસભ્ય અમરીશ ડેરના સાહસ અને સહાયોગથી કરાયુ ઉમદા કાર્ય

કોંગ્રેસ ધારસભ્ય(congress mla) અમરીશ ડેરના સાહસ અને સહાયોગથી નળીયા વિતરણનું ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે. બાબરકોટ ગામના કોંગ્રેસના કાર્યકર્તા રમેશ સાંખટના હસ્ત નળીયાનું ગામલોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

  • જાફરાબાદમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વ્હારે આવી કોંગ્રસ
  • ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા બાબરકોટમાં કરાયુ નળીયાનું વિતરણ
  • બાબરકોટના કોંગ્રેસના કાર્યકર્તા રમેશ સાંખટના હસ્ત કરાયુ વિતરણ

અમરેલીઃ તૌકતે (Taukte Cyclone)વાાવઝોડાએ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં તારાજી સર્જી છે. કાચા મકાનમાં રહેતા લોકોના કોઈના ઘરના નળીયા તો કોઈના ગઘરના પત્તરા ઉડી ગયા છે. ત્યારે આવો લોકોની મદદ માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા લોકો આગળ આવ્યા છે. ત્યારે જાફરાબાદના બાબાર કોટ ગામમાં અતિ ભારે નુકસાન થયુ હોવાથી કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ગામમાં નળીયાનું વિતરણ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે રોપ-વે અપર સ્ટેશન તેમજ દાતાર પર્વત પરના પતરા ઉડ્યા

જાફરાબાદના બાબરકોટ ગામમાં નળીયાનું વિતરણ કરાયું

જાફરબાદમાં વાવાઝોડાની તબાહી બાદ ઘણા લોકો મકાન વિહોણા થયા છે અને ઘણા લોકોના મકાનના છાપરા ઊડી ગયા છે. આ વાવાઝોડામાં દરિયા કિનારાથી માત્ર 500 મીટર દૂર આવેલા બાબરકોટ ગામમાં અતિ ભારે નુકસાન થયુ છે. જેમાં ઘણા માણસોના મકાનની છત પણ નથી રહી ત્યારે કોંગ્રેસ તરફથી વાવાઝોડાના નુકસાનમાં માણસોને મદદ કરવા જાફરાબાદના બાબરકોટ ગામમાં નળીયાનું વિતરણ કરાયું છે.

બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ
બાબરકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા કરાયુ નળીયાનું વિતરણ

આ પણ વાંચોઃ tauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ

કોંગ્રેસ ધારસભ્ય અમરીશ ડેરના સાહસ અને સહાયોગથી કરાયુ ઉમદા કાર્ય

કોંગ્રેસ ધારસભ્ય(congress mla) અમરીશ ડેરના સાહસ અને સહાયોગથી નળીયા વિતરણનું ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે. બાબરકોટ ગામના કોંગ્રેસના કાર્યકર્તા રમેશ સાંખટના હસ્ત નળીયાનું ગામલોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.