ETV Bharat / state

તહેવારોમાં મુસાફરોને સુવિધા, સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે દોડશે સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ ટ્રેન - પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય

સૌથી મહત્વના તહેવાર એવા દિવાળી પર્વને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર નિમિત્તે લગભગ 22500 મુસાફરોને સ્પેશિયલ ટ્રેનોનો લાભ પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવશે.

દિવાળી પર્વને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય
દિવાળી પર્વને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 12:57 PM IST

દિવાળી પર્વને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય

અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • पश्चिम रेलवे यात्रिओं की सुविधा के लिए 5 जोड़ी और त्योहार विशेष ट्रेनें चलाएगी।

    आगामी त्योहारी सीजन के दौरान यात्रा मांग को पूरा करने हेतु विभिन्न गंतव्यों के लिए विशेष किराये पर फेस्टिवल स्पेशल ट्रेनों के 344 फेरे चलाए जा रहे हैं। pic.twitter.com/Mtssi88grG

    — Western Railway (@WesternRly) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ક્યારે ઉપડશે ? તહેવાર સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર સાબરમતી-દાનાપુર-સાબરમતી સ્પેશિયલમાં કુલ 6 ટ્રિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરમતી -દાનાપુર સ્પેશિયલ ટ્રેન તારીખ 12, 19 અને 26 નવેમ્બર, 2023 રવિવારના રોજ સવારે 8.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સોમવારે 14.15 વાગ્યે દાનાપુર પહોંચશે. એ જ રીતે દાનાપુર- સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 નવેમ્બર, 2023 સોમવારના રોજ સમસ્તીપુરથી સાંજે 18.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે મંગળવારે 23.30 વાગ્યે સાબરમતી પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર. અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર તેમજ આરા સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન તારીખ 09, 16, 23 અને 30 નવેમ્બર 2023 ગુરુવારના રોજ અમદાવાદથી બપોરના 15.30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે સવારે 04.00 વાગ્યે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તારીખ 11, 18, 25 નવેમ્બર અને 02 ડિસેમ્બર 2023 શનિવારના રોજ સમસ્તીપુરથી સવારે 08.15 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે રવિવારે 22.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. - જીતેન્દ્ર કુમાર જયંત, (PRO)

આજથી બુકિંગ શરૂ: આ ટ્રેન વડોદરા, સુરત, નંદૂરબાર, ભુસાવળ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, પટના અને બરૌની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી ઇકોનોમિક, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. જ્યારે અમદાવાદ- સમસ્તીપુર સ્પેશ્યલ ટ્રેનની બુકિંગ 8 નવેમ્બર 2023થી અને સાબરમતી - દાનાપુર ટ્રેનની બુકિંગ 9 નવેમ્બર 2023થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ પર મળી રહેશે.

  1. દિવાળી અને છઠ તેમજ ચૂંટણીને કારણે સુરતની ટ્રેનો રિગ્રેટ, બસોના ભાડામાં ધરખમ વધારો
  2. આજથી 135 વર્ષ પહેલા ગુજરાતની ટાઈટેનિક એટલે કે 'વીજળી' માંગરોળ નજીકના દરિયામાં સમાઈ ગઈ

દિવાળી પર્વને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો માટે મહત્વનો નિર્ણય

અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • पश्चिम रेलवे यात्रिओं की सुविधा के लिए 5 जोड़ी और त्योहार विशेष ट्रेनें चलाएगी।

    आगामी त्योहारी सीजन के दौरान यात्रा मांग को पूरा करने हेतु विभिन्न गंतव्यों के लिए विशेष किराये पर फेस्टिवल स्पेशल ट्रेनों के 344 फेरे चलाए जा रहे हैं। pic.twitter.com/Mtssi88grG

    — Western Railway (@WesternRly) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ક્યારે ઉપડશે ? તહેવાર સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર સાબરમતી-દાનાપુર-સાબરમતી સ્પેશિયલમાં કુલ 6 ટ્રિપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરમતી -દાનાપુર સ્પેશિયલ ટ્રેન તારીખ 12, 19 અને 26 નવેમ્બર, 2023 રવિવારના રોજ સવારે 8.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સોમવારે 14.15 વાગ્યે દાનાપુર પહોંચશે. એ જ રીતે દાનાપુર- સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 નવેમ્બર, 2023 સોમવારના રોજ સમસ્તીપુરથી સાંજે 18.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે મંગળવારે 23.30 વાગ્યે સાબરમતી પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર. અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર તેમજ આરા સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેન તારીખ 09, 16, 23 અને 30 નવેમ્બર 2023 ગુરુવારના રોજ અમદાવાદથી બપોરના 15.30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે સવારે 04.00 વાગ્યે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તારીખ 11, 18, 25 નવેમ્બર અને 02 ડિસેમ્બર 2023 શનિવારના રોજ સમસ્તીપુરથી સવારે 08.15 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે રવિવારે 22.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. - જીતેન્દ્ર કુમાર જયંત, (PRO)

આજથી બુકિંગ શરૂ: આ ટ્રેન વડોદરા, સુરત, નંદૂરબાર, ભુસાવળ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, પટના અને બરૌની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી ઇકોનોમિક, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. જ્યારે અમદાવાદ- સમસ્તીપુર સ્પેશ્યલ ટ્રેનની બુકિંગ 8 નવેમ્બર 2023થી અને સાબરમતી - દાનાપુર ટ્રેનની બુકિંગ 9 નવેમ્બર 2023થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ પર મળી રહેશે.

  1. દિવાળી અને છઠ તેમજ ચૂંટણીને કારણે સુરતની ટ્રેનો રિગ્રેટ, બસોના ભાડામાં ધરખમ વધારો
  2. આજથી 135 વર્ષ પહેલા ગુજરાતની ટાઈટેનિક એટલે કે 'વીજળી' માંગરોળ નજીકના દરિયામાં સમાઈ ગઈ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.